High Return Stock : આ 5 સ્ટોક્સ તમારા પોર્ટફોલિયોને પાવર આપશે, 1 વર્ષમાં 30% સુધી રિટર્નના અનુમાન
કોર્પોરેટ ડેવલપમેન્ટ અને સારા આઉટલૂકને પગલે બ્રોકરેજ હાઉસે કેટલાક ગુણવત્તાયુક્ત શેરોમાં ખરીદીની સલાહ આપી છે. આમાં 5 શેરો પર બ્રોકરેજ અભિપ્રાય મળી રહ્યો છે. આ શેર આગામી 12 મહિનામાં વર્તમાન ભાવથી 30 ટકા સુધીનું ઉત્તમ વળતર આપી શકે છે તેવું નિષ્ણાંતોનું અનુમાન છે.
જો તમે શેરબજાર(Share Market)માં આ 5 શેરોમાં રોકાણ કરો છો તો તમને ખુબ સારું વળતર મળી શકે છે કારણ કે આ 5 શેર પોર્ટફોલિયોને પાવર આપવા જઈ રહ્યા છે. તે 1 વર્ષમાં લગભગ 30 ટકા રિટર્ન આપે તેવી ધારણા છે. તમને જણાવી દઈએ કે ગ્લોબલ સેન્ટિમેન્ટના કારણે બજારોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુરુવારે બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી સતત સાતમા ટ્રેડિંગ સત્રમાં ઘટાડા સાથે બંધ થયા હતા. મેટલ, બેન્કિંગ અને ફાઇનાન્શિયલ શેરોમાં જોરદાર વેચવાલી જોવા મળી હતી. કોર્પોરેટ ડેવલપમેન્ટ અને સારા આઉટલૂકને પગલે બ્રોકરેજ હાઉસે કેટલાક ગુણવત્તાયુક્ત શેરોમાં ખરીદીની સલાહ આપી છે. આમાં 5 શેરો પર બ્રોકરેજ અભિપ્રાય મળી રહ્યો છે. આ શેર આગામી 12 મહિનામાં વર્તમાન ભાવથી 30 ટકા સુધીનું ઉત્તમ વળતર આપી શકે છે તેવું નિષ્ણાંતોનું અનુમાન છે.
- HDFC Bank બ્રોકરેજ ફર્મ શેરખાને એચડીએફસી બેંકના શેર પર ખરીદીની સલાહ આપી છે. શેર દીઠ ટાર્ગેટ પ્રાઇસ રૂ. 1800 છે. 29 સપ્ટેમ્બર 2022ના રોજ શેરની કિંમત 1,381 રૂપિયા હતી. 30 સપ્ટેમ્બરે બંધ ભાવ 1422 હતો. આ રીતે રોકાણકારોને શેર દીઠ રૂ. 400 રૂપિયા અથવા આગળ જતાં લગભગ 30 ટકા વળતર મળી શકે છે.
- Godrej Consumer Products બ્રોકરેજ ફર્મ શેરખાને ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સના સ્ટોક પર ખરીદીની સલાહ આપી છે. શેર દીઠ ટાર્ગેટ પ્રાઇસ રૂ 1000 છે. 29 સપ્ટેમ્બર 2022ના રોજ શેરની કિંમત 909 રૂપિયા હતી. 30 તારીખે બંધ ભાવ 907.80 રૂપિયા હતો. આ રીતે, રોકાણકારોને શેર દીઠ રૂ. 91 અથવા ભવિષ્યમાં લગભગ 10 ટકા વળતર મળી શકે છે.
- Divi’s Laboratories બ્રોકરેજ ફર્મ શેરખાને દિવીની લેબોરેટરીઝના સ્ટોક પર ખરીદીની સલાહ આપી છે. શેર દીઠ ટાર્ગેટ પ્રાઇસ રૂ 4450 છે. 29 સપ્ટેમ્બર 2022ના રોજ શેરની કિંમત 3,674 રૂપિયા હતી.શુક્રવારે બંધ ભાવ 3699 રૂપિયા હતો. આ રીતે, રોકાણકારો આગળ જતાં રૂ. 776 અથવા પ્રતિ શેર 21 ટકાનું વળતર મેળવી શકે છે.
- Bosch બ્રોકરેજ ફર્મ શેરખાને બોશ સ્ટોક પર ખરીદીની સલાહ આપી છે. શેર દીઠ ટાર્ગેટ પ્રાઇસ રૂ. 19795 છે. 29 સપ્ટેમ્બર 2022ના રોજ શેરની કિંમત 15,735 રૂપિયા હતી. ૩૦ સપ્ટેમ્બરે બંધ ભાવ 15834 હતો.આ રીતે, રોકાણકારોને પ્રતિ શેર 4060 રૂપિયા અથવા લગભગ 26 ટકા વળતર મળી શકે છે.
- Sudarshan Chemical બ્રોકરેજ ફર્મ શેરખાને સુદર્શન કેમિકલના સ્ટોક પર ખરીદીની સલાહ આપી છે. શેર દીઠ ટાર્ગેટ પ્રાઇસ રૂ 510 છે. 29 સપ્ટેમ્બર 2022ના રોજ શેરની કિંમત 414 રૂપિયા હતી. આ રીતે, રોકાણકારોને શેર દીઠ રૂ. 96 અથવા આગળ જતાં લગભગ 23 ટકા વળતર મળી શકે છે.
નોંધ :- અહેવાલમાં રોકાણની સલાહ બ્રોકરેજ દ્વારા આપવામાં આવી છે. રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ અવશ્ય લેવી.