હવે આ બેંકની FD પર મળશે વધુ રિટર્ન, જાણો રોકાણ ઉપર કેટલું વધુ મળશે વ્યાજ

પંજાબ નેશનલ બેંકના જણાવ્યા અનુસાર 2 કરોડ રૂપિયાથી ઓછી ડિપોઝિટ માટે અલગ-અલગ મુદતના FD રેટ્સમાં ફેરફાર કરવામાં આવ્યો છે. બેંક દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર એક વર્ષ સુધીની પાકતી મુદતવાળી એફડીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

હવે આ બેંકની FD પર મળશે વધુ રિટર્ન, જાણો રોકાણ ઉપર કેટલું વધુ મળશે વ્યાજ
Punjab National Bank
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2022 | 7:38 AM

રિઝર્વ બેંક(RBI) દ્વારા દરમાં વધારા સાથે ફિક્સ્ડ ડિપોઝિટ(FD Rates)ના દરો પહેલા કરતા વધુ આકર્ષક બની રહ્યા છે. બેંકો અને નાણાકીય સંસ્થાઓ તેમની થાપણો પરના દરોમાં સતત વધારો કરી રહી છે. હવે આ શ્રેણીમાં પંજાબ નેશનલ બેંક(Punjab National Bank)નું નામ પણ સામેલ થઈ ગયું છે. PNBએ તેની ફિક્સ ડિપોઝિટ પરના દરો વધારવાની જાહેરાત કરી છે. નવા દરો 20 જુલાઈથી લાગુ થઈ ગયા છે. અગાઉ કેનેરા બેંકે પણ તેની એફડીના દરમાં વધારો કર્યો હતો. RBIએ દરમાં વધારો કર્યા બાદ ICICI બેંક, બેંક ઓફ ઈન્ડિયા, ઈન્ડસઈન્ડ બેંક, HDFC બેંકે પણ FDના દરમાં વધારો કર્યો છે.

PNB ના FD રેટમાં કેટલો વધારો થયો?

પંજાબ નેશનલ બેંકના જણાવ્યા અનુસાર 2 કરોડ રૂપિયાથી ઓછી ડિપોઝિટ માટે અલગ-અલગ મુદતના FD રેટ્સમાં ફેરફાર કરવામાં આવ્યો છે. બેંક દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર એક વર્ષ સુધીની પાકતી મુદતવાળી એફડીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આમાં અલગ-અલગ સમયગાળા માટે 3 થી 4 ટકા વ્યાજ મળતું રહેશે. એક વર્ષથી બે વર્ષની વચ્ચેની FD માટેના દરમાં 15 બેસિસ પોઈન્ટનો વધારો કરીને 5.45 ટકા કરવામાં આવ્યો છે. બે વર્ષથી ત્રણ વર્ષની મેચ્યોરિટીવાળી FD માટે વ્યાજ દર 5.5 ટકા પર સ્થિર રાખવામાં આવ્યા છે.  3 વર્ષથી વધુ અને 5 વર્ષથી ઓછી પરિપક્વતાવાળી FD 5.5 ટકાથી વધારીને 5.75 ટકા કરવામાં આવી છે.  5 વર્ષથી 10 વર્ષની મુદતવાળી એફડીમાં 5.6 ટકા વ્યાજ ચાલુ રહેશે.

અને કઈ બેંકના FDના દરો વધ્યા

ICICI બેંકે 2 કરોડ રૂપિયાથી ઓછીની ફિક્સ્ડ ડિપોઝિટ પરના દરમાં વધારો કર્યો હતો. હાલમાં બેંક 2.5 ટકાથી 5.45 ટકા સુધી વ્યાજ દર ઓફર કરી રહી છે. બીજી તરફ કેનેરા બેંક સામાન્ય નાગરિકો માટે 2.9 ટકાથી 5.75 ટકા અને વરિષ્ઠ નાગરિકો માટે વાર્ષિક 2.9 ટકાથી 6.25 ટકા સુધીનું વ્યાજ ઓફર કરે છે. બેંક ઓફ ઇન્ડિયાએ પણ તેની એફડી પરના દરમાં વધારો કર્યો છે. બેંક હવે વિવિધ એફડી પર 2.85 ટકાથી 5.35 ટકા સુધીનું વ્યાજ ઓફર કરી રહી છે.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ પર ટેક્સ લાગે છે

એક નાણાકીય વર્ષમાં જો બેંકની FD પર મળતું વ્યાજ 40 હજાર રૂપિયાથી ઓછું હોય તો ગ્રાહકોને તેના પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં પરંતુ જો આ રકમ તેનાથી વધુ હોય તો તેના પર 10 ટકા TDS કાપવામાં આવે છે. વરિષ્ઠ નાગરિકો માટે આ મર્યાદા 50,000 રૂપિયા છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">