Closing Bell: સતત પાંચમાં દીવસે શેરબજારમાં ઘટાડો, સેન્સેક્સ 1158 પોઈન્ટ તુટ્યો, 52,930 પર બંધ

મોટાભાગના નિષ્ણાતોના બજારમાં (Share Market) ઘટાડા માટે નબળો રૂપિયો, કોરોના સંક્રમણને કારણે લોકડાઉન, વધતી મોંઘવારી, રશિયા-યુક્રેન યુદ્ધ (Russia-Ukraine War) , પામ ઓઈલની આયાત બંધ કરવી અને ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાને જવાબદાર માની રહ્યા છે.

Closing Bell: સતત પાંચમાં દીવસે શેરબજારમાં ઘટાડો, સેન્સેક્સ 1158 પોઈન્ટ તુટ્યો, 52,930 પર બંધ
Closing Bell
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 12, 2022 | 4:26 PM

Share Market Updates: ભારતીય શેરબજારમાં (Stock Market) સતત પાંચમા દિવસે ગુરુવારે પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સમાં 1158 પોઈન્ટનો ઘટાડો આવ્યો છે. આ સાથે સેન્સેક્સ 52,930 પર બંધ થયો છે. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો નિફ્ટી પણ 359.10 અથવા 2.22% પોઈન્ટ ઘટીને 15,808.90 પર બંધ થયો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સ બપોરે 2.30 વાગ્યે 1356.55 પોઈન્ટ ઘટીને 52,731.84 પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ નિફ્ટી પણ 428 પોઈન્ટ ઘટીને 15,738.90 પર ટ્રેડ કરી રહ્યો હતો. સૌથી મોટો ઘટાડો બેંકિંગ શેરોમાં જોવા મળ્યો.

અગાઉ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સ 480 પોઈન્ટ ઘટીને 53,608.35 પર હતો. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો નિફ્ટી પણ 181 પોઈન્ટના ઘટાડા સાથે 15,935.20 ના સ્તરે ખુલ્યો હતો.

BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો પણ ઘટ્યા હતા. મિડકેપ ઈન્ડેક્સ 495.84 પોઈન્ટ અથવા 2.24% ઘટીને 21,645.13 પર બંધ થયો. સ્મોલકેપ ઈન્ડેક્સ 500.41 પોઈન્ટ અથવા 1.96% ઘટીને 24,995.51 પર બંધ થયો. મિડકેપમાં સૌથી મોટો 15.61%નો ઘટાડો વિનસ રેમેડીઝમાં જોવા મળ્યો હતો.

કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે

ઓલ ટાઈમ લો પર પહોચ્યો રૂપિયો

આજે ભારતીય રૂપિયો ડોલર સામે નવી નીચી સપાટીએ પહોંચી ગયો છે. રૂપિયો આજે 27 પૈસા નબળો પડીને 77.17 પર ખૂલ્યો હતો અને 52 પૈસા નબળો પડીને 77.42 પર પહોંચ્યો હતો. નિષ્ણાતોના મતે વૈશ્વિક ઈક્વિટી માર્કેટમાં ઘટાડાની અને મોંઘવારીની અસર રૂપિયા પર દેખાઈ રહી છે.

આ છે બજારમાં ઘટાડાના કારણો

મોટાભાગના નિષ્ણાતોના બજારમાં ઘટાડા માટે નબળો રૂપિયો, કોરોના સંક્રમણને કારણે લોકડાઉન, વધતી મોંઘવારી, રશિયા-યુક્રેન યુદ્ધ, પામ ઓઈલની આયાત બંધ કરવી અને ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાને જવાબદાર માની રહ્યા છે. રૂપિયાની નબળાઈ અને કોરોનાને કારણે ચીનમાં કડક લોકડાઉનને કારણે બજારની ચિંતા વધી ગઈ છે.

આજે એલઆઈસીના શેરોનું એલોટમેન્ટ

LIC IPO 9મી મે સુધી રોકાણ માટે ખુલ્લો હતો. હવે IPO બંધ થયા બાદ શેરની ફાળવણી આજે એટલે કે 12 મેના રોજ થઈ રહી છે. મતલબ આજે તમને ખબર પડશે કે IPOમાં શેર મળ્યા છે કે નહીં. આ પછી, LIC IPO 17 મેના રોજ શેરબજારમાં લિસ્ટ થશે.

મોંઘવારીને લઈને આરબીઆઈનું વલણ સખ્ત

દરમિયાન, સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે મોંઘવારી પર આરબીઆઈનું વલણ કડક બન્યું છે. આરબીઆઈ આગામી દિવસોમાં ફરી દરમાં વધારો કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મોંઘવારી આ સમયે સૌથી મોટો ખતરો બની ગયો છે, જેને નિયંત્રિત કરવા માટે આરબીઆઈ આગામી 6 થી 8 મહિના સુધી પગલાં લેવાનું ચાલુ રાખશે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">