શું તમારી પાસે ADANI GROUP ના શેર છે ? હાલના સમયમાં શેર વેચી દેવા કે HOLD કરવા જોઈએ ? જાણો શું છે નિષ્ણાંતોની સલાહ
ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી(Gautam Adani)ના અદાણી જૂથની ઘણી કંપનીઓના શેર છેલ્લા ચાર સત્રથી લોઅર સર્કિટમાં છે. અદાણી ગ્રૂપ(Adani Group)ની કંપનીઓમાં રોકાણકારોના રોકાણની ચિંતા વધી ગઈ છે.
ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી(Gautam Adani)ના અદાણી જૂથની ઘણી કંપનીઓના શેર છેલ્લા ચાર સત્રથી લોઅર સર્કિટમાં છે. અદાણી ગ્રૂપ(Adani Group)ની કંપનીઓમાં રોકાણકારોના રોકાણની ચિંતા વધી ગઈ છે. તાજેતરના ઘટનાક્રમ બાદ અદાણી ગ્રુપની કંપનીઓમાં રોકાણ કરતા છૂટક રોકાણકારોના મનમાં સતત પ્રશ્ન ઉભો થાય છે કે શું તેઓએ આ શેર હોલ્ડ કરવા જોઇએ કે વેચી દઈ નુકસાન ઓછું કરવું જોઈએ. જાણો આ મામલે તજજ્ઞોના શું અભિપ્રાય છે.
F&O સમાપ્તિ મહત્વપૂર્ણ છે સીએનઆઈ રિસર્ચ લિમિટેડના સીએમડી કિશોર ઓસ્વાલે કહ્યું કે રોકાણકારોએ વાયદા અને વિકલ્પો (F&O) ની સમાપ્તિ સુધી રાહ જોવી જોઈએ. તેમણે કહ્યું કે અદાણી ગ્રુપની કંપનીઓમાં જેમના શેર છે, તેઓએ તેમને હાલના સમય માટે હોલ્ડ રાખવો જોઈએ. ૨૪ જૂન પછી કિંમતમાં થોડો સુધારો થવાની સંભાવના છે. રોકાણકારો કે જેઓ શેર ખરીદવા માંગતા હોય તેઓએ આ જૂથ કંપનીઓના શેર 22-23 જૂનની આસપાસ ખરીદવા જોઈએ.
રોકાણકારોએ સતર્ક રહેવું જોઈએ એસએમસી ગ્લોબલ સિક્યોરિટીઝના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મહેશ સી ગુપ્તાએ જણાવ્યું હતું કે અદાણી ગ્રૂપ અને એનએસઈએ સોમવારના અહેવાલમાં સ્પષ્ટતા કરી છે. છતાં અદાણીની કંપનીઓના શેર સતત ઘટી રહ્યા છે. આવી સ્થિતિમાં રોકાણકારોએ રાહ wait and watch ની વ્યૂહરચના અપનાવી સાવધ રહેવું જોઈએ. જો કે હાલ ગભરાવાની જરૂર નથી. કંપનીના શેર એકત્રીકરણના તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે.
અદાણીના શેરમાં સતત લોઅર સર્કિટ નોંધાઈ રહી છે બજારમાં ગભરાટના માહોલ વચ્ચે અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં વેચવાલી શરૂ થઇ છે. ગ્રુપની ૬ કંપનીઓ પૈકી ૫ માં સતત લોઅર સર્કિટ લાગી રહી છે અને શેર સતત લાલ નિશાન નીચે ટ્રેડ કરી રહ્યા છે.અદાણી ગ્રુપમાં માત્ર અદાણી એન્ટરપ્રાઇઝ ઓછું નુકશાન દર્શાવે છે અન્ય મોટાભાગના શેર લોઅર સર્કિટ સાથે બંધ થઇ રહ્યા છે.
શું હતો મામલો સોમવારે એક ખબરના પગલે શેરમાં કડાકો બોલ્યો હતો. ઉદ્યોગપતિ ગૌતમ અદાણી(Gautam Adani)ના ગ્રુપ અને NSDL એ સ્પષ્ટતા કરીછે કે તેના ટોચના શેરધારક સહિત ત્રણ વિદેશી ભંડોળના ખાતા ફ્રીઝ થયા નથી અને આવા અહેવાલો સ્પષ્ટપણે ખોટા અને ગેરમાર્ગે દોરનારા છે. અદાણી જૂથની કંપનીઓમાં હિસ્સો ધરાવતા કેટલાક એફપીઆઇ ખાતાઓના નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL) દ્વારા કથિત જપ્તીના અહેવાલો પછી સોમવારથી અદાણીની કંપનીઓના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.