Curfew in Goa : ગોવામાં 9 મેં થી 15 દિવસનો કર્ફ્યુ લાગુ, અન્ય રાજ્યમાંથી કોવીડ નેગેટીવ રીપોર્ટ વગર પ્રવેશ નહિ

Curfew in Goa : ગોવા સરકારે શુક્રવારે કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે 9 મેથી રાજ્યમાં 15 દિવસીય કર્ફ્યુ લાદવાની જાહેરાત કરી છે.

Curfew in Goa : ગોવામાં 9 મેં થી 15 દિવસનો કર્ફ્યુ લાગુ, અન્ય રાજ્યમાંથી કોવીડ નેગેટીવ રીપોર્ટ વગર પ્રવેશ નહિ
FILE PHOTO
Follow Us:
| Updated on: May 07, 2021 | 9:29 PM

Curfew in Goa : ગોવા સરકારે શુક્રવારે કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે 9 મેથી રાજ્યમાં 15 દિવસનો કર્ફ્યુ લાદવાની ઘોષણા કરી છે. બીજા નિર્ણયમાં અન્ય રાજ્યોમાંથી આવનારા લોકો માટે કોવિડ-19 નો નેગેટીવ રીપોર્ટ અહેવાલ અથવા રસીકરણનું પ્રમાણપત્ર લાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે.

ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંતે જણાવ્યું હતું કે કર્ફ્યુ (Curfew in Goa) દરમિયાન કરિયાણાની દુકાનો સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી ખુલી રહી શકે છે, જ્યારે દવાની દુકાનો અને અન્ય તબીબી સુવિધાઓ પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે ગોવા સરકારને કર્ફ્યુ લાદવાનો નિર્ણય લેવો પડ્યો કારણ કે લોકો હાલના પ્રતિબંધોને અવગણી રહ્યા છે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

“સંભવત 25 ટકા લોકોએ ઘરની બહાર જવું પડે છે. પરંતુ આપણે લોકોને બિનજરૂરી રીતે બહાર ફરતા જોયા છે.” તેમણે કહ્યું કે રાજ્યમાં આવતા પ્રવાસીઓ માટે કોવિડ-19 નો નેગેટીવ રીપોર્ટ અહેવાલ અથવા રસીકરણનું પ્રમાણપત્ર લાવવું ફરજિયાત રહેશે.

ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંત ( CM PRAMOD SAWANT) એ  કહ્યું હતું કે લગ્ન સહિતના તમામ કાર્યક્રમો કર્ફ્યુ (Curfew in Goa) દરમિયાન રદ્દ કરવા જોઈએ કારણ કે આવી ઘટનાઓ વાયરસ ફેલાવવામાં ફાળો આપી રહી છે. ગોવામાં ગુરૂવારે કોવિડ -19 ના સૌથી વધુ 3,869 નવા કેસો નોંધાયા છે, જ્યારે 58 લોકોનાં મોત નીપજ્યાં છે.

ગોવામાં 7 મે શુક્રવારના દિવસે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 4195 નવા કેસ નોંધાયા હતા, જેમાં વધુ 56 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા અને 2175 લોકો કોરોનાથી મુક્ત થઇ સ્વસ્થ થયા હતા. ગોવામાં કોરોનાના 31,716 સક્રિય કેસ છે. ગોવામાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 1,12,462 કેસ નોંધાયા છે.

ગોવામાં કર્ફ્યુ દરમિયાન શું ખુલ્લું રહેશે ? ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંતે કહ્યું છે કે આ ગોવામાં કર્ફ્યુ (Curfew in Goa) ના સમયગાળા દરમિયાન તબીબી પુરવઠો સહિત આવશ્યક સેવાઓની મંજૂરી આપવામાં આવશે. કરિયાણાની દુકાનોને સવારે સાત વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી ખોલવાની મંજૂરી આપવામાં આવશે. રેસ્ટોરન્ટમાંથી ફૂડ ડીલીવરીની પરવાનગી સવારે સાત વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી આપવામાં આવશે.

આ ઉપરાંત ગોવામાં આવતા મુસાફરોને આરટી-પીસીઆર નકારાત્મક અહેવાલ અથવા રસીકરણ પ્રમાણપત્ર (બંને ડોઝ) રજૂ કરવું ફરજિયાત રહેશે. સાવંતે જણાવ્યું હતું કે રાજ્યમાં એક્ટીવ કેસો અને મૃત્યુ દર બંને વધી રહ્યા છે. અહીં ઓક્સિજન અને દવાઓનો અભાવ નથી. મુખ્યમંત્રીએ કહ્યું કે 8 મે શનિવારના દિવસે બપોરે ચાર વાગ્યે આ સંદર્ભે એક વિગતવાર આદેશ આપવામાં આવશે.

Latest News Updates

નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
g clip-path="url(#clip0_868_265)">