મહિન્દ્રા લોજિસ્ટિક્સ 14,000 કામચલાઉ કર્મચારીઓની કરશે ભરતી
મહિન્દ્રા લોજિસ્ટિક્સ (MLL) તહેવારોની સિઝનની માંગને પહોંચી વળવા ક્ષમતા વધારવા 14,000 થી વધુ કામચલાઉ હંગામી ધોરણે કર્મચારીઓની ભરતી કરવા માંગે છે.
મહિન્દ્રા લોજિસ્ટિક્સ (MLL) તહેવારોની સિઝનની માંગને પહોંચી વળવા ક્ષમતા વધારવા ઉપરાંત 14,000 થી વધુ કામચલાઉ હંગામી ધોરણે કર્મચારીઓની ભરતી કરવા માંગે છે. કંપનીએ મંગળવારે એક નિવેદનમાં આ માહિતી આપી હતી. કંપની આગામી તહેવારોની સીઝન દરમિયાન કુલ 11 લાખ ચોરસ ફૂટ વિસ્તાર સાથે આઠ મોટા શહેરોમાં પોપ-અપ સુવિધાઓ જેવા ઉકેલો ઉમેરી રહી છે.
એમએલએલે જણાવ્યું હતું કે, આ નવીનતાઓ તેના વધારાના પરિપૂર્ણતા કેન્દ્રો, સોર્ટ કેન્દ્રો તેમજ રિટર્ન પ્રોસેસિંગ કેન્દ્રોમાં ફેલાયેલા તેના ઈ-કોમર્સ ગ્રાહકોની જરૂરિયાતો પૂરી કરશે. આ ગ્રાહકોને કાર્યક્ષમ અને સમયસર ડિલિવરી સુનિશ્ચિત કરશે. તહેવારોની સિઝનની માંગને પહોંચી વળવા માટે કંપનીએ કામકાજ વધારવા માટે 14,000 થી વધુ કર્મચારીઓને હંગામી ધોરણે રાખવાની યોજના બનાવી છે. આ કર્મચારીઓ તેના થર્ડ પાર્ટી વર્કફોર્સમાં જોડાશે.
રેલવેએ ધોરણ 10 પાસ માટે બહાર પાડી બમ્પર ભરતી, પરીક્ષા વગર મળશે નોકરી
રેલવે ભરતી સેલ, પશ્ચિમ મધ્ય રેલવેએ એપ્રેન્ટિસ પોસ્ટ્સની ભરતી (Railway Recruitment Cell, West Central Railway) માટે જાહેરનામું બહાર પાડ્યું છે. જે યુવાનો સરકારી નોકરી શોધી રહ્યા છે તેમના માટે આ એક મોટી તક છે. રેલવે ધોરણ 10 પાસ યુવાનોને પરીક્ષા વગર નોકરી આપી રહી છે.
આ ભરતી જગ્યા દ્વારા એપ્રેન્ટિસની 2,226 જગ્યાઓ ભરવામાં આવશે. નોંધણી પ્રક્રિયા 11 ઓક્ટોબરથી શરૂ થશે. અરજી કરવાની છેલ્લી તારીખ 11 નવેમ્બર નક્કી કરવામાં આવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ wcr.indianrailways.gov.in પર જઈને નોંધણી કરાવી શકે છે.
ઉમેદવારો પાસે ઓછામાં ઓછા 50% ગુણ સાથે માન્યતાપ્રાપ્ત ધોરણ 10 પાસ અથવા સમકક્ષ પ્રમાણપત્ર હોવું જોઈએ. આ સિવાય, તેમની પાસે NCVT અથવા SCVTનું રાષ્ટ્રીય વેપાર પ્રમાણપત્ર પણ હોવું જોઈએ.