CBSE માર્કિંગ સ્કીમને સુપ્રીમ કોર્ટે આપી લીલી ઝંડી, હવે બીજી તક નહીં મળે, જાણો તમામ વિગતો

CBSE Latest news: સુપ્રીમ કોર્ટે 12મા બોર્ડની પરીક્ષા માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા નિર્ધારિત માર્કિંગ સ્કીમને લીલી ઝંડી આપી દીધી છે.

CBSE માર્કિંગ સ્કીમને સુપ્રીમ કોર્ટે આપી લીલી ઝંડી, હવે બીજી તક નહીં મળે, જાણો તમામ વિગતો
CBSE marking scheme,
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 07, 2021 | 2:18 PM

CBSE Latest news: સુપ્રીમ કોર્ટે 12મા બોર્ડની પરીક્ષા માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા નિર્ધારિત માર્કિંગ સ્કીમને લીલી ઝંડી આપી દીધી છે. સર્વોચ્ચ અદાલતે CBSE બોર્ડના આ મૂલ્યાંકન ફોર્મ્યુલાને યોગ્ય ઠેરવતા તેની મંજૂરી આપી છે.

સાથે જ એમ પણ કહેવામાં આવ્યું છે કે, આ મામલે કોઈપણ અરજી સ્વીકારવામાં આવશે નહીં. કોર્ટે કહ્યું છે કે, હવે CBSE માર્કિંગ સ્કીમનો મામલો કોઈ પણ સંજોગોમાં ફરી ખોલવામાં આવશે નહીં.

સુપ્રીમ કોર્ટે શું કહ્યું

જસ્ટિસ એએમ ખાનવિલકર અને જસ્ટિસ સીટી રવિકુમારની બેન્ચે CBSE ક્લાસ 12 એસેસમેન્ટ ફોર્મ્યુલા અને માર્કિંગ સ્કીમ 2021 પર દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી. ખંડપીઠે કહ્યું કે ‘અમે તે સંપૂર્ણપણે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે જ્યાં સુધી CBSE માર્કિંગ ફોર્મ્યુલાનો સંબંધ છે, તે તેના અંતિમ સ્વરૂપ પર પહોંચી ગયો છે. આ અંગે વધુ સુનાવણી થશે નહીં.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

નોંધપાત્ર રીતે, સુપ્રીમ કોર્ટે 17 જૂન 2021 ના ​​રોજ CBSE અને CISCE દ્વારા 12મા બોર્ડ માટે 30:30:40 ફોર્મ્યુલાને મંજૂરી આપી હતી. જેમાં 12મા બોર્ડના વિદ્યાર્થીઓનું ધોરણ 10ના પ્રદર્શનના 30 ટકા, 11માં 30 ટકા અને 12માના 40 ટકા માર્કસ પર મૂલ્યાંકન કરવાની જોગવાઈ કરવામાં આવી હતી.

શું મામલો છે

કોવિડ રોગચાળાને કારણે CBSE બોર્ડ પરીક્ષા 2021 યોજાઈ શકી નથી. વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને, CBSE એ બોર્ડની પરીક્ષાઓ લીધા વિના 10મા અને 12માના વિદ્યાર્થીઓના પરિણામ તૈયાર કરવા માટે નવી માર્કિંગ ફોર્મ્યુલા નક્કી કરી હતી. બોર્ડ દ્વારા તેને સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું, જ્યાં તેને સર્વોચ્ચ અદાલતે મંજૂરી આપી હતી. આ જ ફોર્મ્યુલાના આધારે CBSE બોર્ડ પરિણામ 2021 બહાર પાડવામાં આવ્યું હતું. હવે કેટલાક વાલીઓ, વિદ્યાર્થીઓએ તે ફોર્મ્યુલાને પડકારી અને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી. જેને કોર્ટે ફગાવી દીધી હતી.

આ પણ વાંચો: BEL Recruitment 2021: ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરવી અરજી

આ પણ વાંચો: HAL Recruitment 2021: એન્જીનીયરીંગ ડીગ્રી કે ડીપ્લોમા કરેલ માટે એપ્રેન્ટીસશીપ માટે ભરતી, જાણો તમામ વિગતો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">