Pensioners વહેલી તકે જમા કરે Life Certificate નહીંતર અટકી જશે Pension, જાણો જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની રીત

તમામ નિવૃત્ત કર્મચારીઓ માટે ઓક્ટોબર અને નવેમ્બર મહિનો ખૂબ મહત્વનો રહેશે. આ મહિનાઓમાં પેન્શનરે જીવન પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે. આ જીવન પ્રમાણપત્ર સબમિટ કર્યા પછી તમારું પેન્શન ચાલુ રહે છે.

Pensioners વહેલી તકે જમા કરે Life Certificate નહીંતર અટકી જશે Pension, જાણો જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની રીત
Pensioner
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2021 | 11:32 AM

જો તમને પણ પેન્શન લઈ રહ્યા છે તો તમારા માટે આ અગત્યના સમાચાર છે. નિયમો મુજબ આ વર્ષે તમામ પેન્શનરોએ 30 નવેમ્બર સુધીમાં પોતાનું જીવન પ્રમાણપત્ર જમા કરાવવાનું રહેશે. આજે છેલ્લી તારીખ છે. જોકે તેઓ આમ નહીં કરે તો તેમનું પેન્શન બંધ થઈ જશે.

તમામ નિવૃત્ત કર્મચારીઓ માટે ઓક્ટોબર અને નવેમ્બર મહિનો ખૂબ મહત્વનો રહેશે. આ મહિનાઓમાં પેન્શનરે જીવન પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે. આ જીવન પ્રમાણપત્ર સબમિટ કર્યા પછી તમારું પેન્શન ચાલુ રહે છે.

અમને જણાવી રહ્યા છીએ કે તમે કઈ રીતે જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકો છો.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

લાઈફ સર્ટિફિકેટ ઘરે બેઠા જમા કરાવો પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગે જણાવ્યું હતું કે પેન્શનરો 12 જાહેર ક્ષેત્રની બેંકોના ડોરસ્ટેપ બેંકિંગ એલાયન્સ અથવા ટપાલ વિભાગની ડોરસ્ટેપ સર્વિસનો ઉપયોગ કરીને ડિજિટલ જીવન પ્રમાણપત્રો સબમિટ કરી શકો છે.

આ બેંકો સેવાઓ પૂરી પાડે છે ભારતીય બેંકો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI), પંજાબ નેશનલ બેંક (PNB), બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા, કેનેરા બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન બેંક, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક, યુકો બેંક અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયા સુવિધા પુરી પાડે છે.

તમે  ‘ડોરસ્ટેપ બેંકિંગ’ મોબાઈલ એપ્લિકેશન, અથવા ટોલ ફ્રી નંબર (18001213721 અથવા 18001037188) નો ઉપયોગ કરી શકો છે.

ઇન્ડિયા પોસ્ટ દ્વારા સેવા શરૂ કરવામાં આવી છે ઈન્ડિયા પોસ્ટે ટ્વીટ કર્યું છે કે વરિષ્ઠ નાગરિકો તેમના વિસ્તારની નજીકની પોસ્ટ ઑફિસમાં કોમન સર્વિસ સેન્ટર (CAC)માંથી સરળતાથી જીવન પ્રમાણ સેવાઓ મેળવી શકે છે. વિભાગની સત્તાવાર વેબસાઇટ અનુસાર ભારત સરકાર પેન્શનર યોજના માટે ડિજિટલ જીવન પ્રમાણપત્ર મેળવવાની સમસ્યાને હલ કરવા માંગે છે. જેથી પ્રમાણપત્ર સરળતાથી મળી શકે.

અહીં અરજી કરી શકો છો મોબાઈલ નંબર 7738299899 પર SMS મોકલીને નજીકના જીવન પ્રમાણ કેન્દ્ર પર અરજીઓ અપડેટ કરી શકાય છે. SMS માં JPL <pincode> હોવું આવશ્યક છે. તે તમારા વિસ્તારની આસપાસના કેન્દ્રોની યાદી મળશે.

 આ પણ વાંચો : Aadhaar-UAN Linking: આજે છેલ્લી તારીખ, વહેલી તકે લિંક કરો નહીંતર મુશ્કેલીમાં પડશો, જાણો પ્રક્રિયા

 આ પણ વાંચો : આ સરળ સ્ટેપ દ્વારા Aadhaar Card સાથે તમારો મોબાઈલ નંબર લિંક કરો, જાણો સંપૂર્ણ પ્રક્રિયા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">