દર મહિને 12,000 રૂપિયા જમા કરીને બનો કરોડપતિ, જુઓ ગણતરી
અમે તમને અહીં ઓછા જોખમ અને વધુ વળતરની સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. એનપીએસ (NPS) એટલે કે નેશનલ પેન્શન સ્કીમ એક એવી યોજના છે, જે તમને નિવૃત્તિ પર 3 કરોડથી વધુનું વળતર આપશે.
જો તમે મધ્યમ પગાર મેળવતા પગારદાર કર્મચારી છો, તો તમે સમજી શકો છો કે તમારી આવક, ખર્ચ અને રોકાણને બેલેન્સ કરીને ચાલવું એ એક સ્કિલ છે જે શીખવી જરૂરી છે. જો તમે આ ત્રણેયને બેલેન્સ કરો છો તો તમને પણ કોઈ ફાઈનાન્સિયલ પ્લાનરની જરૂર નથી, પરંતુ જો તમે થોડા આગળ જઈને કરોડોનું ફંડ બનાવવાનું વિચારશો તો? શું એવી કોઈ સ્કીમ છે જે તમારા માટે કરોડોનું રિટાયરમેન્ટ ફંડ કોર્પસ તૈયાર કરી શકે? તો હા, જો તમે સમયસર રોકાણ કરવાનું શરૂ કરો તો એવી ઘણી સ્કીમ્સ છે જે તમારા માટે એક વિશાળ કોર્પસ તૈયાર કરી શકે છે. અમે તમને અહીં ઓછા જોખમ અને વધુ વળતરની સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. એનપીએસ એટલે કે નેશનલ પેન્શન સ્કીમ એક એવી યોજના છે, જે તમને નિવૃત્તિ પર 3 કરોડથી વધુનું વળતર આપશે.
એનપીએસ એ લો કોસ્ટ ઈન્વેસ્ટમેન્ટ ટૂલ છે અને તમે ટેક્સ ડિડક્શનમાં પણ નાણાં બચાવી શકો છો. નિવૃત્તિ પછીની બચત માટેની આ સૌથી પસંદગીની યોજનાઓમાંની એક છે. એનપીએસ પર સામાન્ય રીતે વાર્ષિક 9 થી 12 ટકા વળતર મળે છે.
એનપીએસ કેલ્ક્યુલેટર:
જો રોકાણ શરૂ કરવાની ઉંમર – 28 વર્ષ હોય તો,
તો તમારે દર મહિને જમા કરાવવા પડશે- 12,000 રૂપિયા
કેટલા સમય સુધી જમા કરાવવાની જરૂર પડશે – 60 વર્ષની ઉંમર સુધી
કેટલા વર્ષો માટે પૈસાનું રોકાણ કરવું પડશે – 32 વર્ષ
જો વળતરનું અનુમાન – 10% રાખીયે તો
વાર્ષિક- 40% અને વાર્ષિક દર 6% રાખીયે તો
તમારા નિવૃત્તિ ફંડમાં જમા થશે – 3,37,00,024 કરોડ
તમને દર મહિને કેટલું પેન્શન મળશે – 67,400 રૂપિયા
આમાંથી તમારી વાર્ષિક કિંમત હશે – 1,34,80,010 કરોડ
અંદાજિત વેલ્યૂ હશે – 2,02,20,014 કરોડ
ટેક્સમાં મળશે છૂટ
એનપીએસમાં રોકાણ કરવાનો ફાયદો એ છે કે તમને ટેક્સમાં લાભ મળે છે. એનપીએસમાં રોકાણ કરનારા કર્મચારીઓ કલમ 80 CCD(1) હેઠળ તેમના પગારના 10% (બેસિક + DA) સુધી ટેક્સમાં છૂટ મેળવી શકે છે. 80 CCE હેઠળ આમાં કુલ 1.50 લાખ સુધીની છૂટની જોગવાઈ છે.
80 CCE હેઠળ 1.50 લાખની લિમિટ પર એમ્લોયર તરફથી આપવામાં આવતા યોગદાનમાં કર્મચારીને 80 CCD (2) હેઠળના પગારના 10% (બેસિક + DA) સુધી (જો કેન્દ્ર સરકારના કર્મચારી હોય તો 14% ) છૂટ મળી શકે છે.
નોંધ : અહેવાલમાં નિષ્ણાંતોના વિચાર વ્યક્ત કરવામાં આવ્યા છે. રોકાણથી નફા કે નુકસાન સાથે અહેવાલને સંબંધ રહેશે નહિ. રોકાણ માટે તમારા આર્થિક સલાહકાર ની મદદ અવશ્ય લેવી.