SBI સિવાયની બધી સરકારી બેન્કોનું ખાનગીકરણ કરી નાખવાની પીએમ મોદીને સલાહ, જાણો સલાહકારોનું શું છે તર્ક

એક અહેવાલમાં, નીતિ આયોગના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ અરવિંદ પનાગરિયા અને PM Modiની આર્થિક સલાહકાર પરિષદના સભ્ય પૂનમ ગુપ્તાએ કહ્યું કે સરકારે SBI સિવાય તમામ જાહેર ક્ષેત્રની બેંકોનું ખાનગીકરણ કરવું જોઈએ.

SBI સિવાયની બધી સરકારી બેન્કોનું ખાનગીકરણ કરી નાખવાની પીએમ મોદીને સલાહ, જાણો સલાહકારોનું શું છે તર્ક
State Bank of India
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2022 | 4:46 PM

હાલમાં દેશમાં જાહેર ક્ષેત્રની 12 બેંકો છે. બે બેંકોના ખાનગીકરણ (Public Sector Banks)ની જાહેરાત થઈ ચૂકી છે, પરંતુ હજુ સુધી આ દિશામાં કોઈ મોટી પ્રગતિ થઈ નથી. દરમિયાન, આર્થિક નિષ્ણાતોનો અભિપ્રાય છે કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સિવાય, સરકારે અન્ય તમામ જાહેર ક્ષેત્રની બેંકોનું (Privatisation of banks) કરવું જોઈએ. આ રિપોર્ટ દેશના બે અગ્રણી આર્થિક નિષ્ણાતોએ તૈયાર કર્યો છે. આ પોલિસી પેપર વડાપ્રધાન મોદીની આર્થિક સલાહકાર પરિષદના સભ્ય અને નીતિ આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ પૂનમ ગુપ્તા અને કોલંબિયા યુનિવર્સિટીના પ્રોફેસર અરવિંદ પનાગરિયા દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.

બિઝનેસ સ્ટાન્ડર્ડમાં પ્રકાશિત થયેલા આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ભારતીય આર્થિક માળખા અને રાજનૈતિક નીતિના આધારે સરકાર પાસે ઓછામાં ઓછી એક જાહેર ક્ષેત્રની બેંક હોવી જોઈએ. આવી સ્થિતિમાં SBI સિવાય તમામ સરકારી બેંકોનું ખાનગીકરણ કરવું જોઈએ. આગામી સમયમાં પરિસ્થિતિ બદલાશે તો SBIનું પણ ખાનગીકરણ કરવામાં આવશે.

ખાનગી બેંકો જાહેર બેંકો કરતા ઘણી સારી

તેઓ કહે છે કે ખાનગી બેંકોની કામગીરી સરકારી બેંકો કરતા સારી છે. આવી સ્થિતિમાં જો જાહેર ક્ષેત્રની બેંકોનું ખાનગીકરણ કરવામાં આવે તો તેમની કામગીરીમાં સુધારો થશે. જાહેર ક્ષેત્રની બેંકોના પ્રદર્શન વિશે વાત કરીએ તો, સંપત્તિ અને ઇક્વિટીના આધારે ખાનગી બેંકોની તુલનામાં તેમનું પ્રદર્શન નબળું છે. થાપણો અને લોન એડવાન્સ બંને મામલે ખાનગી બેંકો આગળ નીકળી ગઈ છે. એવું નથી કે આ બેંકોની તબિયત સુધારવા માટે પગલાં લેવામાં આવ્યા નથી. સતત મદદ આપવામાં આવી હોવા છતાં કામગીરી પર કોઈ અસર થઈ નથી.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

આ બેંકોનું બજાર મૂલ્ય પુનઃમૂડીકરણ કરતાં ઓછું

વર્ષ 2016-17માં દેશમાં કુલ 27 સરકારી બેંકો હતી, જે બાદ એકત્રીકરણની મદદથી તેમની સંખ્યા ઘટીને 12 થઈ ગઈ છે. 2010-11 થી 2020-21 વચ્ચેના દસ વર્ષમાં, જાહેર ક્ષેત્રની બેંકોમાં $65.67 બિલિયન તરલતા દાખલ કરવામાં આવી છે. એસબીઆઈને બાદ કરતાં, અન્ય તમામ બેંકોનું માર્કેટ વેલ્યુએશન ફંડ ઈન્ફ્યુઝન કરતાં ઓછું છે. આ બેંકો નોન-પરફોર્મિંગ એસેટ્સ એટલે કે NPAના મામલામાં આગળ છે. સ્ટેટ બેંકને છોડીને, 11 જાહેર ક્ષેત્રની બેંકો $30.78 બિલિયનનું માર્કેટ કેપ ધરાવે છે, જ્યારે તેઓને $43.04 બિલિયનનું પુનઃમૂડીકરણ કરવામાં આવ્યું છે, એમ અહેવાલમાં જણાવાયું છે.

ઓછી એનપીએ અને વધુ વળતર ધરાવતી બેંકોનું ખાનગીકરણ કરવું જોઈએ

2 બેંકોના ખાનગીકરણની જાહેરાત થઈ ચૂકી છે. આ બે બેંકો કોણ હોવી જોઈએ તે અંગે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા પાંચ વર્ષમાં જે બેંકો એસેટ્સ અને ઈક્વિટી પર સૌથી વધુ વળતર આપે છે અને સૌથી ઓછી એનપીએ ધરાવે છે તેનું પહેલા ખાનગીકરણ કરવું જોઈએ. જો સરકારનો હિસ્સો ઓછો હશે તો તેનું ખાનગીકરણ કરવું સરળ બનશે. આ બંને બેંકોનું ખાનગીકરણ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે આવનારા દિવસોમાં અન્ય બેંકોના ખાનગીકરણનો માર્ગ સરળ અને સાફ કરશે.

કઈ બે બેંકોનું ખાનગીકરણ કરી શકાય?

નીતિ આયોગે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયન ઓવરસીઝ બેંકનું ખાનગીકરણ કરવાનું સૂચન કર્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પહેલા ઈન્ડિયન બેંક અને બેંક ઓફ બરોડાનું ખાનગીકરણ થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે સરકાર ચોમાસુ સત્રમાં બેંક ખાનગીકરણ બિલ લાવી શકે છે. આ સત્ર 18 જુલાઈથી શરૂ થઈ રહ્યું છે જે 13 ઓગસ્ટ સુધી ચાલશે. આ બિલ અનુસાર, સરકાર તમામ જાહેર ક્ષેત્રની બેંકોમાં તેનો હિસ્સો 51 ટકાથી ઘટાડીને 26 ટકા કરશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">