રાકેશ ઝુનઝુનવાલાની અકાસા એરનો ડેટા થયો ચોરી, યુઝર્સની સૂચનાઓ લીક
કંપનીની વેબસાઈટ પર પોસ્ટ કરાયેલી માહિતી અનુસાર 25 ઓગસ્ટના રોજ લોગીન અને સાઈન-અપ સેવાઓમાં કેટલીક અસ્થાયી ટેકનિકલ ખામીઓ નોંધાઈ હતી અને ફોન નંબરની માહિતી કેટલાક અનધિકૃત લોકો માટે ઉપલબ્ધ થઈ ગઈ છે.
તાજેતરમાં શરૂ થયેલી એરલાઈન અકાસા એરના (Akasa Air) ડેટાના ભંગને કારણે યુઝર્સની માહિતીને અનધિકૃત રીતે એક્સેસ કરવાનો મામલો સામે આવ્યો છે. અકાસા એર, જેણે ગત 7 ઓગસ્ટના રોજ કામગીરી શરૂ કરી હતી, તેણે ખલેલ માટે તેના ગ્રાહકોની માફી માંગી છે અને પોતે આ બાબતે CERT-Inને જાણ કરી છે.
તકનીકી ભૂલ આવી સામે
કંપનીની વેબસાઈટ પર પોસ્ટ કરાયેલી માહિતી અનુસાર 25 ઓગસ્ટના રોજ લોગીન અને સાઈન-અપ સેવાઓમાં કેટલીક અસ્થાયી ટેકનિકલ ખામીઓ નોંધાઈ હતી અને ફોન નંબરની માહિતી કેટલાક અનધિકૃત લોકો માટે ઉપલબ્ધ થઈ ગઈ છે. એરલાઈને સ્પષ્ટતા કરી છે કે આ માહિતી સિવાય મુસાફરી સંબંધિત અન્ય કોઈ માહિતી અથવા ટ્રાવેલ રેકોર્ડ અને પેમેન્ટ વિશેની માહિતી જાહેર કરવામાં આવી નથી.
તમને જણાવી દઈએ કે તેની પ્રથમ ફ્લાઈટને ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ફ્લેગ ઓફ કરી હતી. અકાસા એર દેશના પ્રખ્યાત રોકાણકાર અને સ્ટોક બ્રોકર સ્વર્ગસ્થ રાકેશ ઝુનઝુનવાલાની એરલાઈન કંપની છે. સિંધિયાએ મુંબઈથી અકાસા એરની પ્રથમ કોમર્શિયલ ફ્લાઈટને ફ્લેગ ઓફ કરી જેને અમદાવાદ માટે ઉડાન ભરી હતી. આકાસા એરનો બિઝનેસ રાકેશ ઝુનઝુનવાલા, એરલાઈન્સ દિગ્ગજ આદિત્ય ઘોષ અને વિનય દુબે સાથે મળીને સંભાળી રહ્યા છે. આ કંપનીને ડિરેક્ટોરેટ ઓફ સિવિલ એવિએશન એટલે કે DGCA તરફથી 7 જુલાઈએ ઉડાન ભરવાની મંજૂરી મળી હતી. આના બરાબર એક મહિના પછી એટલે કે 7 ઓગસ્ટના રોજ પ્રથમ ફ્લાઈટ ઉડાન ભરી. અકાસાની પ્રથમ કોમર્શિયલ ફ્લાઈટનું નામ મુંબઈ-અમદાવાદ હતું.
સિંધિયાએ કહ્યું હતું કે આ નવા વાતાવરણમાં અકાસા એરનું સ્વાગત છે. જે પ્રકારની તેજી રોડ અને રેલ ટ્રાન્સપોર્ટમાં જોવા મળે છે, તેવો જ વિકાસ આગામી સમયમાં ઉડ્ડયન ઉદ્યોગમાં જોવા મળશે. અકાસા આગામી 5 વર્ષમાં 72 એરક્રાફ્ટ ઉડાવવાની યોજના ધરાવે છે, જેથી સમગ્ર દેશને અકાસાની ફ્લાઈટ દ્વારા આવરી લેવામાં આવે. રાકેશ ઝુનઝુનવાલાના વખાણ કરતા સિંધિયાએ કહ્યું કે તેઓ હંમેશા એક નવીન વિચાર ધરાવે છે અને તે જ આકાસામાં જોવા મળશે.