આ સ્ટોક ₹303 થી ઘટીને Rs 80 થયો, છતા આ અનુભવી રોકાણકારે 12.27 લાખ શેર ખરીદ્યા, જાણો શું છે કારણ
RBI એ 22 જુલાઈના રોજ જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે સૂર્યોદય સ્મોલ ફાઈનાન્સ બેંક લિમિટેડ પર 57.75 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે. બજારમાં આ સમાચાર પછી પણ શા માટે રોકાણ વધી રહ્યુ છે, જાણો
Dolly Khanna Portfolio Stock : જૂન 2022 ક્વાર્ટરના અનુભવી રોકાણકાર ડોલી ખન્ના (Dolly Khanna)એ તેમના પોર્ટફોલિયોમાં સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક (Suryoday Small Finance Bank) નો ઉમેરો કર્યો છે. શેર હાલમાં તેની ઈશ્યુ કિંમત કરતાં 73 ટકા નીચે ટ્રેડ થઈ રહ્યો છે. સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક 2021 માં સ્ટોક એક્સચેન્જમાં સૂચિબદ્ધ થઈ હતી. કંપનીની ઈશ્યૂ કિંમત 305 રૂપિયા હતી. જણાવી દઈએ કે સૂર્યોદય સ્મોલ ફાઈનાન્સ બેંકનો શેર 80.05 રૂપિયા પર છે.
ડોલી ખન્નાએ 12,27,986 શેર ખરીદ્યા
તાજેતરના શેરહોલ્ડિંગ ડેટા મુજબ, ડોલી ખન્ના 30 જૂન, 2022 સુધીમાં સ્મોલ ફાઇનાન્સ બેંકમાં 12,27,986 ઇક્વિટી શેર અથવા 1.16 ટકા હિસ્સો ધરાવે છે. એટલે કે બેંકમાં તેમનો હિસ્સો 9.8 કરોડ રૂપિયા છે.
4 ઓગસ્ટે બોર્ડની બેઠક યોજાશે
માર્ચ ક્વાર્ટરમાં ટોચના શેરધારકોની યાદીમાંથી તેમનું નામ ગાયબ હતું. સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંકે નાણાકીય વર્ષ 2022-23 ના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન કુલ થાપણોમાં વાર્ષિક ધોરણે 21 ટકા વૃદ્ધિ નોંધાવી છે, જે 4,020 કરોડ રૂપિયા થઈ છે, એમ 11 જુલાઈના રોજ એક નિયમનકારી ફાઇલિંગમાં જણાવાયું હતું. સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંકના બોર્ડની બેઠક 4 ઓગસ્ટ, 2022 ના રોજ મળવાની છે અને 30 જૂન, 2022 ના રોજ પૂરા થયેલા સમયગાળા માટે ત્રિમાસિક નાણાકીય કમાણીને ધ્યાનમાં લેવા અને તેને મંજૂરી આપવાનું છે.
ડોલી ખન્નાના 26 શેર છે
તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ કંપની પર છેતરપિંડી સંબંધિત ધારાધોરણોનું પાલન ન કરવા બદલ 57.75 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. ટ્રેન્ડલાઈન ડેટા અનુસાર, ડોલી ખન્ના પાસે રૂ. 566.6 કરોડથી વધુની નેટવર્થ સાથે 26 સાર્વજનિક શેર છે.
RBI એ ફટકાર્યો છે દંડ
ભારતીય રિઝર્વ બેંક (RBI) એ શુક્રવારે 22 જુલાઈએ જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક લિમિટેડ પર 57.75 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે. ‘વાણિજ્યિક બેંકો અને પસંદગીની નાણાકીય સંસ્થાઓ વતી છેતરપિંડીના કેસોનું વર્ગીકરણ અને રિપોર્ટિંગ’ પર RBIની 2016ની માર્ગદર્શિકાના ઉલ્લંઘન બદલ આ દંડ લાદવામાં આવ્યો છે.
જોકે, આરબીઆઈએ એ પણ સ્પષ્ટતા કરી હતી કે આ કાર્યવાહી નિયમનકારી પાલનના ઉલ્લંઘનમાં કરવામાં આવી હતી અને તેનો હેતુ બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈપણ વ્યવહાર અથવા કરારની માન્યતા પર પ્રશ્ન કરવાનો નથી.