Corona Vaccine: દેશમાં અત્યાર સુધી 15 લાખ લોકોએ લીધી, સૌથી વધારે કર્ણાટકમાં લેવાઈ
દેશમાં અત્યાર સુધી કોરોનાની રસી 15 લાખથી વધારે લોકોએ લીધી છે. આ આંકડો 15,37,190 થઇ છે. જેમાં 3,47,058 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાની રસી લીધી હતી.
દેશમાં અત્યાર સુધી Corona Vaccine 15 લાખથી વધારે લોકોએ લીધી છે. આ આંકડો 15,37,190 થઇ છે. જેમાં 3,47,058 લોકોએ છેલ્લા 24 કલાકમાં Corona Vaccine લીધી હતી. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં સૌથી વધારે રસી 1,84, 699 કર્ણાટકમાં લેવાઈ છે. તે બાદ આંધ્રપ્રદેશમાં 1,33,298 , ઉત્તર પ્રદેશમાં 1,23,761 લોકોએ રસી લીધી છે. આ ઉપરાંત તેલંગાનામાં 1,10, 031 ,મહારાસ્ટ્રમાં 74,960, બિહારમાં 63,620, હરિયાણામાં 62,142 , કેરલમાં 47,293 અને મધ્ય પ્રદેશમાં 38,278 લોકોએ કોરોનાની રસી લીધી છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અગ્ર સચિવ મનોહર અગનાનીએ કહ્યું કે અત્યાર સુધી કુલ 6 લોકોના મોત થયા છે. ગુરુગ્રામમાં 56 વર્ષના એક મહિલાનું મોત થયું છે. કોવિડ-19 રસીકરણમાં કોઇ પ્રકારની બેદરકારી જોવા નથી મળી. તેમણે કહ્યું કે હાલ 12 રાજ્યમાં કો-વેક્સિનનો ઉપયોગ કર્યો છે. જ્યારે આગામી સપ્તાહમાં અન્ય સાત રાજ્યમાં કો-વેક્સિનનો ઉપયોગ કરવામાં આવશે. જેમાં છત્તીસગઠ, ગુજરાત, ઝારખંડ, કેરલ, મધ્ય પ્રદેશ, પંજાબ, અને પશ્ચિમ બંગાળ
ભારતમાં કોરોના સંક્રમણના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જેમાં શનિવારે દેશમાં કોરોનાના 1,85,662 લોકોની સારવાર ચાલુ છે. જે કુલ કેસના 1.74 ટકા છે.