Budget 2023 : મહિલાઓને નાણાપ્રધાન પાસે અપેક્ષા, ઇનકમ ટેક્સમાં મળી શકે છે સ્પેશિયલ રાહત
Budget 2023 : RBIના સર્વે મુજબ દેશમાં માત્ર 14 ટકા MSMEની માલિકી મહિલાઓની છે. તે જ સમયે, 5.9 ટકા સ્ટાર્ટઅપ મહિલાઓના છે. આ ઉપરાંત જેન્ડર બજેટ વધારવાની પણ માંગણી છે.
Budget 2023 : નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2023ના રોજ દેશનું બજેટ રજૂ કરશે. આવી સ્થિતિમાં અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. એવો પણ સવાલ છે કે શું બજેટ 2023માં મહિલાઓને ટેક્સમાં છૂટ મળશે? મહિલાઓને આશા છે કે આ બજેટમાં બિઝનેસમાં મહિલાઓની ભાગીદારી વધારવા પર ફોકસ કરવામાં આવશે. આરબીઆઈના સર્વે મુજબ દેશમાં માત્ર 14 ટકા MSMEની માલિકી મહિલાઓની છે. તે જ સમયે, 5.9 ટકા સ્ટાર્ટઅપ મહિલાઓના છે. આ ઉપરાંત જેન્ડર બજેટ વધારવાની પણ માંગણી છે.
શું મહિલાઓને ટેક્સ સ્લેબમાં વિશેષ લાભ મળશે?
ફાઇનાન્સ એક્ટ 2012 એ મહિલાઓ માટે ટેક્સ સ્લેબમાં તફાવતને દૂર કર્યો હતો અને એક સમાન ટેક્સ સ્લેબ રજૂ કર્યો હતો જે પુરુષો અને સ્ત્રીઓ બંને માટે સમાન હતો. વર્ષ 2012 સુધી મહિલાઓને પુરૂષો કરતા થોડો વધુ ટેક્સ લાભ મળતો હતો. નિષ્ણાતોના મતે વર્કિંગ વુમનના ભવિષ્ય વિશે વિચારીને તેમને વધુ ટેક્સ લાભ મળવો જોઈએ. નિષ્ણાતોના મતે, ટેક્સ સ્લેબમાં મુક્તિ લિંગના સંબંધમાં નહીં પણ વ્યક્તિની ઉંમરના આધારે લાગુ થવી જોઈએ.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડેલોઈટ ઈન્ડિયાના પાર્ટનર સુધાકર સેથુરમન કહ્યું કે ઈન્કમ ટેક્સ સ્લેબ રેટમાં એકસમાન રહાત એ આજના યુગની મહત્વપૂર્ણ માંગ છે. તેણી કહે છે નાણામંત્રી વખતે મહિલાઓને કંઇ વિશેષ લાભ આપે તેવી શક્યતા છે.
વધુમાં તે જણાવે છે કે મહિલાઓની બચતની ક્ષમતા પુરૂષ કરતા વધારે હોય છે. આ બજેટ મહિલાઓને આર્થિક રીતે મજબુત કરે તેવી શક્યતા છે. સેથુરમનને જણાવ્યું હતું કે, ઉજ્જવલા યોજના જેવી વિવિધ યોજનાઓ સાથે મહિલા સશક્તિકરણ અને મહિલા નેતૃત્વ તરફના ભારતના વિઝન અને પ્રયાસોને ધ્યાનમાં રાખીને, ‘બેટી બચાવો બેટી પઢાવો’, ‘સુકન્યા સમૃદ્ધિ ખાતું’, અને ‘સૈનિક સ્કૂલ’ જેવી હાઈ-પ્રોફાઈલ યોજનાઓ છે. માત્ર મહિલાઓને કરમુક્તિ નહીં મળે પરંતુ દેશનો પણ વિકાસ થાય છે. ગ્લોબલ મોબિલિટી પ્રેક્ટિસના ભૂતપૂર્વ નેશનલ લીડર, PwC ઇન્ડિયાનું કહેવું છે કે મહિલાઓને ટેક્સમાં રાહત આપવાથી મહિલાઓ આર્થિક રીતે મજબૂત બનશે.
તેઓ આવું એટલા માટે કહે છે કારણ કે કોરોના મહામારી દરમિયાન ઘણી મહિલાઓએ તેમના પતિ ગુમાવ્યા હતા, જેઓ તેમના ઘરની આવકનો એકમાત્ર સ્ત્રોત હતા. આવી સ્થિતિમાં મહિલાઓ માટે તેમના બાળકોનો ઉછેર કરવો મુશ્કેલ બની ગયો હતો. તેવી જ રીતે સિંગલ પેરેન્ટ્સને પણ ટેક્સમાં છૂટ આપવી જોઈએ. જો કે, સરકારની ‘બેટી બચાવો, બેટી પઢાવો’, ‘ઉજ્જવલા યોજના’ જેવી ઘણી યોજનાઓમાં આવકવેરામાંથી મુક્તિ છે.
વર્તમાન ટેક્સ સ્લેબ
હાલમાં દેશમાં બે ટેક્સ સ્લેબ છે. એક ઓલ્ડ ટેક્સ સ્લેબ તરીકે ઓળખાય છે, તે લાંબા સમયથી ચાલી રહ્યો છે, જ્યારે નવો ટેક્સ સ્લેબ 2020 માં રજૂ કરવામાં આવ્યો હતો. જૂના સ્લેબમાં 5%, 20% અને 30% એમ ત્રણ સ્લેબ છે, જ્યારે નવા સ્લેબમાં – 5%, 10%, 15%, 20%, 25% અને 30%. જે અંતર્ગત તમામ કપાત અને લાભો ઉપલબ્ધ છે. સરકારે તે કરદાતાઓ પર છોડી દીધું છે કે તેઓ કયા ટેક્સ સ્લેબ હેઠળ તેમનો આવકવેરો ચૂકવે છે. આવા ઘણા ફાયદા છે જે નવા ટેક્સ સિસ્ટમમાં ઉપલબ્ધ નથી, તેથી મોટાભાગના લોકો જૂના ટેક્સ સ્લેબમાંથી જ આવકવેરા રિટર્ન ફાઇલ કરે છે.
આવો હોઈ શકે છે નવો ટેક્સ સ્લેબ
આર્થિક નિષ્ણાતોનું કહેવું છે કે જો સરકાર ટેક્સ સ્લેબમાં ફેરફાર કરે છે તો છૂટની મર્યાદા 2.5 લાખથી વધારીને 5 લાખ કરી શકાય છે. જેનો અર્થ સ્પષ્ટ છે કે 5 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. હાલમાં, 2.50 લાખથી વધુની કમાણી કરનારાઓએ આવકવેરા રિટર્ન ફાઇલ કરવું જરૂરી છે. નવા સ્લેબ બાદ આ મર્યાદા વધીને 5 લાખ થઈ જશે.