Zomato ને 2 અઠવાડિયામાં ત્રીજો મોટો ઝાટકો, કો-ફાઊન્ડર મોહિત ગુપ્તાએ આપ્યુ રાજીનામુ

Zomato : ન્યૂ ઇનિશિયેટિવ હેડ રાહુલ ગંજુ અને 7 નવેમ્બરના રોજ, ગ્લોબલ ગ્રોથના વાઇસ પ્રેસિડેન્ટ સિદ્ધાર્થ ઝાવરે પણ કંપનીમાંથી રાજીનામું આપ્યું.

Zomato ને 2 અઠવાડિયામાં ત્રીજો મોટો ઝાટકો, કો-ફાઊન્ડર મોહિત ગુપ્તાએ આપ્યુ રાજીનામુ
Zomato
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2022 | 12:13 PM

દુનિયાભરના બિઝનેસ જગતમાં સ્થિતી ડામાડોળ વચ્ચે ઝોમેટો માંથી સમાચાર આવી રહ્યા ત્યારે ઝોમેટોના ટોચના બે મોટા અધિકારીઓએ એક પછી એક કંપનીમાંથી અલગ થવાની જાહેરાત કરી. જો કે, હવે પરિસ્થિતિની ગંભીરતા સામે આવી છે કારણ કે Zomatoના સહ-સ્થાપક મોહિત ગુપ્તાએ પણ રાજીનામું આપી દીધું છે. મોહિત ગુપ્તા છેલ્લા સાડા ચાર વર્ષથી કંપની સાથે સંકળાયેલા હતા. તેમના રાજીનામાનું કારણ બહાર આવ્યું નથી. નવેમ્બર મહિનામાં જ કંપનીના વધુ બે વરિષ્ઠ અધિકારીઓએ કંપનીમાંથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. હાલમાં કંપની અનેક પડકારોનો સામનો કરી રહી છે. અને મહામારી પછી થયેલા નુકસાનમાંથી પુનઃપ્રાપ્તિના પ્રયાસોમાં વ્યસ્ત છે.

બે અઠવાડિયામાં ત્રીજું મોટું રાજીનામું

છેલ્લા બે સપ્તાહમાં આ ત્રીજું મોટું રાજીનામું છે. રાજીનામું આપ્યા બાદ મોહિતે સ્પષ્ટ કર્યું હતું કે હવે તે કંપનીમાં રોકાણકાર તરીકે જ જોડાયેલા રહેશે. આ અઠવાડિયાની શરૂઆતમાં, ઝોમેટોના ન્યૂ ઇનિશિયેટિવ હેડ રાહુલ ગંજુએ કંપની છોડવાનો નિર્ણય લીધો હતો. તેઓ છેલ્લા 5 વર્ષથી કંપની સાથે જોડાયેલા હતા. બીજી તરફ 7 નવેમ્બરે કંપનીના ગ્લોબલ ગ્રોથના વાઇસ પ્રેસિડેન્ટ સિદ્ધાર્થ ઝાવરે પણ કંપનીને પોતાનું રાજીનામું આપ્યુ છે. હાલમાં, કંપની ઘણા પડકારોનો સામનો કરી રહી છે અને કામ કરવાની રીતને લઈને મોટા નિર્ણયો લઈ રહી છે. કંપનીએ તાજેતરમાં જાહેરાત કરી છે કે 24 નવેમ્બરથી તેમની ડિલિવરી સેવાઓ UAEમાં બંધ થઈ જશે. કોઈપણ ગ્રાહક જે તેમની એપ પર UAE માં ઓર્ડર આપે છે, તેમના ઓર્ડર અન્ય એપ પર ટ્રાન્સફર કરવામાં આવશે.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

કંપનીની ખોટમાં ઘટાડો

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીની ખોટ ઘટીને 251 કરોડ રૂપિયા થઈ ગઈ છે. કંપનીએ તેનું પરિણામ 10 નવેમ્બરે જ જાહેર કર્યું છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીની ખોટ રૂ. 430 કરોડ હતી. તે જ સમયે, ક્વાર્ટરમાં કંપનીની આવક 62 ટકા વધીને 1661 કરોડ રૂપિયા થઈ ગઈ છે. જ્યારે ગયા વર્ષે કંપનીએ રૂ. 1024 કરોડની આવક નોંધાવી હતી. તે જ સમયે, ક્વાર્ટર દરમિયાન કંપનીના ફૂડ ડિલિવરી બિઝનેસનું ગ્રોસ ઓર્ડર મૂલ્ય વાર્ષિક ધોરણે 23 ટકા વધ્યું છે.

Latest News Updates

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
g clip-path="url(#clip0_868_265)">