Railweyની કમાણીમાં વધારો, નૂર આવકમાં કોરોના પછી પ્રથમ વખત ગત વર્ષની સરખામણીએ વધારો
ભારતીય રેલ્વે (Indian Railways) ને લઈ રાહતના સમાચાર આવી રહ્યા છે. COVID-19 મહામારી પછી પ્રથમ વખત રેલ્વેની નૂર આવક પાછલા નાણાકીય વર્ષ કરતા વધારે નોંધાઈ છે.
ભારતીય રેલ્વે (Indian Railways) ને લઈ રાહતના સમાચાર આવી રહ્યા છે. COVID-19 મહામારી પછી પ્રથમ વખત રેલ્વેની નૂર આવક પાછલા નાણાકીય વર્ષ કરતા વધારે નોંધાઈ છે. રેલ્વેએ જણાવ્યું છે કે કોરોના વાયરસના રોગચાળા પછી પહેલીવાર તેની સંયુક્ત માલભાડા આવક છેલ્લા નાણાકીય વર્ષ કરતા વધુ થઇ છે. રેલ્વે અહેવાલ આપ્યો છે કે નાણાકીય વર્ષ 2020-21માં એપ્રિલથી ફેબ્રુઆરી દરમિયાન તેની કુલ માલવાહક આવક રૂ 98,068.45 કરોડ થી છે જે ગયા વર્ષના સમાન ગાળામાં રૂ 97 97,342૨.૧4 કરોડ હતી.
ફેબ્રુઆરીના 12 દિવસમા 4,571 કરોડ નૂર આવક રેલ્વેના જણાવ્યા અનુસાર, ફેબ્રુઆરી 2021 ના પ્રથમ 12 દિવસમાં પાછલા વર્ષના સમાન ગાળાના સરખામણીએ 5 ટકાનો વધારો થયો છે. અંદાજ મુજબ, નૂર આવક ફેબ્રુઆરીના 12 દિવસમાં રૂ 4,571 કરોડ રહી છે જે ગયા વર્ષના સમાન ગાળામાં રૂ 4,365 કરોડ હતી.
ગયા વર્ષથી શિપમેન્ટ પણ વધ્યું રેલ્વેએ જણાવ્યું હતું કે ગયા વર્ષે કરતા આ વર્ષે શિપમેન્ટમાં પણ આશરે 8 ટકાનો વધારો થયો છે. નિવેદનમાં જણાવ્યું છે કે, નોંધનીય છે કે છેલ્લા નાણાકીય વર્ષના સમાન સમયગાળાની તુલનામાં ઓગસ્ટ 2020 પછી નૂર વહનના આંકડા વધારે છે. કોવિડ લોકડાઉન પછી પ્રથમ વખત નૂર આવક અગાઉના વર્ષના સમાન મહિનાની સમાન હોવાનું માનવામાં આવે છે.
આ ટ્રેનોમાં તેજસ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે ભારતીય રેલ્વે દ્વારા જારી કરવામાં આવેલી માહિતી અનુસાર, અગરતલા રાજધાની વિશેષ ટ્રેન 15 ફેબ્રુઆરી 2021 થી ખાસ તેજસ પ્રકારના સ્લીપર કોચ સાથે દોડશે. તમામ મુખ્ય પ્રવેશદ્વારને ટ્રેનના ગાર્ડ દ્વારા નિયંત્રિત કરવામાં આવશે. જ્યાં સુધી બધા દરવાજા બંધ ન થાય ત્યાં સુધી ટ્રેનો દોડશે નહીં. નાણાકીય વર્ષ 2021-22માં, ભારતીય રેલ્વેના ઉત્પાદક એકમો, ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF) અને આધુનિક કોચ ફેક્ટરી (MCF) માં 500 તેજસ પ્રકારનાં સ્લીપર કોચ બનાવવામાં આવશે