Adani Powerના શેરમાં સતત પાંચ સેશનમાં અપર સર્કિટ લાગી, જાણો આ સ્ટોકમાં તેજી પાછળ ક્યુ પરિબળ કામ કરી રહ્યું છે

શેરબજારના નિષ્ણાતો માને છે કે સમગ્ર ઉર્જા અને પાવર સેક્ટર મુખ્ય સૂચકાંકોને પાછળ રાખી શકે છે. તેનું કારણ એ છે કે કોલસાના ઓછા સપ્લાયને કારણે થર્મલ પાવર ઉત્પાદન પર ખરાબ અસર પડી છે. તે જ સમયે ગરમીના કારણે  વીજળીની માંગમાં વધારો થવાની આશંકા છે.

Adani Powerના શેરમાં સતત પાંચ સેશનમાં અપર સર્કિટ લાગી, જાણો આ સ્ટોકમાં તેજી પાછળ ક્યુ પરિબળ કામ કરી રહ્યું છે
Gautam Adani
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 28, 2022 | 8:01 AM

ગૌતમ અદાણી(Gautam Adani)ની પાવર કંપની અદાણી પાવર(Adani Power) શેરબજારમાં સતત પોતાનો ‘પાવર’ બતાવી રહી છે. ગયા અઠવાડિયે રૂ. 1 લાખ કરોડના માર્કેટ કેપ સાથે ક્લબમાં પ્રવેશ્યા પછી તે હવે છેલ્લા સળંગ પાંચ ટ્રેડિંગ સેશનમાં અપર સર્કિટને નોંધાવી રહ્યું છે. વર્ષ 2022માં મલ્ટિબેગર સ્ટોક્સમાં સમાવિષ્ટ અદાણી ગ્રૂપના આ શેરે આ વર્ષે તેના રોકાણકારોને લગભગ 200 ટકા વળતર આપ્યું છે.નિષ્ણાતો માને છે કે તેની ગતિ વધુ વધશે. BSE પર અપર સર્કિટ +4.99% હિટ કર્યા પછી અદાણી પાવરનો સ્ટોક બુધવારે રૂ. 300 પર પહોંચ્યો હતો. તેમાં રૂ. 14.25નો વધારો નોંધાયો હતો. જોકે, BSE પર તે રૂ. 297 પર ખુલ્યો હતો અને એક તબક્કે રૂ. 273.25ની નીચી સપાટીએ પહોંચી ગયો હતો.

adani power stock price

શેરબજારના નિષ્ણાતો માને છે કે સમગ્ર ઉર્જા અને પાવર સેક્ટર મુખ્ય સૂચકાંકોને પાછળ રાખી શકે છે. તેનું કારણ એ છે કે કોલસાના ઓછા સપ્લાયને કારણે થર્મલ પાવર ઉત્પાદન પર ખરાબ અસર પડી છે. તે જ સમયે ગરમીના કારણે  વીજળીની માંગમાં વધારો થવાની આશંકા છે. આ સંદર્ભમાં કોલસાનો બફર સ્ટોક ધરાવતી અદાણી પાવર જેવી મોટી પાવર મેન્યુફેક્ચરિંગ કંપનીઓને ઊંચા માર્જિનનો લાભ મળવાની અપેક્ષા છે. ચાર્ટ પેટર્નનું વિશ્લેષણ કરતાં અદાણી પાવર સ્ટોકે રૂ.260ના સ્તરે ‘ફ્લેગ પેટર્ન બ્રેકઆઉટ’ આપ્યું છે. આ સ્ટૉકએ તાજેતરમાં ‘હાયર હાયર, હાયર લો ફોર્મેશન’ પણ બનાવ્યું છે જે આ મલ્ટિબેગર સ્ટૉકમાં વધુ ઉછાળો દર્શાવે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

કોલસાનો બફર સ્ટોક નફાના માર્જિનમાં વધારો કરશે

પ્રોફિટમાર્ટ સિક્યોરિટીઝના રિસર્ચ હેડ અવિનાશ ગોરક્ષકરે અદાણી પાવરના સ્ટોકમાં થયેલા વધારાના સંબંધમાં જણાવ્યું હતું કે અદાણી પાવર દેશની સૌથી મોટી ખાનગી થર્મલ પાવર ઉત્પાદક કંપની છે. તાજેતરના સમયમાં વૈશ્વિક સ્તરે કોલસાના ભાવમાં પુરવઠા વિક્ષેપને કારણે વધારો થયો છે. આ સાથે પાવર અને કોલસા બંનેના ભાવમાં પણ વધારો થવાની સંભાવના છે. આ જ કારણ છે કે બજારને અપેક્ષા છે કે અદાણી પાવર બફર કોલ સ્ટોકના કારણે નફાના માર્જિનમાં વધારો કરશે. ઉપરાંત આ દિવસોમાં ઉનાળો ચરમસીમાએ હોવાથી વીજળીનો વપરાશ પણ વધવાની ધારણા છે.

રૂ.280 ની નીચે સ્ટોપ લોસની સલાહ

ચોઈસ બ્રોકિંગના  એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુમિત સલાહ આપે છે કે જેમના પોર્ટફોલિયોમાં અદાણી પાવરનો સ્ટોક છે તેઓ નજીકના ભવિષ્યમાં રૂ. 280 ની નીચે સ્ટોપ લોસ રાખીને તેજીમાં લાભ મેળવી શકે છે. આ શેર માટે રૂ.325 અને રૂ.340નું સ્તર બતાવાઈ શકે છે. તેમણે કહ્યું છે કે ટૂંકા ગાળાના રોકાણકારો આ સ્તરે પણ નફો બુક કરી શકે છે.

નોંધ : શેરમાં રોકાણ શેરબજારના જોખમોને આધીન હોય છે. અહેવાલનો હેતુ આપને માત્ર માહિતી પુરી પાડવાનો છે. રોકાણથી નફા કે નુકસાન સાથે અહેવાલનો કોઈ સંબંધ રહેશે નહિ. કૃપા કરી રોકાણ પહેલા તમારા આર્થિક સલાહકારની મદદ અવશ્ય લેવી

આ પણ વાંચો : PPF Claim Status Check: આ 5 સરળ સ્ટેપ દ્વારા ઓનલાઈન PPF ક્લેમ સ્ટેટસ જાણી શકાય, આ રીતે જાણો ખાતામાં પૈસા આવ્યા કે નહીં

આ પણ વાંચો : Petrol  Diesel Price Today : સતત 23મા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ન કરાયો, જાણો તમારા શહેરના ઇંધણના ભાવ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">