RBI GOVERNER શક્તિકાંત દાસ ટૂંક સમયમાં સંબોધન કરશે, મોટી ઘોષણાની શક્યતા
ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર(RBI GOVERNER) આજે સવારે 10 વાગ્યે સંબોધન કરશે. તેમનું આ સંબોધનું અગાઉથી નિર્ધારીત ન હતું.
ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર(RBI GOVERNER) આજે સવારે 10 વાગ્યે સંબોધન કરશે. તેમનું આ સંબોધનું અગાઉથી નિર્ધારીત ન હતું. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તેના ટ્વિટર હેન્ડલથી આ માહિતી શેર કરી છે. RBIના જણાવ્યા અનુસાર શશીકાંતદાસ આજે 5 મેના રોજ સવારે 10 વાગ્યે પોતાનું સંબોધન આપશે.
Watch out for the address by RBI Governor @DasShaktikanta at 10:00 am today, May 05, 2021.
YouTube: https://t.co/QPLkdTkKve#rbitoday #rbigovernor
— ReserveBankOfIndia (@RBI) May 5, 2021
દેશ હાલમાં કોરોના રોગચાળાની બીજી લહેર સામે ઝઝૂમી રહ્યો છે. જુદા જુદા રાજ્યોમાં લોકડાઉનને કારણે ઉદ્યોગોને માઠી અસર થઈ છે. આવી સ્થિતિમાં આરબીઆઈના ગવર્નર શશીકાંતદાસ કંઈક મોટી જાહેરાત કરી શકે તેવી આશા રાખવામાં આવી રહી છે.
મંગળવારે માત્ર એક જ દિવસમાં 3 લાખ 82 હજારથી વધુ કેસ નોંધાયા હતા જે સોમવાર કરતાં લગભગ 28 હજાર વધુ કેસ છે. ઉલ્લેખનીય કે ભારતમાં કોવિડ – 19 ના કેસ 2 કરોડને પાર કરી ગયા છે અને સંક્રમણના 50 લાખથી વધુ મામલા ફક્ત 15 દિવસમાં નોંધાયા છે.