NTA 15 સપ્ટેમ્બર સુધીમાં જાહેર કરશે CUET-UG પરિણામ, UGC ચીફે લગાવી તારીખ પર મહોર

સીયુઈટી યુજી પરિણામ 2022 (CUET UG Result 2022) ઓફિશિયલ વેબસાઇટ cuet.samarth.ac.in દ્વારા ચેક કરી શકાશે.

NTA 15 સપ્ટેમ્બર સુધીમાં જાહેર કરશે  CUET-UG પરિણામ, UGC ચીફે લગાવી તારીખ પર મહોર
CUET Result
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 09, 2022 | 4:24 PM

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ-અંડરગ્રેજ્યુએટ (CUET-UG) 2022ની પરીક્ષાનું પરિણામ 15 સપ્ટેમ્બર સુધીમાં જાહેર કરે તેવી શક્યતા છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી)ના ચીફ એમ જગદીશ કુમારે આ જાણકારી આપી છે. તેમને એમ પણ કહ્યું છે કે પરિણામ થોડા દિવસ પહેલા પણ જાહેર થઈ શકે છે. સીયુઈટી યુજી પરીક્ષાના છ ફેઝ પૂરા થયા છે. આ વર્ષે લગભગ 15 લાખ વિદ્યાર્થીઓએ એન્ટ્રન્સ ટેસ્ટ આપી હતી. એકવાર પરિણામ જાહેર થઈ પછી તે ઓફિશિયલ વેબસાઇટ cuet.samarth.ac.in પર જઈને ચેક કરી શકાય છે.

યુજીસી ચીફ જગદીશ કુમારે કહ્યું, ‘નેશનલ ટેસ્ટિંગ એજન્સી સીયુઈટી-યુજી પરિણામ 15 સપ્ટેમ્બર સુધીમાં જાહેર કરી શકે છે અથવા જો શક્ય હશે તો પરિણામ એક-બે દિવસ પહેલા પણ જાહેર કરી શકાય છે.’ તેમને કહ્યું, ‘તમામ ભાગ લેનાર યુનિવર્સિટીઓએ સીયુઈટી-યુજી સ્કોર્સના આધારે યુજી પ્રવેશ પ્રક્રિયા માટે તેમના પોર્ટલ તૈયાર કરવા જોઈએ.’ ઓફિશિયલ વેબસાઇટ દ્વારા પરિણામ ચેક કરી શકાય છે. તેમજ ઉમેદવારો તેમના રોલ નંબર અને ડેટ ઓફ બર્થનો જેવી લોગિન ક્રેડેંશિયલનો ઉપયોગ કરીને તેમનું સ્કોરકાર્ડ ડાઉનલોડ કરી શકે છે.

કેવી રીતે ડાઉનલોડ કરવું તમારું પરિણામ?

સીયુઈટી યુજી 2022 પરિણામ ડાઉનલોડ કરવા ઉમેદવારોએ cuet.samarth.ac.in પર જવું પડશે. અહીં તેઓએ તેમના લોગિન ક્રેડેંશિયલ દ્વારા લોગિન કરવાનું રહેશે. હવે તમે સ્ક્રીન પર સીયુઈટી યુજી 2022 નું પરિણામ જોઈ શકશો. તેઓ તેમના પરિણામની પ્રિન્ટઆઉટ પણ લઈ શકે છે. સીયુઈટી યુજી 2022 આન્સર કી બહાર જાહેર કરવામાં આવી છે. ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લઈને આન્સર કી પર ઓબ્જેક્શન ઉઠાવી શકે છે. તેમની પાસે ઓબ્જેક્શન ઉઠાવવા માટે 10 સપ્ટેમ્બર સુધીનો સમય છે. પ્રોવિઝનલ આન્સર કીનું મૂલ્યાંકન કર્યા પછી ફાઈનલ આન્સર કી બહાર પાડવામાં આવશે.

કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા

સીયુઈટી યુજીના છ તબક્કાઓ હેઠળ દેશમાં 60 ટકા કન્સોલિડેટેડ અટેંડેન્સ રેકોર્ડ કરવામાં આવી હતી. દેશભરની તમામ કેન્દ્રીય યુનિવર્સિટીઓ અને અન્ય ભાગ લેનાર યુનિવર્સિટીઓમાં અંડરગ્રેજ્યુએટ કોર્સમાં પ્રવેશ માટે એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવી હતી. આ વર્ષે સીયુઈટી-યુજી હેઠળ 90 યુનિવર્સિટીઓ પ્રવેશ લઈ રહી છે, જેમાં 43 કેન્દ્રીય યુનિવર્સિટીઓનો સમાવેશ થાય છે.

Latest News Updates

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">