Coronavirus : વેક્સીન ટ્રાયલમાં સામેલ અડધા બાળકો પહેલા કોરોનાથી થઇ ચૂક્યા છે સંક્રમિત : એઇમ્સ સર્વે
Coronavirus : એઇમ્સ તરફથી દેશના શહેરોમાં સર્વે કરવામાં આવ્યો છે. આ સર્વે બાળકો પર કેન્દ્રિત હતો. આ સર્વેના પ્રારંભિક રિપોર્ટ અનુસાર દેશમાં મોટી સંખ્યામાં બાળકો સંક્રમિત થયા છે. એઇમ્સના સર્વેમાં એ પણ જાણકારી મળી કે કેટલાક બાળકો એવા હતા જેમને કોરોના થયો. પરંતુ તેમને ખબર પણ ન પડી કે કોરોના થયો છે કે નહિ.
Coronavirus : એઇમ્સમાં (AIIMS ) બાળકોની રસીને લઇને એક ટ્રાયલ શરુ થયો. તો લોકોના મનમા એક આશાનું કિરણ જાગ્યુ. આ આશા એ વાતને લઇને હતી કે આગામી દિવસોમાં બાળકોના ભવિષ્યને લઇ હથિયારના રુપમાં વેક્સીન કારગર રહેશે. પરંતુ વેક્સીન (Corona Vaccine) માટે જે બાળકોને પસંદ કરવામાં આવ્યા હતા. તેમનુ સ્ક્રિનિંગ થયુ અને તે બાદ ચોકાવાનારું પરિણામ સામે આવ્યુ છે.
વેક્સીનના માનવ પરીક્ષણ પહેલા જે લોકોને સામેલ કરવામાં આવે છે. સૌથી પહેલા તેમની બૉડીનું ચેકઅપ થાય છે. તેમાં એ જાણકારી મળે છે કે ટ્રાયલમાં સામેલ વ્યક્તિ સ્વસ્થ છે કે નહિ. આ સાથે જ ટ્રાયલમાં સામેલ વ્યક્તિનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવે છે. એઇમ્સમાં બાળકોના સ્ક્રિનિંગ દરમિયાન જાણકારી મળી કે લગભગ 20 ટકા બાળકો પહેલેથી સંક્રમિત છે.
મળતી જાણકારી પ્રમાણે એઇમ્સ તરફથી દેશના શહેરોમાં સર્વે કરવામાં આવ્યો છે. આ સર્વે બાળકો પર કેન્દ્રિત હતો. આ સર્વેના પ્રારંભિક રિપોર્ટ અનુસાર દેશમાં મોટી સંખ્યામાં બાળકો સંક્રમિત થયા છે. એઇમ્સના સર્વેમાં એ પણ જાણકારી મળી કે કેટલાક બાળકો એવા હતા જેમને કોરોના થયો પરંતુ તેમને ખબર પણ ન પડી કે કોરોના થયો છે કે નહિ. એટલું જ નહિ તેમના માતા-પિતા પણ એ વાતથી અજાણ હતા કે તેમનું બાળક સંક્રમિત થઇ ચૂક્યુ છે.
સર્વેમાં એ ખુલાસો પણ થયો કે બાળકોમાં વયસ્કો જેવી કોઇ ગંભીર સિસ્ટમ ન મળી. જેમકે વયસ્કોને શ્વાસ લેવામાં તકલીફ, ફેફસામાં મોટું સંક્રમણ , ગળામાં સંક્રમણ જેવી સમસ્યાઓ જોવા મળી નથી. સંક્રમિત બાળકોમાં માત્ર શરદી,ઉધરસ,તાવ આવવો જેવા લક્ષણો જોવા મળ્યા.
કેટલાક એક્સપર્ટનો મત એ પણ છે કે બાળકોમાં પાંચ વર્ષ સુધી બહુ જ રસીઓ લગાવવામાં આવે છે. આ વેક્સીનમાં ફ્લૂ વેક્સીન પણ સામેલ છે. સંભવ છે કે કોરોના સંક્રમણ દરમિયાન કેટલાક ટકા સુધી બાળકોમાં આ કારગર થાય અને બાળકોમાં માઇલ્ડ થઇને નિકળી જાય.