Surat : દિવાળી બાદ એમ્બ્રોઇડરી ઉધોગ થયો ફરી સક્રિય, 80 ટકા જેટલા યુનિટ શરૂ
માલ મળતા 15-15 દિવસ રાખવામાં આવ્યો છે. વેપારીઓએ હવે ધીમે ધીમે બહાર ગામની પાર્ટીઓને ધિરાણ ઓછું કર્યું છે. અને જોબવર્ક વેપારીઓને તરત જ પહોંચાડવામાં આવે છે.
દિવાળી (Diwali )બાદ એમ્બ્રોઇડરી(Embroidery ) ઉદ્યોગ ફરી સક્રિય થયો છે. હાલમાં 80 ટકા એમ્બ્રોઈડરી યુનિટ શરૂ થઈ ગયા છે. વેપારીઓ નવો માલ આપવામાં સાવચેતી રાખે છે. જો કે, દિવાળી પહેલા મળેલા ઓર્ડરને પૂર્ણ કરવાની કામગીરી હાલમાં ચાલી રહી છે. એમ્બ્રોઇડરીની સાથે હેન્ડવર્કનું કામ પણ પૂરજોશમાં છે. લાભ પાંચમ પછી એમ્બ્રોઇડરી યુનિટ શરૂ થયા છે. હવે લગ્નસરાની સિઝન હોવાથી વેપારીઓ પણ આટલો જ માલ વપરાશ માટે તૈયાર કરી રહ્યા છે.
માલની ડિલિવરી ગતિશીલ બની છે, જ્યારે વ્યવસાય ચક્ર 15 દિવસ સુધી ઘટાડી દેવામાં આવ્યો છે. પહેલા વેપારીઓ કારખાનેદારોને એટલો માલ આપતા હતા કે 1-2 મહિના ચાલતો હતો. હવે તે બદલાઈ ગયો છે. માલ મળતા 15-15 દિવસ રાખવામાં આવ્યો છે. વેપારીઓએ હવે ધીમે ધીમે બહાર ગામની પાર્ટીઓને ધિરાણ ઓછું કર્યું છે અને જોબવર્ક વેપારીઓને તરત જ પહોંચાડવામાં આવે છે.
જો કે, વેપારીઓએ જણાવ્યું હતું કે હજુ પણ એટલી ઝડપથી ચુકવણી થઈ નથી. હાલમાં ફેક્ટરી માટે કોઈ સમસ્યા નથી. 80 ટકા યુનિટ શરૂ થઈ ગયા છે. જે એકમોમાં કારીગરો કે માલસામાનની સમસ્યા હોય તેવા એકમો હાલમાં બંધ છે. જોબવર્કમાં પહેલાની જેમ હેન્ડ વર્કનું કામ શરૂ કરવામાં આવે છે. મોટી સંખ્યામાં મહિલાઓ હાથના કામ સાથે સંકળાયેલી છે. જો કે, ઘણા વર્ષોથી હેન્ડવર્ક માટેના વેતન દરમાં વધારો થયો નથી.
આમ, કોરોનાના કારણે ઠપ્પ થઇ ગયેલા એમ્બ્રોઇડરી ઉધોગ પણ હવે ધીરે ધીરે પાટા પર આવી રહ્યો છે. અને કામકાજ મળતા ફરી એકવાર યુનિટો ધમધમતા થયા છે. કારણ કે કોરોનાને લીધે ટેક્સ્ટાઇલ ઉધોગ સાથે જોડાયેલી આખી ચેઇનને અસર થઇ હતી. જેમાંથી એમ્બ્રોઇડરી ઉધોગ પણ બાકાત રહ્યો ન હતો.
જોકે હવે જનજીવન પૂર્વવત થતા તેમજ અન્ય રાજ્યોમાંથી ઓર્ડર મળવા લાગતા એમ્બ્રોઇડરી યુનિટો પણ શરૂ થવા લાગ્યા છે.આગામી દિવસોમાં લગ્નસરાની સીઝન શરૂ થઇ રહી હોય તેમજ દિવાળી પહેલા જે ઓર્ડર એમ્બ્રોઇડરી યુનિટોને મળ્યા છે તેને પૂર્ણ કરવાનો ટાર્ગેટ હાલ હોવાથી 80 ટકા જેટલા ઉધોગો તો શરૂ થઇ ગયા છે. અને બાકી રહેલા 20 ટકા ઉધોગો પણ આવનારા દિવસોમાં શરૂ થઇ જશે.
આ પણ વાંચો : Surat: બાળકોમાં નાનપણથી જ ટ્રાફિક સેન્સ કેળવવા 10.27 કરોડના ખર્ચે તૈયાર કરાશે કિડ્સ સીટી, જાણો વિગત
આ પણ વાંચો : હવે બળાત્કારીઓની ખેર નથી : સુરતમાં એક મહિનામાં પાંચ કેસોમાં બળાત્કારીઓને કડક સજા ફટકારાઇ