ટાટા સન્સ અને સિંગાપોર એરલાઇન્સ માર્ચ 2024 સુધીમાં એર ઇન્ડિયા અને ‘વિસ્તારા’નું મર્જર કરશે

સિંગાપોર એરલાઇન્સ લિમિટેડ ટ્રાન્ઝેક્શનના ભાગરૂપે એર ઇન્ડિયામાં 250 મિલિયન ડોલરનું રોકાણ કરશે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ માર્ચ 2024 સુધીમાં મર્જરને પૂર્ણ કરવાનું લક્ષ્ય ધરાવે છે.

ટાટા સન્સ અને સિંગાપોર એરલાઇન્સ માર્ચ 2024 સુધીમાં એર ઇન્ડિયા અને 'વિસ્તારા'નું મર્જર કરશે
AirPort
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2022 | 5:27 PM

વિસ્તારા એરલાઇન્સ માર્ચ 2024 સુધીમાં ટાટા સન્સની માલિકીની એર ઇન્ડિયા સાથે મર્જ કરવામાં આવશે. સિંગાપોર એરલાઇન્સ દ્વારા એક રિલીઝમાં આ માહિતી આપવામાં આવી છે. ટાટા સન્સ અને સિંગાપોર એરલાઇન્સ વચ્ચે મર્જરની વાતચીત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. વિસ્તારા એરલાઇન્સ ટાટા સન્સ અને સિંગાપોર એરલાઇન્સ બંનેની માલિકીની છે, જેમાં સિંગાપોર એરલાઇન્સ બહુમતી ધરાવે છે. આ નવી વ્યવસ્થાનો અર્થ એ થશે કે હવે એર ઈન્ડિયા બ્રાન્ડ હેઠળ વધુ એરક્રાફ્ટ અને વધુ રૂટ હશે.

બીજી સૌથી મોટી એરલાઈન બની જશે

ટાટા સન્સ એર ઈન્ડિયા સાથે વિસ્તારાના મર્જર દ્વારા ઉડ્ડયન ક્ષેત્રમાં મોટું સામ્રાજ્ય સ્થાપિત કરવા માંગે છે. મર્જરના નિર્ણય બાદ એર ઈન્ડિયા દેશમાં એરક્રાફ્ટની સંખ્યા અને બજાર હિસ્સાની દ્રષ્ટિએ બીજી સૌથી મોટી એરલાઈન બની જશે.

એરલાઈન્સને એર ઈન્ડિયા બ્રાન્ડના નામથી જ ઓપરેટ કરશે

એર ઈન્ડિયાને ખરીદવાની રેસમાં ટાટા જૂથને વિજયી જાહેર કરવામાં આવ્યું હતું. જે બાદ જાન્યુઆરી 2022માં ટાટાએ ભારત સરકાર પાસેથી એર ઈન્ડિયાને હસ્તગત કરી હતી. એર ઈન્ડિયાના અધિગ્રહણ પહેલા, ટાટા પાસે વિસ્તારા અને એરએશિયા નામથી કાર્યરત બે એરલાઈન બ્રાન્ડ્સ પહેલેથી જ હતી. એર ઈન્ડિયાના અધિગ્રહણ બાદ ટાટાને એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસ બ્રાન્ડ્સ પણ મળી. ટાટાએ કહ્યું છે કે તે એરએશિયાને સંપૂર્ણપણે ખરીદશે અને તેને ઓછી કિંમતના કેરિયર તરીકે એર ઈન્ડિયા એક્સપ્રેસ સાથે મર્જ કરશે. એટલે કે ટાટા તમામ એરલાઈન્સને એર ઈન્ડિયા બ્રાન્ડના નામથી જ ઓપરેટ કરશે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

લાંબા સમય ચાલતી હતી વિચારણા

ટાટા જૂથ લાંબા સમય પહેલા એર ઈન્ડિયા લિમિટેડ હેઠળ તેની ચાર એરલાઈન બ્રાન્ડના વિલીનીકરણની યોજના બનાવી રહ્યું હોવાના અહેવાલો હતા. તે જ મહિનામાં, ટાટા જૂથ તેની ત્રણ એરલાઇન્સ વિસ્તારા, એર એશિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસના એર ઇન્ડિયા સાથે મર્જર વિશે અનુમાન કરી રહ્યું હતું. તે જ સમયે, સિંગાપોર એરલાઇન્સે આ મહિને કહ્યું હતું કે તે આ મામલે ટાટા જૂથ સાથે વાતચીત કરી રહી છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">