AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અગ્નિવીર ભરતી પ્રક્રિયામાં મોટો ફેરફાર, હવે આ રીતે થશે સિલેક્શન, જાણો વિગતવાર

ભારતીય સેનાએ અગ્નિવીર હેઠળ ક્લાર્ક અને સ્ટોરકીપર પોસ્ટ માટે ભરતી પ્રક્રિયામાં ફેરફાર કર્યા છે. હવે આ પદો પર પસંદગી માટે સ્કીલ ટેસ્ટનું પણ આયોજન કરવામાં આવશે. ચાલો જાણીએ કે નવો નિયમ ક્યારે લાગુ થશે.

અગ્નિવીર ભરતી પ્રક્રિયામાં મોટો ફેરફાર, હવે આ રીતે થશે સિલેક્શન, જાણો વિગતવાર
recruitment process for Clerk and Storekeeper posts under Agniveer
| Updated on: Jan 06, 2024 | 1:24 PM
Share

ભારતીય સેનાએ અગ્નિવીર ભરતી પ્રક્રિયામાં મોટો ફેરફાર કર્યો છે એવા ન્યૂઝ સામે આવ્યા છે. નવો નિયમ 2024-25ની અગ્નિવીર ભરતીમાં લાગુ કરવામાં આવશે. સેનાએ આ અંગે એક નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે. આ સાથે તમામ રાજ્યોના આર્મી રિક્રુટમેન્ટ બોર્ડને પણ આ અંગે જાણ કરી દેવામાં આવી છે. નવો નિયમ અગ્નિવીર હેઠળ ક્લાર્ક અને સ્ટોરકીપરની જગ્યાઓ પર ભરતી માટે જ લાગુ કરવામાં આવશે. નવો નિયમ અન્ય પોસ્ટ પર લાગુ થશે નહીં.

અધિકારીએ જણાવી છે વાત

હવે આર્મી ક્લાર્ક અને સ્ટોરકીપરની જગ્યાઓ પર ભરતી માટે ટાઇપિંગ ટેસ્ટ પણ લેશે. જે હિન્દીમાં 30 શબ્દો પ્રતિ મિનિટ અને અંગ્રેજીમાં 35 શબ્દો પ્રતિ મિનિટ હોઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બિહાર-ઝારખંડ આર્મી રિક્રુટમેન્ટ બોર્ડ ડિરેક્ટોરેટના એક અધિકારીએ આ વાતની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે, અગ્નિવીર હેઠળ ક્લાર્ક અને સ્ટોરકીપરની જગ્યાઓ પર ભરતી માટે ટાઇપિંગ ટેસ્ટ હશે, પરંતુ તેનું ધોરણ હજુ નક્કી કરવામાં આવ્યું નથી. ટૂંક સમયમાં ધોરણ પણ નક્કી કરી દેવામાં આવશે.

કોણ અરજી કરી શકે છે?

તમને જણાવી દઈએ કે 60 ટકા માર્ક્સ સાથે 12 ધોરણ પાસ કરેલા યુવક ક્લાર્ક અને સ્ટોરકીપરની પોસ્ટ માટે અરજી કરી શકે છે. ગયા વર્ષે સેનાએ ભરતી પ્રક્રિયામાં વધુ એક ફેરફાર કર્યો હતો. જે અંતર્ગત હવે પહેલા લેખિત પરીક્ષા લેવામાં આવશે અને ત્યારબાદ ભરતી રેલીનું આયોજન કરવામાં આવશે. અગાઉ લેખિત પરીક્ષાનું આયોજન પાછળથી કરવામાં આવતું હતું અને ભરતી રેલીનું આયોજન પહેલા કરવામાં આવતું હતું. ભરતી રેલીમાં ભીડ ઓછી કરવા માટે સેનાએ આ ફેરફાર કર્યો હતો.

આ જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે

અગ્નિવીર એરફોર્સની 3500 જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા 17 જાન્યુઆરી 2024થી શરૂ થશે અને 6 ફેબ્રુઆરી 2024 સુધી ચાલુ રહેશે. ભારતીય વાયુસેનાની ઓફિશિયલ વેબસાઇટ પર જાહેર કરાયેલા સૂચના અનુસાર ઉમેદવારો નિર્ધારિત છેલ્લી તારીખે અથવા તે પહેલાં અરજી સબમિટ કરી શકે છે. સિલેક્શન, લેખિત પરીક્ષા PET અને ડોક્યુમેન્ટ ચકાસણી દ્વારા કરવામાં આવશે.

કરિયર સહિતના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો. 

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
g clip-path="url(#clip0_868_265)">