SHARE MARKET: તકનિકી ક્ષતિના કારણે NSEનો કારોબાર પ્રભાવિત થતાં શેરબજાર 5 વાગ્યા સુધી ખુલ્લું રહેશે
એનએસઈમાં તકનિકી સમસ્યાઓ સર્જાવાના કારણે બુધવારે સાંજે 5 વાગ્યા સુધી શેર બજારો ખુલ્લા રહેશે. આજે ટ્રેડિંગ સેશનમાં સવારે 11.40 વાગ્યે નેશનલ સ્ટોક એક્સચેંજ (NSE) પર ટ્રેડિંગ અટકી હતી.
SHARE MARKET: એનએસઈમાં તકનિકી સમસ્યાઓ સર્જાવાના કારણે બુધવારે સાંજે 5 વાગ્યા સુધી શેર બજારો ખુલ્લા રહેશે. આજે ટ્રેડિંગ સેશનમાં સવારે 11.40 વાગ્યે નેશનલ સ્ટોક એક્સચેંજ (NSE) પર ટ્રેડિંગ અટકી હતી. હકીકતમાં તકનીકી ખામીના કારણે ડેટા અપડેટ્સ ન થવાથી વેપાર અટકાવવો પડ્યો હતો.
એનએસઈ અનુસાર સમસ્યા તકનિકી કારણોસર થઈ હતી, જે ટૂંક સમયમાં ઠીક કરી દેવાઈ હતી.અસલમાં લિંકમાં સમસ્યા થઈ હતી છે જેણે એનએસઈ સિસ્ટમને અસર કરી હતી. બપોરે 3.45 વાગ્યે એનએસઈમાં વેપાર શરૂ થયો હતો. આ અગાઉ વહેલી સવારે 3.30 વાગ્યે પ્રિ ઓપન માર્કેટ કારોબાર શરૂ થયો હતો. આ સાથે BSEમાં પણ સાંજે 5 વાગ્યા સુધી કારોબાર કરવામાં આવશે. તેનો કટ ઓફ ટાઈમ સાંજે 5.50 વાગ્યે રહેશે. અગાઉ આજે સવારે 11:40 વાગ્યે નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)ની સિસ્ટમમાં ખામી સર્જાઈ હતી. જે ભાવે લોકો શેર ખરીદે છે, તે એક્સચેન્જ પર દેખાવાનું બંધ થઈ ગયું છે. આને કારણે વેપાર બંધ થઈ ગયો હતો.
We are working on restoring the systems as soon as possible. In view of the above, all the segments have been closed at 11:40 and will be restored as soon as issue is resolved.
— NSEIndia (@NSEIndia) February 24, 2021
તકનિકી સમસ્યા હવે સુધરી છે. આ પછી વ્યવસાયનો સમય વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત જે પણ ઓર્ડર પેન્ડિંગ હતા, તે રદ કરવામાં આવ્યા છે.
સાંજે 4 વાગ્યે શેરબજારની સ્થિતિ બજાર સૂચકઆંક વૃદ્ધિ સેન્સેક્સ 50,300.27 +548.86 (1.10%) નિફટી 14,865.35 +157.55 (1.07%)