CBSE New Syllabus 2022: વિદ્યાર્થીઓ હવે નહિં ભણે ફૈઝ અહેમદ ફૈઝ અને નાથુરામ ગોડસે સહિતના આ પ્રકરણ, જાણો ક્યા ધોરણના અભ્યાસક્રમમાં થયો કેટલો ફેરફાર

CBSE New Syllabus Update: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને ધોરણ 9 થી 12 માટે નવો અભ્યાસક્રમ બહાર પાડ્યો છે. નવા અભ્યાસક્રમ હેઠળ આ વખતે બોર્ડ દ્વારા ઘણા ચેપ્ટર દૂર કરવામાં આવ્યા છે.

CBSE New Syllabus 2022: વિદ્યાર્થીઓ હવે નહિં ભણે ફૈઝ અહેમદ ફૈઝ અને નાથુરામ ગોડસે સહિતના આ પ્રકરણ, જાણો ક્યા ધોરણના અભ્યાસક્રમમાં થયો કેટલો ફેરફાર
CBSE New Syllabus 2022
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 25, 2022 | 12:40 PM

CBSE New Syllabus Update: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ ધોરણ 9 થી 12 માટે નવો અભ્યાસક્રમ બહાર પાડ્યો છે. નવા અભ્યાસક્રમ (CBSE New Syllabus 2022) હેઠળ આ વખતે બોર્ડ દ્વારા ઘણા ચેપ્ટર દૂર કરવામાં આવ્યા છે. CBSEએ પ્રખ્યાત કવિ ફૈઝની બે કવિતાઓ અને મુગલ કોર્ટ જેવા જૂના પ્રકરણોને અભ્યાસક્રમમાંથી બાકાત કર્યા છે. બોર્ડે અભ્યાસક્રમનું ભારણ ઘટાડવાના સંદર્ભમાં આ ફેરફારો કર્યા છે. CBSE બોર્ડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નવા અભ્યાસક્રમને જોવા માટે બોર્ડની સત્તાવાર વેબસાઇટ cbseacademic.nic.in પર જઈ શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ ડાઉનલોડ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ સત્ર 2022-23 માટે 9માથી 12માનો અભ્યાસક્રમ બહાર પાડ્યો છે. CBSEના અભ્યાસક્રમમાં ઘણા મહત્વના પાઠ ઘટાડવામાં આવ્યા છે. બોર્ડે પુસ્તકોમાંથી ‘લોકશાહી અને વિવિધતા’ સંબંધિત પાઠો હટાવી દીધા છે. તેમાં 11મા ઇતિહાસ વિષયમાં સેન્ટ્રલ ઇસ્લામિક લેન્ડ્સનો પણ સમાવેશ થાય છે.

પરીક્ષા ફરી એક ટર્મમાં આપી શકાય છે

અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, કોર્સમાં કરાયેલા ફેરફારો 2022-23ના શૈક્ષણિક સત્રમાં ફરી એક વખત સમાન ટર્મમાં બોર્ડની પરીક્ષા લેવા માટે કરવામાં આવી રહ્યા છે. જો કે હજુ સુધી તેની જાહેરાત કરવામાં આવી નથી. માનવામાં આવી રહ્યું છે કે આ અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવી શકે છે. બદલાયેલા અભ્યાસક્રમમાં બિન-જોડાણવાદી ચળવળ, શીત યુદ્ધનો સમય, આફ્રો-એશિયન પ્રદેશોમાં ઇસ્લામિક સામ્રાજ્યોનો ઉદય, મુઘલ દરબારનો ઇતિહાસ અને ઔદ્યોગિક ક્રાંતિ જેવા પ્રકરણો દૂર કરવામાં આવ્યા છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

કયા ધોરણમાં શું બદલાયું?

  1. બોર્ડ દ્વારા ધોરણ 10ના અભ્યાસક્રમમાંથી ખાદ્ય સુરક્ષા પ્રકરણમાંથી કૃષિ પર વૈશ્વિકરણની અસરનું પ્રકરણ હટાવી દેવામાં આવ્યું છે.
  2. ઈસ્લામની સ્થાપના, ઉદય અને વિસ્તરણ 11મા ધોરણના ઈતિહાસના પુસ્તકમાંથી હટાવી દેવામાં આવ્યું છે.
  3. ધોરણ 12 પોલિટિકલ સાયન્સમાંથી કોલ્ડ વોર યુગ અને બિન-જોડાણવાદી ચળવળ દૂર કરવામાં આવી છે.
  4. 12મા ધોરણના પુસ્તકમાંથી મુઘલ સામ્રાજ્યના શાસન અને વહીવટ પરના પ્રકરણમાં પણ ફેરફારો કરવામાં આવ્યા છે.
  5. ધોરણ 11ના ગણિતના પુસ્તકમાં પણ ઘણા ફેરફારો કરવામાં આવ્યા હતા.

પ્રખ્યાત શાયર ફૈઝની નઝમ હટાવી

નવા અભ્યાસક્રમમાં, સીબીએસઈએ ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાંથી શાયર ફૈઝ અહેમદ ફૈઝની કવિતા અને ધોરણ 11ના ઈતિહાસના પુસ્તકમાંથી ઈસ્લામની સ્થાપના, ઉદય અને વિસ્તરણની વાર્તા અને તેના શાસન અને વહીવટની કહાની કાઢી નાખી છે. 12ના પુસ્તકમાંથી મુઘલ સામ્રાજ્યના શાસન-પ્રશાસનનું પ્રકરણ બદલાયું છે.

આ પણ વાંચો: વિઝા સસ્પેન્ડ : ચીને ભારતીય વિદ્યાર્થીઓની કારકિર્દી જોખમાય તેવા પગલાં લેતા, ભારતે ડ્રેગનને તેની જ ભાષામાં આપ્યો જવાબ

આ પણ વાંચો: JNV Admission 2022: જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા 30મી એપ્રિલે યોજાશે, ડાઉનલોડ કરો એડમિટ કાર્ડ

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">