Vaccination for children: કોરોના રસી લીધા પછી બાળકોને આ સમસ્યાઓ થાય તો ગભરાશો નહીં, ડૉક્ટરની સલાહ લો

રસીકરણ પછી તાવ આવવો,  રસી જે હાથ પર લગાવવામાં આવી હોય તે હાથ પર સોજો આવવો સામાન્ય વાત છે. મોટા ભાગના કિસ્સાઓમાં, તાવ એક દિવસમાં જ ઉતરી જાય છે. આ અંગે ચિંતા કરવાની જરૂર નથી.

Vaccination for children: કોરોના રસી લીધા પછી બાળકોને આ સમસ્યાઓ થાય તો ગભરાશો નહીં, ડૉક્ટરની સલાહ લો
Vaccination for children (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 01, 2022 | 9:32 PM

CORONA : 15 થી 18 વર્ષની વયના બાળકો માટે 3 જાન્યુઆરીથી દેશભરમાં બાળકોનું રસીકરણ (Children vaccination) શરૂ થશે. રસીકરણ માટે બાળકોની નોંધણી (Registration) પણ શરૂ થઈ ગઈ છે. નિષ્ણાતોનું કહેવું છે કે કોરોનાની રસી (Vaccine) બાળકો માટે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. આવી સ્થિતિમાં તમામ બાળકોને રસી આપવી જ જોઇએ. જો રસી લીધા પછી બાળકને તાવ કે શરીરમાં દુખાવો થતો હોય તો તેના માટે ગભરાવાની જરૂર નથી.

લેન્સેટ કમિશન ફોર કોવિડ ટાસ્ક ફોર્સ ઈન ઈન્ડિયાના સભ્ય પ્રોફેસર ડૉ. સુનિલા ગર્ગ કહે છે કે બાળકોને રસી વિશે કોઈ ખચકાટ ન હોવો જોઈએ. આ માટે જરૂરી છે કે, વાલીઓ તેમને રસી લેવા માટે પ્રોત્સાહિત કરે. જો બાળક રસીથી ડરતું હોય તો તેને સમજાવો. બાળકને રસી આપતા પહેલા, ધ્યાનમાં રાખો કે તેણે યોગ્ય રીતે ભોજન લીધું છે. ખાલી પેટે રસી લેવાનું ટાળવું જોઈએ. એ પણ ખાતરી કરો કે બાળકે આખી રાત સારી નિંદર કરી છે. ઉપરાંત, તેને ભારે તાવ કે ઉલટી-ઝાડા ન હોવા જોઈએ.

ડો.ગર્ગના જણાવ્યા અનુસાર, ઓમિક્રોનના વધતા જોખમને ધ્યાનમાં રાખીને બાળકોનું રસીકરણ ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં રસી આપવી જ જોઇએ. જે બાળકો પહેલેથી જ કોઈપણ રોગથી પીડિત હોય તો તેમને પ્રાથમિકતાના આધારે રસી આપવી જોઈએ.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

રસીકરણ પછી થતી આ સામાન્ય સમસ્યાઓ

બાળરોગના વરિષ્ઠ  નિષ્ણાંત ડો.પ્રદીપ કુમાર કહે છે કે, રસીકરણ પછી તાવ આવવો,  રસી જે હાથ પર લગાવવામાં આવી હોય તે હાથ પર સોજો આવવો સામાન્ય વાત છે. મોટા ભાગના કિસ્સાઓમાં, તાવ એક દિવસમાં જ ઉતરી જાય છે. આ અંગે ચિંતા કરવાની જરૂર નથી. આ બધા લક્ષણો રસીકરણ પછી સામાન્ય છે. આવું ઘણા લોકોને થાય છે.

જો કે,બાળકોમાં એલર્જીના ગંભીર લક્ષણો દેખાઈ રહ્યા છે. તાવ ખૂબ જ વધી રહ્યો છે જે સતત બની રહે છે. અથવા જો ચક્કર આવી રહ્યા હોય, તો આ સ્થિતિમાં ડૉક્ટરનો સંપર્ક કરો. જ્યારે પણ બાળકને રસી આપવામાં આવે ત્યારે ઓછામાં ઓછા અડધો કલાક રસીકરણ કેન્દ્રમાં જ રહો.

કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી છે

ડોક્ટર્સની સલાહ  છે કે રસી લીધા પછી પણ બાળકોને કોવિડથી રક્ષણના નિયમોનું પાલન કરવું પડશે. બાળકોએ સમજવું પડશે કે રસી લગાવવાથી સંક્રમણનું જોખમ જરૂરથી ઓછું થઈ ગયું છે, પરંતુ એવું નથી કે તેનાથી તેમને ક્યારેય કોરોના થશે નહીં.

આ પણ વાંચો :  GUJARAT : કોરોનાનો મોટો વિસ્ફોટ, નવા 1069 કેસ સાથે એક્ટીવ કેસ વધીને 3927 થયા, ઓમિક્રોનના નવા 23 કેસ

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">