Tax : આ મહિને આવકવેરા રીટર્ન ફાઇલ કરો, નહીં તો આવતા મહિને ડબલ TDS ચૂકવવો પડશે, જાણો નવો નિયમ

Tax : આવકવેરા રીટર્ન (ITR)ફાઇલ ન કરતા લોકો માટે સરકારે નિયમો કડક બનાવ્યા છે. આ અંતર્ગત ITR ફાઇલ ન કરવા બદલ ડબલ TDS ચૂકવવો પડશે.

Tax : આ મહિને આવકવેરા રીટર્ન ફાઇલ કરો, નહીં તો આવતા મહિને ડબલ TDS ચૂકવવો પડશે, જાણો નવો નિયમ
પ્રતીકાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: Jun 06, 2021 | 7:08 PM

Tax : આવકવેરા રીટર્ન (ITR)ફાઇલ ન કરતા લોકો માટે સરકારે નિયમો કડક બનાવ્યા છે. આ અંતર્ગત ITR ફાઇલ ન કરવા બદલ ડબલ TDS ચૂકવવો પડશે. નવા નિયમો અનુસાર, જેમણે આઇટીઆર ફાઇલ નથી કર્યું તો તેમના માટે ટેક્સ કલેક્શન એટ સોર્સ (TCS) પણ લાગુ થશે. નવા નિયમો અનુસાર, 1 જુલાઈ, 2021થી, દંડનીય TDS અને TCS દર 10-20 ટકા રહેશે. જે સામાન્ય રીતે 5-10 ટકા હોય છે.

આ મુજબ TDS ચૂકવવો પડશે નવા TDS નિયમો અનુસાર, આવક વેરા કાયદા 1961ની કલમ 206 AB હેઠળ, ટીડીએસ પર આવકવેરા કાયદાની હાલની જોગવાઈઓ કરતા બે ગણો અથવા પ્રવર્તમાન દરના ડબલ અથવા 5 ટકાથી પણ વધારે ટીડીએસ લાગું થશે .

આ નિયમ તેમને લાગુ પડશે નહીં આવકવેરા કાયદાની આ કલમ (206 એબી) ના નિયમાનુસાર પગાર, કર્મચારીઓની લેણાંની ચુકવણી, ક્રોસવર્ડ અને લોટરીમાં જીત, ઘોડાની રેસ પર જીત, સિક્યોરિટાઇઝેશન ટ્રસ્ટમાં રોકાણથી થતી આવક અને રોકડ ઉપાડ પર આ નિયમ લાગુ થશે નહીં. કલમ 206 એબી હેઠળ ભારતમાં કાયમી વસવાટ ન કરતા બિન-નિવાસી કરદાતાઓને પણ આ નિયમ લાગુ નહીં થાય.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

જો બંને કલમ 206AA (પાનકાર્ડ ન હોવાના કિસ્સામાં ઉંચો ટીડીએસ દર) અને 206 એબી લાગુ હોય તો ટીડીએસ દર ઉપર જણાવેલા દરો કરતા વધારે હશે. તે જ સમયે, કલમ 206 સીસી અને કલમ 206 સીસીએ હેઠળ વધુ ટીસીએસ લાગુ થશે.

હવે આઈટીઆર 30 સપ્ટેમ્બર સુધી ભરી શકાશે નાણાકીય વર્ષ 2020-21 માટે આવકવેરા રીટર્ન (આઈટીઆર) ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઇથી 30 સપ્ટેમ્બર સુધી લંબાવાઈ છે. કોરોના ચેપને કારણે સરકારે કર ભરવાની સંબંધિત તારીખો વધારવાનો નિર્ણય લીધો છે.

ટીડીએસ એટલે શું ? જો કોઈ વ્યક્તિની જે આવક હોય, તો તે આવકમાંથી કર કાપ્યા બાદ, બાકીની રકમ વ્યક્તિને આપવામાં આવે છે, તે બાદ કરવામાં આવેલી રકમને ટીડીએસ કહેવામાં આવે છે. સરકાર ટીડીએસ દ્વારા ટેક્સ વસૂલે છે. તે વિવિધ પ્રકારના આવક સ્ત્રોતો પર કાપવામાં આવે છે. જેમ કે પગાર, વ્યાજ અથવા કોઈપણ રોકાણ પર મળેલ કમિશન વગેરે. કોઈપણ સંસ્થા (જે ટીડીએસના દાયરામાં આવે છે) જે ચૂકવણી કરે છે, તે ટીડીએસ તરીકેની ચોક્કસ રકમ કાપી નાખે છે.

ટીસીએસ એટલે શું ? ટીસીએસ ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ હોય છે. તેનો અર્થ આવકસ્ત્રોત પર એકત્રિત કર (આવકમાંથી એકત્રિત કર) ટીસીએસ વેચનાર, વેપારી, વિક્રેતા, દુકાનદાર દ્વારા ચૂકવવામાં આવે છે. જોકે, કોઈપણ માલ વેચતી વખતે તે ખરીદનાર અથવા ગ્રાહક પાસેથી તે જ એકત્રિત કરે છે. તેને એકત્રિત કર્યા પછી, તે જમા કરાવવું તે વેચનાર અથવા દુકાનદારનું કામ છે.

તે આવકવેરા કાયદાની કલમ 206 સી હેઠળ નિયંત્રિત છે. ફક્ત અમુક પ્રકારની વસ્તુઓના વેચાણકર્તાઓ જ તેને એકત્રિત કરે છે. આ વસ્તુઓમાં ઇંડાના લાકડા, ભંગાર, ખનીજ સામેલ છે. જ્યારે ચુકવણીની મર્યાદાથી વધુ હોય ત્યારે જ આવા કરની કપાત કરવામાં આવે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">