Tripura Buddhist University: ત્રિપુરામાં બનશે બૌદ્ધ યુનિવર્સિટી, રાજ્ય સરકારે આપી લીલી ઝંડી

Tripura Buddhist University: ત્રિપુરા સરકારે શનિવારે સબરૂમ શહેરમાં મનુ બાંકુલ ખાતે બૌદ્ધ યુનિવર્સિટીની સ્થાપનાને મંજૂરી આપી છે.

Tripura Buddhist University: ત્રિપુરામાં બનશે બૌદ્ધ યુનિવર્સિટી, રાજ્ય સરકારે આપી લીલી ઝંડી
Tripura Buddhist University
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 12, 2021 | 10:51 AM

Tripura Buddhist University: ત્રિપુરા સરકારે શનિવારે સબરૂમ શહેરમાં મનુ બાંકુલ ખાતે બૌદ્ધ યુનિવર્સિટીની સ્થાપનાને મંજૂરી આપી છે. જેની માહિતી અધિકારીઓ દ્વારા આપવામાં આવી છે.

તેઓએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીની સ્થાપના માટે રાજ્ય સરકારે બહુજન હિતાય એજ્યુકેશન ટ્રસ્ટને પત્ર લખ્યો છે. આ યુનિવર્સિટીની સ્થાપના બાદ 31 દેશોના વિદ્યાર્થીઓને બૌદ્ધ સાહિત્ય, સંસ્કૃતિ અને પરંપરાના અભ્યાસની સાથે સંશોધન કરવાની તક મળશે.

આ ઉપરાંત કેમ્પસમાં મેડિકલ, ટેકનિકલ અને અન્ય જનરલ ડિગ્રી કોલેજો સ્થાપવાનું પણ આયોજન છે. ઉચ્ચ શિક્ષણ નિયામક નૃપેન્દ્ર ચંદ્ર શર્માએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે દક્ષિણ ત્રિપુરા જિલ્લાના સબરૂમ પેટાવિભાગમાં મનુ બાંકુલ ખાતે બૌદ્ધ યુનિવર્સિટીની સ્થાપના માટે પહેલેથી જ ઉદ્દેશ્ય પત્ર આપી દીધો છે.

ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત

એક-બે મહિનામાં શિલાન્યાસ થશે

તેમણે કહ્યું કે, હવે સંસ્થાએ સૂચિત સ્થળ પર જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે વહેલી તકે વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (ડીપીઆર) તૈયાર કરવો પડશે. તેમણે કહ્યું કે, જરૂરી સુવિધાઓ ઉભી થતાં જ સરકાર યુનિવર્સિટીની સ્થાપના માટે વિધાનસભામાં બિલ લાવશે. સબરૂમના ધારાસભ્ય શંકર રાયે જણાવ્યું કે યુનિવર્સિટીની સ્થાપના માટે બૌદ્ધ સંસ્થાને 25 એકર જમીન આપવામાં આવી છે. જો બધું યોગ્ય રીતે કરવામાં આવશે તો એકાદ-બે મહિનામાં આ પ્રોજેક્ટનો શિલાન્યાસ થઈ જશે.

સાહિત્ય, સંસ્કૃતિ અને પરંપરાને પ્રોત્સાહન મળશે

હાલમાં, ત્રિપુરામાં ત્રિપુરા યુનિવર્સિટી છે, જે એક કેન્દ્રીય યુનિવર્સિટી છે, રાજ્ય સંચાલિત MBB યુનિવર્સિટી અને ખાનગી માલિકીની ICFAI યુનિવર્સિટી છે. આ બૌદ્ધ વિશ્વવિદ્યાલયમાંથી સાહિત્ય, સંસ્કૃતિ અને પરંપરાના અભ્યાસની સાથે-સાથે અનેક તકો મળશે. જેના કારણે શિક્ષણની સાથે સંસ્કૃતિ અને પરંપરાનો પણ પ્રચાર થશે. ટૂંક સમયમાં બૌદ્ધ યુનિવર્સિટીની સ્થાપના માટે કામગીરી શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચો: Exam Tips: બાળકોની પરીક્ષા વખતે માતા-પિતાએ આ બાબતોનું રાખવું જોઈએ ખાસ ધ્યાન, મળશે સફળતા

આ પણ વાંચો: ‘પાટીદાર આંદોલનના કેસ પરત ખેંચો, તો અન્ય આંદોલનના પણ પરત ખેંચો’, આ કોંગ્રેસ MLA એ કરી માગ

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">