GST Councilની 43 મી બેઠક 28 મેના રોજ મળશે, કોરોના સંકટના કારણે Video Conferencing દ્વારા બેઠક યોજાશે
કોરોના સંકટ વચ્ચે GST ને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જીએસટી કાઉન્સિલ(GST Counsil )ની 43 મી બેઠકનું આયોજન 28 મેના રોજ સવારે 11 વાગ્યે કરવામાં આવ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારામન(FM Nirmala Sitaraman) આ સભાના અધ્યક્ષ સ્થાને રહેશે.
કોરોના સંકટ વચ્ચે GST ને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જીએસટી કાઉન્સિલ(GST Counsil )ની 43 મી બેઠકનું આયોજન 28 મેના રોજ સવારે 11 વાગ્યે કરવામાં આવ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારામન(FM Nirmala Sitaraman) આ સભાના અધ્યક્ષ સ્થાને રહેશે. આ બેઠકમાં નાણાં રાજ્યમંત્રી અનુરાગ ઠાકુર પણ હાજર રહેશે. જીએસટી કાઉન્સિલની બેઠકમાં તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના નાણામંત્રી અને કેન્દ્ર-રાજ્યના નાણા સાથે સંબંધિત વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. આ બેઠક વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાશે.
Smt @nsitharaman will chair the 43rd GST Council meeting via video conferencing at 11 AM in New Delhi on 28th May 2021. The meeting will be attended by MOS Shri @ianuragthakur besides Finance Ministers of States & UTs and Senior officers from Union Government & States.
— NSitharamanOffice (@nsitharamanoffc) May 15, 2021
તાજેતરમાં પશ્ચિમ બંગાળના નવનિયુક્ત નાણાં પ્રધાન અમિત મિત્રાએ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણને પત્ર લખીને જીએસટી કાઉન્સિલની બેઠક યોજવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે કાઉન્સિલની બેઠક બોલાવીને વળતરમાં કપાત અને અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓની ચર્ચા કરવાની જરૂર છે. નિયમ મુજબ જીએસટી કાઉન્સિલની બેઠક દર ત્રણ મહિને મળવી જરૂરી છે. છેલ્લા બે ક્વાર્ટરમાં એક પણ વાર કાઉન્સિલની બેઠક મળી નથી.
આ અગાઉ જીએસટી કાઉન્સિલની 42 મી બેઠક 5 5ક્ટોબર 2020 ના રોજ મળી હતી. તે બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે કેન્દ્ર વળતરના નુકસાન માટે ટ્રાન્ઝીશન પિરિયડની મુદત વધારશે. ટ્રાન્ઝીશન પિરિયડ હાલમાં 5 વર્ષ છે જે 2022 માં સમાપ્ત થશે. તે પહેલાં કાઉન્સિલની 41 મી બેઠક 27 ઓગસ્ટ 2020 માં યોજાઇ હતી. તે બેઠકમાં કેન્દ્રે રાજ્યોને આવકની ભરપાઈ કરવા માટે બે વિકલ્પો આપ્યા હતા. ઓક્ટોબરની બેઠકમાં ઉધારની વિકલ્પ મર્યાદા 97 હજાર કરોડથી વધારીને 1.10 લાખ કરોડ રૂપિયા કરવામાં આવી હતી.