કોરોનાએ બદલી શિક્ષણની પધ્ધતિ, વિધાર્થીઓ વળ્યા ઓનલાઇન શિક્ષણ તરફ
કોરોના વાયરસના સંક્રમણના કારણે દેશમાં શિક્ષણની પધ્ધતિ બદલાઇ વિધાર્થીઓ વળ્યા ઓનલાઇન શિક્ષણ તરફ સરકારે મિલાવ્યો શૈક્ષણિક સંસ્થા સાથે હાથ.
કોરોના વાયરસના સંક્રમણના કારણે દેશમાં શિક્ષણ ક્ષેત્રને ખૂબ જ મોટો ફટકો પડ્યો છે કેટલીય શાળા કોલેજો બંધ કરવાની ફરજ પડી છે ત્યારે ઓનલાઇન શિક્ષણને ભાર આપવા માટે સરકાર અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે હાથ મિલાવી રહી છે.
આંતરાષ્ટ્રીય કોલેજો, સ્વદેશી શૈક્ષણિક સંસ્થાઓ ઓનલાઇન એજ્યુકેશનનો વ્યાપ વધારી રહી છે. સરકારના આંકડા મુજબ 35M વિધાર્થીઓએ ઉચ્ચશિક્ષણ માટે એડમિશન લીધું છે. કુલ વસ્તીના માત્ર 26 ટકા વિધાર્થીઓ દ્વારા એડમિશન લેવામાં આવ્યું છે. 2000માં તે આંકડો 8M હતો. જો કે સરકાર આ આંકડાને 2035 સુધી 50 ટકા સુધી લઇ જવા ઇચ્છે છે. જો કે ભારતમાં અનેક સારી યુનિવર્સિટી આવેલી છે.2000 ની સાલ પછી એક ડેટા મુજબ અંદાજે રોજ ભારતમાં 4 કોલેજ ઉમેરાય છે. ઉલ્લેખનીય છે કે કોરોનાકાળ દરમિયાન સરકાર દ્વારા અનેક શૈક્ષણિક સંસ્થાઓ સાથે મળીને પ્રોફેશનલ્સ તેમજ અંડર ગ્રેજ્યુએટ અને પીજીના ઓનલાઇન કોર્ષ શરુ કરવામાં આવ્યા છે. આ કોર્ષમાં ડિજિટલ માર્કેટીંગ, મોબાઇલ જર્નાલિઝલ સહિત અનેક કોર્ષનો સમાવેશ થાય છે.