IIT દિલ્હીએ સ્કૂલની વિદ્યાર્થીનઓ માટે શરૂ કર્યો STEM મેન્ટરશિપ પ્રોગ્રામ, જાણો શું છે ખાસ વાત
STEM Mentorship Programme: શાળાની વિદ્યાર્થિનીઓને કારકિર્દી તરીકે વિજ્ઞાન પસંદ કરવા પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે, IIT દિલ્હી એન્જિનિયરિંગ અને ટેક્નોલોજી ક્ષેત્રે ભારતની અગ્રણી ઉચ્ચ શિક્ષણ સંસ્થાએ STEM મેન્ટરશિપ પ્રોગ્રામ શરૂ કર્યો છે.
STEM Mentorship Programme: શાળાની વિદ્યાર્થિનીઓને કારકિર્દી તરીકે વિજ્ઞાન પસંદ કરવા પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે, IIT દિલ્હી એન્જિનિયરિંગ અને ટેક્નોલોજી ક્ષેત્રે ભારતની અગ્રણી ઉચ્ચ શિક્ષણ સંસ્થાએ STEM (સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ, ગણિત) મેન્ટરશિપ પ્રોગ્રામ શરૂ કર્યો છે. 11મા ધોરણના વિદ્યાર્થીનીઓ માટે રચાયેલ કાર્યક્રમનો પ્રથમ ઉદ્દેશ્ય યુવા વિદ્યાર્થિનીઓને વિજ્ઞાન અને નવીનતા વિશે સર્જનાત્મક રીતે વિચારવાની તાલીમ આપવાનો, સંશોધનની સમસ્યાઓના નિરાકરણમાં નવા અનુભવો પ્રદાન કરવા અને જ્ઞાનનો મજબૂત પાયો બનાવવામાં મદદ કરવાનો છે.
મહિલાઓની ભાગીદારી પર ફોકસ
શાળાની વિદ્યાર્થિનીઓ માટેના STEM મેન્ટરશિપ પ્રોગ્રામ વિશે બોલતા, IIT દિલ્હીના ડિરેક્ટર, પ્રો. વી. રામગોપાલ રાવે કહ્યું, “STEM માં મહિલાઓની ભાગીદારી વધારવાની જરૂર છે. IIT દિલ્હી દ્વારા શરૂ કરાયેલ મેન્ટરશિપ પ્રોગ્રામ દ્વારા, શાળાની વિદ્યાર્થિનીઓ અહીંની વિશ્વસ્તરીય પ્રયોગશાળાઓ અને ત્યાં ચાલી રહેલા સંશોધન કાર્યથી પરિચિત થશે. હું આશા રાખું છું કે IIT દિલ્હી દ્વારા શરૂ કરવામાં આવેલ મેન્ટરશિપ પ્રોગ્રામ તેના જીવનમાં એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે અને તેને વિજ્ઞાન અને ટેક્નોલોજીની દુનિયામાં પ્રવેશવા અને તેના સંશોધન કાર્ય દ્વારા સમાજને મદદ કરવા પ્રેરણા આપશે.”
આ પહેલ હેઠળ, દરેક શાળાની વિદ્યાર્થીનીઓને IIT દિલ્હીની ફેકલ્ટી અને તેમના સંશોધન વિદ્વાનો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. કાઉન્સેલિંગ સમયગાળા દરમિયાન, તેઓને STEM વિષયોમાં મૂળભૂત ખ્યાલોથી પરિચિત કરવામાં આવશે અને વિજ્ઞાન પ્રયોગશાળાઓમાં ઉપયોગમાં લેવાતી વ્યવહારુ પદ્ધતિઓ અને તકનીકો પણ શીખવવામાં આવશે.
પ્રોફેસર પ્રીથા ચંદ્રા, એસોસિયેટ ડીન, (શૈક્ષણિક, આઉટરીચ અને નવી પહેલ), IIT દિલ્હીએ જણાવ્યું હતું કે, “આ કાર્યક્રમ ભવિષ્યમાં વિદ્યાર્થિનીઓને વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં પ્રવેશવા આકર્ષિત કરશે. અમારું માનવું છે કે વિદ્યાર્થિનીઓને નાની ઉંમરે જ વૈજ્ઞાનિક ખ્યાલોથી પરિચિત થવું જોઈએ જેથી કરીને તેઓ ભવિષ્યમાં શૈક્ષણિક સંશોધનની કઠોરતાની કદર કરી શકે અને કારકિર્દીના વિકલ્પ તરીકે શિક્ષણશાસ્ત્રને અપનાવવા માટે તેમનામાં આત્મવિશ્વાસ જગાડી શકે.”
ત્રિ-સ્તરીય કાર્યક્રમ
એક બેચમાં ધોરણ 11મા વિજ્ઞાન પ્રવાહની 10 વિદ્યાર્થીનીઓ હશે અને તે ત્રિસ્તરીય કાર્યક્રમ હશે-
1- બે સપ્તાહનો શિયાળુ પ્રોજેક્ટ, (જે ડિસેમ્બર 2021ના અંતમાં શરૂ થશે અને જાન્યુઆરી 2022ની શરૂઆતમાં સમાપ્ત થશે),
2- એક ઓનલાઈન વ્યાખ્યાન શ્રેણી, જેમાં રસાયણશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, જીવવિજ્ઞાન, ગણિત અને કેટલીક ઈજનેરી શાખાઓના મોડ્યુલોનો સમાવેશ થાય છે. આ પ્રવચનો ફેબ્રુઆરી અને એપ્રિલ 2022 વચ્ચેના સમયગાળા દરમિયાન IIT દિલ્હીના પ્રોફેસરો દ્વારા આપવામાં આવશે. આ સમયગાળા દરમિયાન, વિદ્યાર્થીનીઓ તેમના માર્ગદર્શકો સાથે તેમના ચોક્કસ પ્રોજેક્ટ્સ પર વારંવાર વાર્તાલાપ કરશે.
3- સમર પ્રોજેક્ટ (મે-જૂન 2022 માં 3-4 અઠવાડિયા), જ્યાં વિદ્યાર્થીનીઓ પ્રયોગશાળાઓમાં અનુભવ મેળવશે, અને તેમના માર્ગદર્શક સાથે તેમના પ્રોજેક્ટ રિપોર્ટને અંતિમ સ્વરૂપ આપશે.
ગર્લ સ્ટુડન્ટ્સના પ્રોજેક્ટ એરિયામાં વિજ્ઞાન અને એન્જિનિયરિંગની વિવિધ શાખાઓ જેમ કે, કમ્પ્યુટર સાયન્સ, કેમિસ્ટ્રી, મિકેનિકલ એન્જિનિયરિંગ, ફિઝિક્સ, જૈવિક વિજ્ઞાનને આવરી લેવામાં આવશે. પ્રથમ બેચની 10 વિદ્યાર્થીનીઓ દિલ્હી પ્રદેશના વિવિધ કેન્દ્રીય વિદ્યાલયોમાંથી છે. ભવિષ્યમાં, દેશના અન્ય પ્રદેશોની ગર્લ સ્ટુડન્ટ્સને સામેલ કરવાની અને પ્રોગ્રામને રેસિડેન્શિયલમાં કન્વર્ટ કરવાની યોજના છે.
STEM મેન્ટરશિપ પ્રોગ્રામ એ IIT દિલ્હીની શાળાના વિદ્યાર્થીઓ માટે બીજી શૈક્ષણિક આઉટરીચ પહેલ છે. સપ્ટેમ્બર 2021 માં, સંસ્થાએ ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે સાયટેક સ્પિન લેક્ચર સિરીઝ શરૂ કરી. આ પહેલ હેઠળ, IIT દિલ્હીના પ્રોફેસરો, વિજ્ઞાન, ટેક્નોલોજી અને સંલગ્ન ક્ષેત્રોમાં અદ્યતન સંશોધનમાં રોકાયેલા, દર મહિને ઑનલાઇન પ્રવચનો અને પ્રયોગશાળા પ્રદર્શનો આપે છે. ચોથું SciTech Spins લેક્ચર 18 ડિસેમ્બર, 2021 ના રોજ યોજાયું હતું.
આ પણ વાંચો: ARIIA Rankings 2021: અટલ રેન્કિંગમાં IIT મદ્રાસ આ વર્ષે પણ પ્રથમ સ્થાને, જુઓ ટોપ 10 લિસ્ટ
આ પણ વાંચો: NTPC Recruitment 2022: NTPCમાં કેટલાક પદો પર ભરતી, પરીક્ષા વગર જ કરવામાં આવશે પસંદગી, જાણો તમામ વિગતો