2023ની શરુઆતમાં 71000 લોકોને મળી સરકારી નોકરી, PMએ કહ્યું- હજુ લાખો નોકરીઓ ઉપલબ્ધ થશે

આ અવસરે વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા યુવાનોને આજે સંબોધિત કર્યા હતા. તેમજ આ ભરતી મેળામાં પસંદગી પામેલ યુવાનોને નિમણૂક પત્ર આપ્યા છે.

2023ની શરુઆતમાં 71000 લોકોને મળી સરકારી નોકરી, PMએ કહ્યું- હજુ લાખો નોકરીઓ ઉપલબ્ધ થશે
PM Modi addressed the youth
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 20, 2023 | 12:41 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 જાન્યુઆરી એટલે કે આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 10 લાખ કર્મચારીઓ માટે “ભરતી મેળા”ની શરુઆત કરી છે. ત્યારે ભરતી મેળા અભિયાન અંતર્ગત લગભગ 71,000 યુવાનોને અપોઈનમેન્ટ લેટર આપ્યા છે. આ અવસરે વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા યુવાનોને આજે સંબોધિત કર્યા હતા. તેમજ આ ભરતી મેળામાં પસંદગી પામેલ યુવાનોને નિમણૂક પત્ર આપ્યા છે. આ પ્રસંગે પીએમે યુવાનોને સંબોધતા કહ્યું કે, અમારી સરકાર જે કહે છે તે કરે છે અને આ જોબ ફેર તેનું ઉત્તમ ઉદાહરણ છે.

ભરતી મેળામાં PM મોદીનું સંબોધન

નવા વર્ષની શરુઆત સાથે જ વર્ષનો પહેલો ભરતી મેળો દેશભરમાં યોજાઈ રહ્યો છે. ત્યારે PM નરેન્દ્ર મોદીએ કાર્યક્રમની શરૂઆતમાં વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવા ભરતી થયેલા લોકો સાથે વાતચીત કરી હતી. આ પ્રસંગે પીએમે યુવાનોને સંબોધતા કહ્યું કે અમારી સરકાર જે કહે છે તે કરે છે અને આ જોબ ફેર તેનું ઉત્તમ ઉદાહરણ છે. પીએમે પોતાના સંબોધનમાં કહ્યું કે આ રોજગાર મેળો આપણા સુશાસનની ઓળખ છે. તેમણે કહ્યું કે અમે 70 હજારથી વધુ લોકોને રોજગાર આપવાની વાત જ નથી કરી, પરંતુ કરીને બતાવી પણ દીધું છે. પીએમે કહ્યું કે બદલાતા ભારતમાં માત્ર રોજગાર જ નહીં પરંતુ સ્વ-રોજગારનું સ્તર પણ વધ્યું છે.

ભરતી પ્રક્રિયા સમયબદ્ધ અને સુવ્યવસ્થિત-PM મોદી

વડાપ્રધાન મોદીએ કહ્યું કે એક સમય હતો જ્યારે વિવિધ કારણોસર નિયમિત પ્રમોશન પણ રોકી દેવામાં આવતું હતું. તેમણે કહ્યું કે હવે કેન્દ્ર સરકારની ભરતી પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યા છે. હવે, કેન્દ્ર સરકારમાં ભરતી પ્રક્રિયા વધુ સમયબદ્ધ અને સુવ્યવસ્થિત છે.

ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

આ જગ્યાઓ પર નોકરીની તક

PMOએ કહ્યું કે દેશભરમાંથી પસંદ કરાયેલા યુવાનોને ભારત સરકાર હેઠળના વિભાગોમાં કામ કરવાની તક મળશે. રોજગાર મેળા હેઠળ જુનિયર એન્જિનિયર, લોકો પાઇલટ, ટેકનિશિયન, ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટર, કોન્સ્ટેબલ, સ્ટેનોગ્રાફર, જુનિયર એકાઉન્ટન્ટ, ગ્રામીણ ડાક સેવક, આવકવેરા નિરીક્ષક, શિક્ષક, નર્સ, ડૉક્ટર, સામાજિક સુરક્ષા અધિકારી, PA અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ જેવી વિવિધ પોસ્ટ્સ આપવામાં આવશે.

71,000 યુવાનોને PM આપ્યું નિમણૂક પત્ર

વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે, રોજગાર મેળો રોજગાર નિર્માણને સર્વોચ્ચ અગ્રતા આપવાની વડા પ્રધાનની પ્રતિબદ્ધતાને પરિપૂર્ણ કરવા તરફનું એક પગલું છેઆવતીકાલનો દિવસ 71000 યુવાનો માટે ખાસ છે. આવતીકાલે એટલે કે 20 જાન્યુઆરી, 2023ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોજગાર મેળો 2023 હેઠળ પસંદ કરાયેલા ઉમેદવારોને નિમણૂક પત્રો આપશે. PM મોદી સવારે 10:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દેશના રોજગાર મેળા 2023 કાર્યક્રમમાં ભાગ લેશે.

 ઓરિએન્ટેશન કોર્સનું પણ આયોજન

રોજગાર મેળા કાર્યક્રમ દરમિયાન, નવનિયુક્ત એમ્પલોયને ‘કર્મયોગી પ્રારંભ મોડ્યુલ’ વિશે તેમના અનુભવો પણ શેર કરશે. કર્મયોગી પ્રારંભ મોડ્યુલએ વિવિધ સરકારી વિભાગોમાં નવા ભરતી થયેલા તમામ કર્મચારીઓ માટે ઓનલાઈન ઓરિએન્ટેશન કોર્સ છે. આમાં સરકારી કર્મચારીઓ માટે આચાર સંહિતા, કાર્યસ્થળની નૈતિકતા, અખંડિતતા અને માનવ સંસાધન નીતિઓનો સમાવેશ થાય છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">