Respiratory Therapist : શ્વસન ચિકિત્સક કેવી રીતે બનવું…? અભ્યાસક્રમ, સ્કોપ અને સેલરીની સંપૂર્ણ વિગતો અહીં જૂઓ

શ્વસન (Respiration) સંબંધી સમસ્યાઓ ધરાવતા દર્દીઓની સંભાળ લેવા માટે લગભગ તમામ હોસ્પિટલોમાં શ્વસન ચિકિત્સકોની (Respiratory Therapists) જરૂર હોય છે. આ ક્ષેત્રમાં અભ્યાસક્રમો કર્યા પછી, સરકારી અને ખાનગી તબીબી સંસ્થાઓમાં નોકરીઓ ઉપલબ્ધ છે.

Respiratory Therapist : શ્વસન ચિકિત્સક કેવી રીતે બનવું...? અભ્યાસક્રમ, સ્કોપ અને સેલરીની સંપૂર્ણ વિગતો અહીં જૂઓ
Respiratory Therapist Career
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2022 | 9:52 AM

વિકાસની દોડમાં આગળ વધવાની ઝંખના અને મશીનનો વધુ પડતો ઉપયોગ આપણા જીવનને નિષ્ક્રિય બનાવી રહ્યો છે. બેઠાડું જીવનશૈલી એટલે કે નિષ્ક્રિય જીવનશૈલી ઘણા રોગોનું કારણ છે. તેમાંથી સૌથી સામાન્ય છે શ્વસન (Respiration) સંબંધી વિકાર એટલે કે શ્વાસ લેવામાં તકલીફ. છેલ્લા કેટલાક વર્ષોમાં, ખાસ કરીને કોરોના સમયગાળા પછી, આ ગંભીર રોગના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ જ કારણ છે કે, આજકાલ Respiratory Therapistની માંગ પહેલા કરતાં વધુ છે.

શ્વસન સંબંધી સમસ્યાઓ ધરાવતા દર્દીઓની સંભાળ લેવા માટે લગભગ તમામ હોસ્પિટલોમાં શ્વસન ચિકિત્સકોની જરૂર હોય છે. આ દિવસોમાં શ્વસન સંભાળ નોકરીના સંદર્ભમાં સંતોષકારક કારકિર્દી વિકલ્પ બની ગઈ છે. આ ક્ષેત્રમાં અભ્યાસક્રમ કરનારા ઉમેદવારોને સરકારી અને ખાનગી તબીબી સંસ્થાઓમાં સરળતાથી નોકરી મળી જાય છે.

Respiratory Therapy શું છે?

શ્વસન ઉપચારમાં (Respiratory Therapy), શ્વાસની પદ્ધતિનું મૂલ્યાંકન કર્યા પછી, દર્દીની જરૂરિયાત મુજબ કસરત કરવાની સલાહ આપવામાં આવે છે અને જ્યાં સુધી સ્વાસ્થ્યની સ્થિતિ સુધરે ત્યાં સુધી તેનું નિરીક્ષણ કરવામાં આવે છે. સામાન્ય રીતે, શ્વસનતંત્ર યોગ્ય રીતે કામ કરતું ન હોય તો ઓક્સિજનનું સ્તર ઘટે છે. આ સ્થિતિમાં, દર્દીને શ્વસન ઉપચારથી ફાયદો થાય છે. શ્વસન ચિકિત્સકો પ્રમાણિત તબીબી વ્યાવસાયિકો છે, જે ફેફસાં અને શ્વસનતંત્રની સંભાળમાં નિષ્ણાંત છે. શ્વાસ લેવાની યોગ્ય તકનીકો પ્રદાન કરવા અને ખરાબ જીવનશૈલીમાં ફેરફાર અંગે સલાહ આપવા ઉપરાંત, શ્વસન ચિકિત્સકો કુદરતી શ્વાસ લેવાની પ્રક્રિયા શરૂ કરવા માટે સારવાર યોજના વિકસાવવા માટે ડોકટરો અને નર્સો સાથે કામ કરે છે. તેઓ અસ્થમા, એમ્ફિસીમા (emphysema), ન્યુમોનિયા અને હૃદય રોગ જેવા કાર્ડિયોપલ્મોનરી સિસ્ટમને અસર કરતા રોગોની પણ સારવાર કરે છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

શ્વસન ચિકિત્સક (Respiratory Therapist) કેવી રીતે બનવું?

જો તમે રેસ્પિરેટરી થેરાપિસ્ટ તરીકે કારકિર્દી બનાવવા માંગો છો, તો તમારે રેસ્પિરેટરી થેરાપીમાં બેચલર ડિગ્રી કોર્સ કરવાની જરૂર છે અને આ ક્ષેત્રમાં અનુભવ મેળવો. સ્નાતકના ડિગ્રી કોર્સમાં પ્રવેશ માટે, ભૌતિકશાસ્ત્ર, જીવવિજ્ઞાન, રસાયણશાસ્ત્ર અને ગણિત વિષયો સાથે 10+2માં 60% ગુણ જરૂરી છે. ઉમેદવારો તેમની કારકિર્દીમાં આગળ વધવા માટે રેસ્પિરેટરી થેરાપીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ પણ કરી શકે છે. M.Sc. રેસ્પિરેટરી થેરાપી કોર્સ (M.Sc. Respiratory Therapy) માટેની ન્યૂનતમ લાયકાત 50% માર્ક્સ સાથે B.Sc. in Respiratory Therapyમાં છે.

MBBS ઉમેદવારો માટે રેસ્પિરેટરી થેરાપીમાં અનુસ્નાતક કાર્યક્રમો ઓફર કરતી ઘણી સંસ્થાઓ છે. સાયન્સ બેકગ્રાઉન્ડ ધરાવતા વિદ્યાર્થીઓ રેસ્પિરેટરી થેરાપી અથવા રેસ્પિરેટરી ટેક્નોલોજીમાં ડિપ્લોમા કોર્સ કર્યા પછી આ ક્ષેત્રમાં કારકિર્દી શરૂ કરી શકે છે. દેશમાં એવી ઘણી સંસ્થાઓ છે જે 1-વર્ષનો ડિપ્લોમા, 2-વર્ષનો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન રેસ્પિરેટરી થેરાપી અને એડવાન્સ્ડ પોસ્ટગ્રેજ્યુએટ ડિપ્લોમા કોર્સ ઓફર કરે છે.

Respiratory Therapistના અભ્યાસક્રમની વિગતો

કોર્સ દરમિયાન, ઉમેદવારોને શ્વસન શરીરરચના, ફિજિયોલોજી અને રોગ, તબીબી ભૌતિકશાસ્ત્ર, વેન્ટિલેટર, બ્લડ ગેસ, એસિડને કારણે થતી સમસ્યાઓનો સામનો કરવા માટે ખાસ તાલીમ આપવામાં આવે છે. આ દરમિયાન, દર્દીઓને તબીબી સંભાળ અને જીવન સહાયક સેવાઓ શીખવવામાં આવે છે, જેમાં વેન્ટિલેટર તેમજ કાર્ડિયોપલ્મોનરી એસેસમેન્ટ અને મોનિટરિંગનો સમાવેશ થાય છે. તેમને ફેફસાંના રોગોની સારવાર અને હાર્ટ એટેક અને સ્ટ્રોકના કિસ્સામાં ઈમરજન્સી કેર વિશે જાણકારી આપવામાં આવે છે.

Respiratory Therapist : આવશ્યક સ્કીલ

તબીબી ક્ષેત્ર ખૂબ જ સંવેદનશીલ ક્ષેત્ર છે, તેથી સફળ શ્વસન ચિકિત્સક બનવા માટે, ઉમેદવારો પાસે મૌખિક અને લેખિત સંચાર કૌશલ્ય, તેમના કાર્ય પ્રત્યે સમર્પણ, ટીમ વર્કની ભાવના, જટિલ વિચારસરણી, દર્દીને સાંભળવાની અને સમસ્યાનું નિરાકરણ અને નિર્ણય લેવાની ક્ષમતા હોવી જોઈએ. લાંબા ગાળાની દર્દી સંભાળ માટે ઉમેદવાર પાસે પૂરતી ઊર્જા અને દબાણ હેઠળ કામ કરવાની અને પ્રાથમિકતાઓ સાથે કામ કરવાની ક્ષમતા હોવી જરૂરી છે.

શ્વસન થેરાપી : ટોપ કોર્સ

  1. Advanced PG Diploma in Respiratory Therapy Technology
  2. B.Sc. in Respiratory Therapy
  3. Diploma in Respiratory Therapy Technician
  4. Diploma in Respiratory Therapy Training
  5. Bachelor in Respiratory Therapist
  6. Fellowship Program in Respiratory Therapy
  7. M.Sc. in Respiratory Therapy
  8. PG Diploma in Respiratory Therapy Technology
  9. Post Graduate in Respiratory Therapy

રેસ્પિરેટરી થેરાપી : કરિયર સ્કોપ

આજકાલ આ ક્ષેત્રમાં નોકરીની સંભાવનાઓ વધી છે. નિષ્ણાંતોના મતે દેશમાં શ્વસન ટેક્નિશિયનની અછત છે. તેથી, લાયક ઉમેદવારોને સરળતાથી સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં નોકરી મળે છે. સામાન્ય રીતે તેની નિમણૂક ઇન્ટેન્સિવ કેર યુનિટ, ઇમરજન્સી, ઓપરેટિંગ રૂમ અને હોસ્પિટલોના ક્રિટિકલ કેર વિભાગમાં કરવામાં આવે છે. નર્સિંગ હોમ્સ, ક્લિનિક્સ, હેલ્થ કેર સેન્ટર્સ, પલ્મોનરી રિહેબ સેન્ટર્સમાં પણ પલ્મોનરી ફંક્શન ટેસ્ટિંગ લેબમાં તકોની કોઈ કમી નથી. કોર્સ પછી, ઉમેદવારોને રેસ્પિરેટરી થેરાપિસ્ટ, પોલિસોમનોગ્રાફિક ટેક્નોલોજિસ્ટ (RPSGT), પલ્મોનરી ફંક્શન ટેકનિશિયન, કન્સલ્ટન્ટ પલ્મોનોલોજિસ્ટ, હેલ્થ કેર મેનેજર અને પલ્મોનરી રિહેબિલિટેશન સ્પેશિયાલિસ્ટ જેવી જગ્યાઓ પર નિયુક્ત કરવામાં આવે છે. જો કે, તેમની કારકિર્દી માત્ર હોસ્પિટલો સુધી મર્યાદિત નથી, તેઓ શિક્ષણના ક્ષેત્રમાં પણ કામ કરી શકે છે અથવા પોતાનું ક્લિનિક ખોલી શકે છે.

રેસ્પિરેટરી થેરાપી : ટોપ સંસ્થા

  1. ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS), દિલ્હી
  2. અમૃતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (AIMS), કોચી
  3. ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ, ઋષિકેશ (AIIMS Rishikesh)
  4. SIHS, પુણે
  5. એનઆરઆઈ એકેડમી ઓફ સાયન્સ, ગુંટુર, આંધ્રપ્રદેશ
  6. નિમ્સ યુનિવર્સિટી, જયપુર, રાજસ્થાન
  7. મણિપાલ સ્કૂલ ઓફ એલાઈડ હેલ્થ સાયન્સ, મણિપાલ
  8. જેએસએસ યુનિવર્સિટી, મૈસુર
  9. કેએમસીએચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એલાઇડ હેલ્થ સાયન્સ, કોઇમ્બતુર
  10. ડૉ. એમજીઆર મેડિકલ યુનિવર્સિટી, ચેન્નાઈ
  11. એજે ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર, કર્ણાટક

શ્વસન ચિકિત્સકની સેલરી

કારકિર્દીની શરૂઆતમાં શ્વસન ચિકિત્સકનો સરેરાશ પગાર દર મહિને રૂપિયા 35,000 છે. થોડો અનુભવ મેળવ્યા બાદ તેમનો પગાર વાર્ષિક 8થી 10 લાખ રૂપિયા થઈ જાય છે. સામાન્ય રીતે, અનુભવી પોલિસોમનોગ્રાફિક ટેક્નોલોજિસ્ટને 6થી 8 લાખ અને કન્સલ્ટન્ટ પલ્મોનોલોજિસ્ટને 10થી 12 લાખ રૂપિયાનું પેકેજ મળે છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">