AADHAAR ને સંબંધિત કોઈ સમસ્યા છે? ડાયલ કરો આ નંબર , UIDAI તમારી સમસ્યા હલ કરશે
હેલ્પલાઇન નંબર લોકોને આધાર નોંધણી કેન્દ્રો, નોંધણી પછી આધાર નંબરની સ્થિતિ અને અન્ય આધાર સંબંધિત માહિતી પૂરી પાડે છે. આ સિવાય જો કોઈનું આધારકાર્ડ ખોવાઈ ગયું છે અથવા હજી સુધી તે પોસ્ટ દ્વારા પ્રાપ્ત થયું નથી તો આ સુવિધાની મદદથી માહિતી મેળવી શકાય છે.
જો તમને પણ આધાર કાર્ડ (Aadhaar Card) સંબંધિત કોઈ સમસ્યા છે, તો હવે તમે તેને એક ફોન કોલ દ્વારા તે હલ કરી શકો છો. UIDAI દ્વારા હેલ્પલાઈન નંબર 1947 આપવામાં આવ્યો છે. આ 1947 નંબર નિઃશુલ્ક છે જે આખા વર્ષ દરમિયાન IVRS મોડ પર ચોવીસ કલાક ઉપલબ્ધ રહે છે.
આ હેલ્પલાઇન નંબર લોકોને આધાર નોંધણી કેન્દ્રો, નોંધણી પછી આધાર નંબરની સ્થિતિ અને અન્ય આધાર સંબંધિત માહિતી પૂરી પાડે છે. આ સિવાય જો કોઈનું આધારકાર્ડ ખોવાઈ ગયું છે અથવા હજી સુધી તે પોસ્ટ દ્વારા પ્રાપ્ત થયું નથી તો આ સુવિધાની મદદથી માહિતી મેળવી શકાય છે.
આધાર હેલ્પલાઈન દિવસના 24 કલાક, અઠવાડિયાના સાત દિવસ ઉપલબ્ધ છે. આ સુવિધા IVRS દ્વારા 1947 પર ફોન કરીને 24 * 7 ઉપલબ્ધ કરાવી શકાય છે. અધિકારી સાથે વાત કરવા સોમવારથી શનિવાર સવારે 7 થી 11 અને રવિવારે સવારે 8 થી સાંજના 5 સુધી રાષ્ટ્રીય રજાઓને બાદ કરતા સંપર્ક કરી શકાશે
સુવિધા 12 ભાષાઓમાં મળશે આધારને લગતી દરેક સમસ્યાનું સમાધાન લાવવા યુઆઈડીએઆઈએ 1947 હેલ્પલાઈન નંબર આપ્યો છે. આ નંબર પર ફોન કરી સમસ્યાઓ દૂર કરી શકો છો. આધારની આ સેવા 12 ભાષાઓમાં ઉપલબ્ધ છે. આ 12 ભાષાઓમાં હિન્દી, અંગ્રેજી, તેલુગુ, કન્નડ, તામિલ, મલયાલમ, પંજાબી, ગુજરાતી, મરાઠી, ઉડિયા, બંગાળી, આસામી અને ઉર્દુનો સમાવેશ થાય છે.
ઈ – મેઈલ પણ કરી શકાય છે ઈ – મેઇલ દ્વારા તમારી સમસ્યાઓ પહોંચાડી શકાય છે. આ માટે તમારે help@uidai.gov.in પર લખીને તમારી સમસ્યા મેઇલ કરવાની રહેશે.
UIDAI ના અધિકારીઓને માહિતી આપો UIDAIના અધિકારીઓ આ મેઇલને સમયાંતરેર તપાસે છે અને લોકોની સમસ્યાઓનું નિરાકરણ લાવે છે. ફરિયાદ સેલ ઇ-મેઇલનો જવાબ આપીને સમસ્યાઓનું નિરાકરણ લાવે છે.
તમે વેબસાઇટ દ્વારા પણ ફરિયાદ કરી શકો છો >> સૌ પ્રથમ તમે UIDAIની સત્તાવાર વેબસાઇટ https://resident.uidai.gov.in/ પર જાઓ >> હવે તમારે સંપર્ક અને સપોર્ટ માટે ‘Ask Aadhaar’ પર જવું પડશે. >> અહીં તમને એક આધાર એક્ઝિક્યુટિવ સાથે જોડવામાં આવશે, જેને તમે તમારી સમસ્યાઓ કહી શકો છો, તે તેમને હલ શોધી આપવામાં તમારી સહાય કરશે.