AHMEDABAD : ઓક્સિજનના બાટલાની ડિમાન્ડ વધતા ભાવ ડબલ થઇ ગયા, શું ઓક્સિજનની અછતને પગલે મૃત્યુદર વધ્યો ?
AHMEDABAD : શહેરમાં હવે લોકો કોરોના વાઈરસથી વધારે તેનાથી બચવા માટે વપરાતા મશીનો તેમજ ઈન્જેક્શનની અછતના કારણે મરી રહ્યા છે. અમદાવાદમાં હાલમાં CIVIL, SVPથી લઈને તમામ ખાનગી હોસ્પિટલોમાં બેડ ખુટી રહ્યાં છે.
AHMEDABAD : શહેરમાં હવે લોકો કોરોના વાઈરસથી વધારે તેનાથી બચવા માટે વપરાતા મશીનો તેમજ ઈન્જેક્શનની અછતના કારણે મરી રહ્યા છે. અમદાવાદમાં હાલમાં CIVIL, SVPથી લઈને તમામ ખાનગી હોસ્પિટલોમાં બેડ ખુટી રહ્યાં છે. તો બીજી બાજું રેમડેસિવિર ઇન્જેકશન અને ICUની પણ અછત ઉભી થઇ છે. આ બાદ હવે વધુ એક નવી મુશ્કેલી સામે આવી રહી છે. હાલમાં દર્દીઓને સૌથી વધુ Oxygenની જરૂર પડી રહી છે, ત્યારે હવે અમદાવાદ શહેરમાં Oxygen ડિમાન્ડ વધતા તેના ભાવમાં પણ વધારો થઈ ગયો છે. Oxygenમાં વાપરવામાં આવતું મશીન કે જે પહેલા માત્ર 200 રૂપિયામાં ભાડે મળતું હતું. તેની કિંમત અત્યારે 1200 રૂપિયાની આસપાસ થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે.
સામાન્ય વ્યક્તિને 10 હજાર કેમ પરવડે ? સાથે જ PRIVATE હોસ્પિટલોમાં Oxygenના બાટલા માટે પણ ડબલ રૂપિયા ચુકવવામાં આવી રહ્યાં છે. હાલમાં Oxygenની એક બોટલ 10 હજારની આસપાસમાં વેચાતી હોવાનું ખુલ્યું છે. જેની સામાન્ય દિવસોમાં 5 હજાર રૂપિયા કિંમત લેવામાં આવતી હતી. એટલે કે કોરોનામાં Oxygenની જરૂરિયાત વધતા ભાવમાં પણ ડબલ વધારો કરી દેવામાં આવ્યો છે. આ સ્થિતિમાં સામાન્ય વ્યક્તિ આટલો ખર્ચ કેવી રીતે કરી શકશે. જેના કારણે અનેક લોકોના રોજ મોત નિપજતા હોવાનું પણ સામે આવી રહ્યું છે.
મીની Oxygenની ડિમાંડ વધી હાલમાં સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં Oxygenના બાટલાની અછત સર્જાઈ રહી છે. જેના કારણે હવે માર્કેટમાં એક બોટલના પણ ડબલથી વધારે રૂપિયા લેવામાં આવે છે. હાલમાં નવા સ્ટ્રેનમાં દર્દીઓને સૌથી વધુ ફેફસાં પર અસર થઈ રહી છે. જેને બચાવવા માટે Oxygenની વધારે જરૂર પડી રહી છે. કેટલાક લોકો તો ડબલ પૈસા આપી મીની Oxygen ખરીદીને ઘરે જ દર્દીઓની સારવાર કરી રહ્યા છે. કારણ કે હાલમાં ડબલ પૈસા આપે પણ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં એક બેડની જગ્યા મળવી પણ મુશ્કેલ બની રહી છે.
ઓક્સિજનની અછત, મૃત્યુદરમાં વધારો ગુજરાતમાં કોરોના હવે હાહાકાર મચાવી રહ્યો છે. નવા કેસોમાં રોજે રોજ નવા રેકોર્ડબ્રેક કરી રહ્યા છે. ગઈકાલે પહેલીવાર કોરોનાના કેસનો આંકડો 7 હજારને પાર થયો છે અને ઓલટાઈમ હાઈ નવા કેસ નોધાયા છે. ત્યારે ઓક્સિજન, રેમડેસિવિર ઇન્જેકશન અને આઇસીયુની અછતને પગલે મૃત્યુદર વધી રહ્યો હોવાનું મનાઇ રહ્યું છે.