Corona Patient Care: શું તમને કોરોના થયો છે અને ઘરે રહીને સારવાર લો છો? તો જાણો શું ખાઈ શકાય અને શું ન ખવાય, આ રહી ટીપ્સ
Corona Patient Care: કોરોના વાયરસની બીજી લહેર ઝડપથી લોકોને પોતાની ઝપેટમાં લઈ રહી છે. સંક્રમણ એકમાંથી બીજામાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. કોરોનામાં અગર સિવિયર કોઈ પ્રોબલેમ હોય તો હોસ્પિટલમાં સારવાર માટે ભરતી કરવાની ફરજ પડે છે પરંતુ મધ્યમ અને હળવા લક્ષણ ધરાવતી વ્યક્તિનો ઈલાજ તો ઘરેથી જ થઈ શકે છે.
Corona Patient Care: કોરોના વાયરસની બીજી લહેર ઝડપથી લોકોને પોતાની ઝપેટમાં લઈ રહી છે. સંક્રમણ એકમાંથી બીજામાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. કોરોનામાં અગર સિવિયર કોઈ પ્રોબલેમ હોય તો હોસ્પિટલમાં સારવાર માટે ભરતી કરવાની ફરજ પડે છે પરંતુ મધ્યમ અને હળવા લક્ષણ ધરાવતી વ્યક્તિનો ઈલાજ તો ઘરેથી જ થઈ શકે છે. હોમ આઈસોલેશન તરીકે પણ દર્દી ઘરનાં બીજા સદસ્યોથી અલગ રહીને પોતોનો ઈલાજ કરી શકે છે. આવો જાણીએ કે દર્દી ઘરે રહીને કઈ રીતે ઝડપથી રિકવરી મેળવી શકે છે.
હોમ આઈસોલેશન માટેનાં જરૂરી નિયમ-
હોમ આઈસોલેશન માટે દર્દીને જે રૂમમાં રાખવામાં આવે તે હવાદાર હોવો જરૂરી છે, તેને માટે અલગથી ટોયલેટ પણ હોવું જોઈએ. 24 કલાક માટે દર્દીના સારવાર માટે કોઈને કોઈ હોવું જરૂરી છે. ધ્યાન આપવા વાળી વાત એ છે કે હોમ આઈસોલેશનમાં રહેનારા દર્દીનાં લક્ષણ ગંભીર ન હોવા જોઈએ, ગંભીર થવા પર તેને હોસ્પિટલમાં ભરતી કરવાની સલાહ આપવામાં આવે છે.
હોમ આઈસોલેશનમાં દર્દીએ શું કરવું જોઈએ-
દર્દીએ પોતાનાં રુમની બારીઓને ખુલ્લી રાખવી જોઈએ, દર્દીએ ત્રણ લેયર વાળુ માસ્ત સતત પહેરતા રેહવું જોઈએ અને 6 કે 8 કલાક બાદ તેને બદલી નાખવું જોઈએ. સાબુ અને પાણીથી હાથને 40 સેકન્ડ માટે દોવા જોઈએ. સતત જે વસ્તુ સાથે સંપર્કમાં આવવાનું થાય તેને અટકવાનું ટાળવું જોઈએ. પોતાના કપડા, રૂમાલ, તકીયા, ચાદરને બિલકુલ અલગ રાખવા્માં આવે અને તેને કોઈને પણ વાપરવા ન આપવું જોઈએ.
ઘરમાં રહી રહેલા દર્દીએ દિવસમાં બે વાર તાવ અને ઓક્સીજનનાં સ્તરની ચકાસણી કરવી જોઈએ. શરીરનું તાપમાન 100 ફેરેનહાઈટની ઉપર ન જવું જોઈએ. ઓક્સીમીટરમાં ઓક્સીજનનું સ્તર ચેક કરો, SpO2 રેટ 94 ટકાથી ઓછું ન હોવું જોઈએ. આ સાથે અગર તમને કોઈ અન્ય બિમારી હોય તો પણ તેનો ઈલાજ સાથે ચાલું રાખવો જોઈએ. આઈસોલેશનનાં આ સમયમાં શરાબ, સ્મોકિંગ કે કોઈ નશીલી વસ્તુનો ઉપયોગ સદંતર ટાળવો જોઈએ. ડોક્ટરની સલાહનું પાલન કરવું જોઈએ અને નિયમિત રીતે દવા લેવી જોઈએ
કેવો હોવો જોઈએ ડાયેટ પ્લાન-
કોરોનાનાં દર્દીઓએ ઘરે બનાવેલા તાજા અને સાદું ભોજનનો જ આગ્રહ રાખવો જોઈએ. મોસંબી, નારંગી અને સંતરા જેવા તાજા ફળ, બીન્સ, દાળ જેવા પ્રોટીનથી ભરપુર આહારને લેવો જોઈએ. ખાવામાં આદુ, લસણ, હળદર જેવા મસાલાનો ખાસ ઉપયોગ કરે અને દિવસમાં 8 થી 10 ગ્લાસ પાણી પીવું જોઈએ.