વિદેશી રોકાણકારોએ ભારતીય બજારો તરફ વિશ્વાસ પ્રદર્શિત કર્યો, ઓગસ્ટમાં 49 હજાર કરોડ રૂપિયાના શેર ખરીદ્યા

જુલાઈમાં FPIs સતત નવ મહિનાના વેચાણ પછી પ્રથમ વખત ચોખ્ખા ખરીદદાર બન્યા હતા. તેમનું વેચાણ ચક્ર ગયા વર્ષે ઓક્ટોબરથી શરૂ થયું હતું અને આ વર્ષે જૂન સુધી ચાલ્યું હતું.

વિદેશી રોકાણકારોએ ભારતીય બજારો તરફ વિશ્વાસ પ્રદર્શિત કર્યો, ઓગસ્ટમાં 49 હજાર કરોડ રૂપિયાના શેર ખરીદ્યા
FPI Investment Increase
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 29, 2022 | 6:54 AM

વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) એ ઓગસ્ટમાં ભારતીય શેરબજાર(Share Market)માં જબરદસ્ત રોકાણ કર્યું છે. ગયા મહિને FPIs લાંબા અંતર પછી ખરીદદાર બન્યા હતા. કંપનીઓના સારા ત્રિમાસિક પરિણામો અને મજબૂત મેક્રો ફંડામેન્ટલ્સ વચ્ચે વિદેશી રોકાણકારોએ ઓગસ્ટમાં નેટ રૂ. 49,254 કરોડના શેર ખરીદ્યા હતા. આ માહિતી ડિપોઝિટરીના ડેટા પરથી મળી છે. જુલાઈમાં FPIs દ્વારા કરાયેલા રૂ. 5,000 કરોડના રોકાણ કરતાં આ ઘણો ઊંચો આંકડો છે. નિષ્ણાંતો અનુસાર શ્વિક બજારમાં મંદી અને ક્રૂડ ઓઈલના ઊંચા ભાવની આશંકા છતાં કંપનીઓના ત્રિમાસિક પરિણામો સારા રહ્યા છે. એફપીઆઈએ ભારતીય બજારમાં ભારે ખરીદી કરી છે તેનું આ એક મુખ્ય કારણ છે.

જુલાઈ પહેલા નવ મહિના સુધી વેચવાલી રહી હતી

જુલાઈમાં FPIs સતત નવ મહિનાના વેચાણ પછી પ્રથમ વખત ચોખ્ખા ખરીદદાર બન્યા હતા. તેમનું વેચાણ ચક્ર ગયા વર્ષે ઓક્ટોબરથી શરૂ થયું હતું અને આ વર્ષે જૂન સુધી ચાલ્યું હતું. આ દરમિયાન તેમણે 2.46 લાખ કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. ફિનટેક પ્લેટફોર્મ ગોલટેલરના સ્થાપક સભ્ય વિવેક બાંકાએ જણાવ્યું હતું કે આગામી મહિનાઓમાં FPIsનું વલણ કોમોડિટીના ભાવ, ભૌગોલિક રાજકીય વિકાસ, કંપનીઓના ત્રિમાસિક પરિણામો અને વ્યાજ દરો પર ફેડરલ રિઝર્વના વલણ દ્વારા મોટાભાગે નક્કી કરવામાં આવશે.

જિયોજીત ફાઇનાન્શિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વીકે વિજયકુમારે જણાવ્યું હતું કે ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે જેક્સન હોલમાં વધુ પડતું આક્રમક વલણ દર્શાવ્યું છે. તેમણે કહ્યું કે આનાથી ટૂંકા ગાળામાં ભારતીય બજારોમાં એફપીઆઈના પ્રવાહને અસર થઈ શકે છે. ડિપોઝિટરી ડેટા અનુસાર FPIsએ 1 થી 26 ઓગસ્ટ સુધીમાં ભારતીય સ્ટોક એક્સચેન્જોમાં ચોખ્ખા રૂ. 49,254 કરોડનું રોકાણ કર્યું છે. ચાલુ વર્ષમાં તેમના દ્વારા કરવામાં આવેલ આ સૌથી વધુ રોકાણ છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

મંદીના ભયની કોઈ અસર થઈ ન હતી

ધાનાના સ્થાપક જય પ્રકાશ ગુપ્તાએ જણાવ્યું હતું કે વૈશ્વિક બજારમાં મંદી અને ક્રૂડ ઓઈલના ઊંચા ભાવની આશંકા છતાં કંપનીઓના ત્રિમાસિક પરિણામો સારા રહ્યા છે. એફપીઆઈએ ભારતીય બજારમાં ભારે ખરીદી કરી છે તેનું આ એક મુખ્ય કારણ છે. તે જ સમયે, કોટક સિક્યોરિટીઝના હેડ ઇક્વિટી રિસર્ચ (રિટેલ) શ્રીકાંત ચૌહાણ પણ માને છે કે કંપનીઓના સારા ત્રિમાસિક પરિણામોને કારણે ભારતીય બજારોમાં FPIsનો પ્રવાહ વધ્યો છે.

હિમાંશુ શ્રીવાસ્તવે, એસોસિયેટ ડિરેક્ટર-મેનેજર રિસર્ચ, મોર્નિંગસ્ટાર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે ફુગાવો હજુ પણ ઊંચો હોવા છતાં, તાજેતરના સમયમાં વૃદ્ધિ અપેક્ષા કરતાં ઓછી રહી છે જેના કારણે સેન્ટિમેન્ટમાં સુધારો થયો છે. તેમણે કહ્યું કે આવી સ્થિતિમાં યુએસ સેન્ટ્રલ બેંક ઓછું આક્રમક વલણ અપનાવે તેવી શક્યતા છે. ભારતીય બજારોમાં FPIsની ખરીદીમાં વધારો થવા પાછળનું આ એક મુખ્ય કારણ છે. FPIs એ પણ સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન ડેટ અથવા બોન્ડ માર્કેટમાં રૂ. 4,370 કરોડનું ચોખ્ખું રોકાણ કર્યું છે.

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">