સિવિલ સર્વિસિસ માટે તૈયાર કરાવે છે ધોરણ સાતનું બાળક! CM યોગીએ પણ કર્યા વખાણ
યશવર્ધન યુપી બોર્ડના ધોરણ 7નો વિદ્યાર્થી છે પરંતુ સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી માટે તૈયારી કરાવે છે. સીએમ યોગી પણ તેની પ્રતિભાના ચાહક બની ગયા છે. યશવર્ધનને સીધા જ 9માં પ્રમોશન આપવામાં આવ્યું છે.
ઉંમર 11 વર્ષ… ધોરણ 7… નામ- યશવર્ધન સિંહ… આ કોઈ સામાન્ય બાળક નથી, અનોખું બાળક છે. તમે તેની પ્રતિભાનો અંદાજો એ વાત પરથી લગાવી શકો છો કે યશવર્ધન પોતે સાતમાં ધોરણમાં ભણે છે, પરંતુ તેની ઉંમરના બમણા કરતાં વધુ લોકોને સિવિલ સર્વિસની તૈયારી કરાવે છે. યશવર્ધન ઉત્તર પ્રદેશના કાનપુરનો રહેવાસી છે. યુપી બોર્ડનો આ વિદ્યાર્થી લાંબા સમયથી સિવિલ સર્વિસ કોચિંગ આપે છે. તેની અનોખી પ્રતિભા જોઈને યુપી બોર્ડે યશવર્ધનને સીધા ધોરણ 9માં પ્રમોટ કરવાનો નિર્ણય લીધો છે.
રિપોર્ટ અનુસાર યશવર્ધન સિંહનો IQ 129 છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ યશવર્ધનની પ્રતિભાના ચાહક છે. સપ્ટેમ્બરમાં જ સીએમ યોગીએ યશવર્ધનની પ્રશંસા કરી હતી અને તેમનું સન્માન કર્યું હતું. હવે ઉત્તર પ્રદેશ માધ્યમિક શિક્ષણ બોર્ડે યશવર્ધનને 7મા પછી સીધા ધોરણ 9માં પ્રવેશ લેવાની વિશેષ પરવાનગી આપી છે. કહેવામાં આવ્યું છે કે, બાળકના ઉચ્ચ બૌદ્ધિક સ્તરને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
તે મુજબ, યશવર્ધન 2024માં 10માની બોર્ડની પરીક્ષા આપશે. જ્યારે તે 13 વર્ષનો હશે. નિયમો અનુસાર, યુપી બોર્ડની ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં બેસવાની લઘુત્તમ ઉંમર 14 વર્ષ છે.
લંડનમાં સન્માન, પોસ્ટલ સ્ટેમ્પ પણ યશવર્ધનના નામે
લંડનની સંસ્થા હાર્વર્ડ રેકોર્ડ્સ દ્વારા યશવર્ધનને યંગેસ્ટ હિસ્ટોરીયન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ સિવાય તેમના નામે એક ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવી છે.
Uttar Pradesh | The meritorious 11-year-old Yashvardhan Singh of Kanpur will get direct admission in class 9 from class 7 in the current session itself. The Uttar Pradesh Board of Secondary Education has taken this decision in view of his high intellectual level (03.11) pic.twitter.com/XeLq2bfWpc
— ANI UP/Uttarakhand (@ANINewsUP) November 4, 2022
11 વર્ષના યશવર્ધનના પિતા અંશુમાન સિંહ કહે છે, ‘તેનામાં શરૂઆતથી જ ખાસ પ્રતિભા છે. હવે તેણે સિવિલ સર્વિસની તૈયારી પણ શરૂ કરી દીધી છે. આટલી નાની ઉંમરમાં તે આટલું સારું કામ કરી રહ્યો છે. આ જોઈને ખૂબ આનંદ થાય છે.’ અંશુમન ફિઝિયોથેરાપિસ્ટ છે. પ્રમોશનની સાથે યશવર્ધનનું એડમિશન પણ બીજી સ્કૂલમાં કરવામાં આવશે.