NEET PG Counselling 2021: સુપ્રીમ કોર્ટે NEET PG કાઉન્સેલિંગને મંજૂરી આપી, OBC અને EWS અનામત થશે લાગુ

NEET PG 2021 કાઉન્સેલિંગ અને આરક્ષણના મામલે સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. સર્વોચ્ચ અદાલતે NEET PG કાઉન્સેલિંગ 2021ને મંજૂરી આપી છે.

NEET PG Counselling 2021: સુપ્રીમ કોર્ટે NEET PG કાઉન્સેલિંગને મંજૂરી આપી, OBC અને EWS અનામત થશે લાગુ
NEET PG Counseling 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 07, 2022 | 12:21 PM

NEET PG 2021 Counselling Supreme Court Order: NEET PG 2021 કાઉન્સેલિંગ અને આરક્ષણના મામલે સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. સર્વોચ્ચ અદાલતે NEET PG કાઉન્સેલિંગ 2021ને મંજૂરી આપી છે. એટલે કે હવે મેડિકલ પીજી એડમિશન 2021 માટે NEET PGનું કાઉન્સેલિંગ શરૂ કરી શકાશે. આ સિવાય સુપ્રીમ કોર્ટે NEET PG 2021માં OBC અનામત અને EWS ક્વોટા પર પણ નિર્ણય આપ્યો છે. જાણો કેસની સુનાવણી કરનાર જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ એએસ બોપન્નાની બેન્ચે શું કહ્યું?

ઓબીસી આરક્ષણ

NEET PG 2021માં પછાત વર્ગ આરક્ષણના મુદ્દા પર, સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ‘અમે OBC રિઝર્વેશન (NEET PG OBC reservation)ની માન્યતા જાળવી રહ્યા છીએ.’ એટલે કે OBC કેટેગરીના વિદ્યાર્થીઓને આ સમયથી જ એડમિશનમાં 27 ટકા અનામતનો લાભ મળશે.

EWS આરક્ષણ

NEET PG પ્રવેશ 2021માં (NEET PG admission 2021) આર્થિક રીતે નબળા વર્ગો એટલે કે EWS ક્વોટાના આરક્ષણ અંગે કેન્દ્ર સરકારના નિર્ણયને પણ હાલ પૂરતો યથાવત રાખવામાં આવ્યો છે. એટલે કે મેડિકલ પીજી એડમિશન 2021માં આરક્ષણનો લાભ એવા તમામ વિદ્યાર્થીઓને આપવામાં આવશે જેમની વાર્ષિક કૌટુંબિક આવક 8 લાખ રૂપિયા સુધી છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

સર્વોચ્ચ અદાલતે કહ્યું કે ‘હાલમાં 8 લાખની આવક મર્યાદા હેઠળ EWS આરક્ષણ આપી શકાય છે, જેથી આ શૈક્ષણિક સત્ર માટે પ્રવેશમાં કોઈ સમસ્યા ન આવે. જો કે, સુપ્રીમ કોર્ટ આ આવક મર્યાદા પર સુનાવણી ચાલુ રાખશે. માર્ચ 2022 માં, કોર્ટ આખરે નિર્ણય લેશે કે આ આવક મર્યાદા યોગ્ય છે કે નહીં.

શું છે સમગ્ર મામલો

નોંધનીય છે કે, કેન્દ્ર સરકારે NEET PG 2021માં 27 ટકા OBC અને 10 ટકા EWS અનામત આપવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ આ આરક્ષણ સંબંધિત નોટિસ જુલાઈમાં જાહેર કરવામાં આવી હતી, જ્યારે NEET PG 2021 માટેની અરજીઓ બંધ કરવામાં આવી હતી. પરીક્ષા એપ્રિલમાં યોજાવાની હતી, પરંતુ કોવિડ 19ને કારણે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારબાદ સપ્ટેમ્બર 2021માં લેવામાં આવી હતી. વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા હતા કે આ શૈક્ષણિક સત્ર એટલે કે મેડિકલ પીજી એડમિશન 2021થી OBC અને EWS આરક્ષણનો અમલ થવો જોઈએ નહીં.

આ સિવાય કેન્દ્ર સરકારે આર્થિક રીતે નબળા વર્ગને અનામત આપવા માટે વાર્ષિક પારિવારિક આવક મર્યાદા 8 લાખ રૂપિયા નક્કી કરી છે, જેનો વિરોધ થઈ રહ્યો છે. ઉમેદવારોનું કહેવું છે કે, 8 લાખ રૂપિયાની મર્યાદા ઘણી વધારે છે. આ EWS નો આધાર ન હોઈ શકે.

આ પણ વાંચો: UPSC Success Story: લગ્ન બાદ શરૂ કરી સિવિલ સર્વિસની તૈયારી, પ્રથમ પ્રયત્નમાં જ શહનાઝ બની IPS ઓફિસર

આ પણ વાંચો: Board Exams 2022: વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા પહેલા લેવી પડશે કોવિડ વેક્સિન, ICSEએ જાહેર કરી નોટિસ

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">