UPSC-IAS માટે ફ્રી કોચિંગ આપી રહ્યો છે એક્ટર સોનુ સૂદ, જાણો કેવી રીતે મળશે એડમિશન

બોલિવૂડ એક્ટર સોનુ સૂદ યુપીએસસી ફ્રી કોચિંગ આપી રહ્યો છે. સમગ્ર દેશમાંથી ઉમેદવારો યુપીએસસી સ્કોલરશિપ સ્કીમનો (UPSC Scholarship Scheme) લાભ લઈ શકે છે. આનો લાભ કોણ અને કેવી રીતે લઈ શકશે? કેવી રીતે અને ક્યાં એપ્લાય કરવું? આ સમાચારમાં વિગતો આપવામાં આવી છે. એપ્લિકેશન ફોર્મ અને નોટિફિકેશનની લિંક પણ આપવામાં આવી છે.

UPSC-IAS માટે ફ્રી કોચિંગ આપી રહ્યો છે એક્ટર સોનુ સૂદ, જાણો કેવી રીતે મળશે એડમિશન
Sonu Sood UPSC IAS Free Coaching
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2022 | 8:14 PM

કોરોનાકાળમાં લોકોના મસીહા બન્યા બાદ એક્ટર સોનુ સૂદે હવે યુવાનોને આઈએએસ બનાવવાનું અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાનનું સૂત્ર છે- ‘આઈએએસ બના, દેશ બના’. આ માટે સોનુ સૂદ ફાઉન્ડેશન યુપીએસસી ફ્રી કોચિંગ સ્કીમ (UPSC Free Coaching Scheme) લાવ્યું છે. આ સ્કીમનો દેશના ખૂણે ખૂણેથી લોકો લાભ લઈ શકે છે. આની મદદથી તમે યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી માટે દેશના બેસ્ટ કોચિંગ સેન્ટરોમાં એડમિશન મેળવી શકશો. આ માટે તમારે કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં. એક્ટર સોનુ સૂદની (Actor Sonu Sood) આ આઈએએસ કોચિંગ સ્કોલરશિપ સ્કીમનું નામ છે સંભવમ. આનો લાભ કોણ અને કેવી રીતે લઈ શકશે? કેવી રીતે અને ક્યાં એપ્લાય કરવું? આ સમાચારમાં વિગતો આપવામાં આવી છે. એપ્લિકેશન ફોર્મ અને નોટિફિકેશનની લિંક પણ આપવામાં આવી છે.

IAS Free Coaching માટે કેવી રીતે એપ્લાય કરવું?

સોનુ સૂદની મફત યુપીએસસી કોચિંગ ક્લાસ સ્કીમ સંભવમ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. એપ્લાય કરવા માટે સૂદ ચેરિટી ફાઉન્ડેશનની વેબસાઇટ soodcharityfoundation.org પર જઈને કરી શકો છો. ફોર્મ ભરવા માટે આ સ્ટેપ્સ ફોલો કરો-

  • Sonu Sood Foundationની વેબસાઈટ પર જશો કે તરત જ તમને હોમ પેજ પર IAS Scholarship Schemeનું બેનર દેખાશે. તેને ક્લિક કરો.
  • સંભવમ 2022-23નું પેજ ખુલશે. આ પેજ પર આપેલી બધી ડિટેઈલ સારી રીતે વાંચો. તે પછી પેજના અંતમાં Apply Now ટેબ પર ક્લિક કરો.
  • એપ્લિકેશન પેજ પર આપેલ પૂરી ગાઈડલાઈન વાંચો. તે પછી તમારે તમારું નામ, મોબાઈલ નંબર, શહેર, સરનામું, ઈમેલ આઈડી, ક્વોલિફિકેશન, માર્કસ, સિવિલ સર્વિસ માટે પસંદ કરેલ વિષય અને અન્ય જરૂરી જાણકારી ભરીને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
  • પહેલા પેજ પર માંગવામાં આવેલી જાણકારી ભર્યા પછી Next બટન પર ક્લિક કરો. હવે બીજા પેજ પર ફી ભરી પ્રોસેસ પૂરી કરો. તમારે 50 રૂપિયા ફી ચૂકવવી પડશે. સૂદ ફાઉન્ડેશન Divine India Youth Association એટલે કે DIYA સાથે મળીને સંભવમ કાર્યક્રમ ચલાવી રહ્યું છે. આ ફી સૂદ દિયા દ્વારા લેવામાં આવી રહી છે. તમે 25 સપ્ટેમ્બર 2022 સુધી અરજી કરી શકો છો.

કોને મળશે Sonu Sood IAS Scholarship?

એપ્લાય કરનાર ઉમેદવારોએ ઓનલાઈન ટેસ્ટ આપવો પડશે. આમાં ક્વોલિફાય થનારા વિદ્યાર્થીઓએ ફાઉન્ડેશન પાસે તમામ જરૂરી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જમા કરાવવાના રહેશે. જો કોઈપણ જાણકારી ખોટી જણાશે તો તે ઉમેદવારની સ્કોલરશિપ રદ કરવામાં આવશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

યુપીએસસી ફ્રી ઓનલાઈન કોચિંગ માટે એવા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે, જેઓ આર્થિક રીતે નબળા હશે, સુવિધાઓથી વંચિત હશે પરંતુ લાયકાત ધરાવતા હશે.

એક્ટર સોનુ સૂદની પહેલ Sambhavam Free IAS Coaching Notification માટે અહીં ક્લિક કરો.

સંભવમ UPSC Free Online Coaching નું ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">