SBIએ 44 કરોડ ગ્રાહકોને કર્યા એલર્ટ ! મોબાઇલ પર મળે આ SMS તો તરત આ પગલું ભરો, નહીં તો મોટું નુકસાન થશે

દેશની સૌથી મોટી સરકારી બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ (State Bank of India) UPIના 44 કરોડથી વધુ ગ્રાહકો જોગ ચેતવણી જારી કરી છે. SBIએ તેના Twitter હેન્ડલ પર ગ્રાહકોને ચેતવણી આપી છે.

SBIએ 44 કરોડ ગ્રાહકોને કર્યા એલર્ટ ! મોબાઇલ પર મળે આ SMS તો તરત આ પગલું ભરો, નહીં તો મોટું નુકસાન થશે
SBI PO Recruitment 2021
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Feb 27, 2021 | 7:50 AM

દેશની સૌથી મોટી સરકારી બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ(State Bank of India) UPIના 44 કરોડથી વધુ ગ્રાહકો જોગ ચેતવણી જારી કરી છે. SBIએ તેના Twitter હેન્ડલ પર ગ્રાહકોને ચેતવણી આપી છે. બેંકે કહ્યું છે કે જો તમને UPI દ્વારા એકાઉન્ટમાંથી પૈસા ડેબિટ કરવાનું એસએમએસ એલર્ટ મળે છે અને ટ્રાન્ઝેક્શન તમારા દ્વારા કરવામાં આવ્યું નથી, તો એલર્ટ થઈ જાવ. એસબીઆઈએ મામલે કહ્યું છે કે, આ સૂચનોને અનુસરો અને સાવધ રહો.

એસબીઆઈએ ટ્વીટ કરીને પોતાના લાખો ગ્રાહકોને સતર્ક કર્યા છે. બેંકે કહ્યું કે, જો યુપીઆઈ ટ્રાન્ઝેક્શન તમારા દ્વારા કરવામાં આવ્યું નથી અને તમને પૈસાના ડેબિટિંગ માટે એસએમએસ મળે છે તો પહેલા યુપીઆઈ સેવા ડિસેબલ કરો. યુપીઆઈ સેવા બંધ કરવા અંગે બેંકે માહિતી આપી છે.

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

UPI ફ્રોડ સામે ચેતવણી એસબીઆઇ ગ્રાહકો દ્વારા સમય-સમય પર ઓનલાઇન ફ્રોડના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને ચેતવણી આપવામાં આવે છે. અગાઉ, બેંકે ઇન્સ્ટન્ટ લોન એપ્લિકેશન તરફ ગ્રાહકોને ચેતવણી આપી હતી. કોઈપણ કાગળની કાર્યવાહી કર્યા વિના માત્ર બે મિનિટમાં તમને લોન આપવાનો દાવો કરતી કોઈપણ ઇન્સ્ટન્ટ લોન એપ્લિકેશનને ટાળવા જણાવાયું હતું. ઘણીવાર લોકો આ રીતે લોન લે છે પરંતુ તે પછી તેમને મોટો વ્યાજ દર ચૂકવવો પડે છે.

UPI સેવાને કેવી રીતે ડિસેબલ કરવી બેંકે યુપીઆઈ સેવા બંધ કરવા ટીપ્સ આપી છે. ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 1800111109 પર ફોન કરીને ગ્રાહકો યુપીઆઈ સેવા બંધ કરી શકે છે. અથવા તમે આઈવીઆર નંબર 1800-425-3800 / 1800-11-2211 પર પણ કોલ કરી શકો છો.

અન્ય એક વિકલ્પ તરીકે https://cms.onlinesbi.sbi.com/cms/ પર તમારી ફરિયાદ નોંધાવી શકો છો. 9223008333 નંબર પર એસએમએસ મોકલી શકાય છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">