Pariksha Pe Charcha 2022: ‘પરીક્ષા પે ચર્ચા’ માટે રજિસ્ટ્રેશન આજથી શરૂ, જાણો કેવી રીતે કરવી અરજી

Pariksha Pe Charcha: PM નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કરશે, જેની જાહેરાત તેમણે મન કી બાતમાં કરી હતી. દર વર્ષે પીએમ મોદી વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કરે છે.

Pariksha Pe Charcha 2022: 'પરીક્ષા પે ચર્ચા' માટે રજિસ્ટ્રેશન આજથી શરૂ, જાણો કેવી રીતે કરવી અરજી
PM Narendra Modi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 28, 2021 | 10:51 AM

Pariksha Pe Charcha: PM નરેન્દ્ર મોદી (PM Narendra Modi) વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કરશે, જેની જાહેરાત તેમણે મન કી બાતમાં કરી હતી. દર વર્ષે પીએમ મોદી વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કરે છે. આ વર્ષે પણ પીએમ મોદી વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કરવાના છે, જેના માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા આજથી એટલે કે 28 ડિસેમ્બરથી શરૂ થઈ ગઈ છે. વિદ્યાર્થીઓ mygov.in પર જઈને નોંધણી કરાવી શકે છે. આ પ્રક્રિયા 28 ડિસેમ્બરથી 20 જાન્યુઆરી સુધી ચાલશે. આ માટે ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો નોંધણી કરાવી શકે છે.

રિપોર્ટ અનુસાર, ગયા વર્ષે ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ માટે 2.62 લાખ શિક્ષકો અને 93,000 વાલીઓએ પણ નોંધણી કરાવી હતી. કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને, ગયા વર્ષે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ ઓનલાઈન કરવામાં આવ્યો હતો. દર વર્ષે પીએમ મોદી ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે વાર્તાલાપ કરે છે.

આ રીતે કરો રજિસ્ટ્રેશન

  1. MyGov. mygov.in ની સત્તાવાર સાઇટની મુલાકાત લો.
  2. હોમ પેજ પર ઉપલબ્ધ અભિયાન લિંક પર ક્લિક કરો.
  3. એક નવું પેજ ખુલશે જ્યાં ઉમેદવારો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશે.
  4. વિગતો દાખલ કરો અને સબમિટ પર ક્લિક કરો.
  5. તમારી અરજી સબમિટ કરવામાં આવી છે.
  6. એકવાર થઈ ગયા પછી સબમિટ પર ક્લિક કરો.
  7. વધુ જરૂરિયાત માટે તેની હાર્ડ કોપી તમારી પાસે રાખો.

ઓનલાઈન સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવશે

PM મોદીએ મન કી બાતમાં દેશને સંબોધિત કરતા કહ્યું કે પરીક્ષા પે ચર્ચા (Pariksha Pe Charcha) માટે 9 થી 12 ધોરણના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ માટે ઓનલાઈન સ્પર્ધા (online competition) પણ યોજવામાં આવશે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

તમને જણાવી દઈએ કે, પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત પીએમ મોદી દેશના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે બોર્ડની પરીક્ષા અંગે ચર્ચા કરે છે. આ કાર્યક્રમ વર્ષ 2022ની 10મી-12મી બોર્ડની પરીક્ષા પહેલા આયોજિત થવાનો છે. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે દર વર્ષની જેમ આગામી વર્ષની શરૂઆતમાં પરીક્ષા પર ચર્ચા થશે.

આ પણ વાંચો: CLAT 2022 Registration: 1 જાન્યુઆરીથી CLAT માટે રજિસ્ટ્રેશન કરાવી શકશો, જાણો ક્યારે યોજાશે પરીક્ષા

આ પણ વાંચો: UPSC Success Story: સતત અનેક નિષ્ફળતાઓ છતાં રાહુલે કરી જોરદાર તૈયારી, આ રીતે બન્યા IAS ટોપર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">