નોટબંધી બાદ સિક્યોર કરન્સી તરીકે ચલણમાં મુકાયેલી રૂપિયા ૨૦૦૦ની નોટ પણ અસુરક્ષિત, વાંચો કેમ
ભારતીય અર્થતંત્રને ખોખલું કરતી જાલી નોટના નેટવર્કને તોડવા માટે ૮ નવેમ્બર ૨૦૧૬ના રોજ નોટબંધી લાગુ કરી ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટ રદ કરવામાં આવી હતી. સરકારે વધુ સિક્યોર હોવાના દાવા સાથે ચલણમાં ૨૦૦૦ રૂપિયાની નોટ મૂકી હતી પરંતુ હવે આ ચલણ પણ ચિંતાનો વિષય બની રહ્યું છે. દેશવિરોધી તત્વોએ છેલ્લા એક વર્ષમાં સૌથી વધુ ૨૦૦૦ […]
ભારતીય અર્થતંત્રને ખોખલું કરતી જાલી નોટના નેટવર્કને તોડવા માટે ૮ નવેમ્બર ૨૦૧૬ના રોજ નોટબંધી લાગુ કરી ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટ રદ કરવામાં આવી હતી. સરકારે વધુ સિક્યોર હોવાના દાવા સાથે ચલણમાં ૨૦૦૦ રૂપિયાની નોટ મૂકી હતી પરંતુ હવે આ ચલણ પણ ચિંતાનો વિષય બની રહ્યું છે. દેશવિરોધી તત્વોએ છેલ્લા એક વર્ષમાં સૌથી વધુ ૨૦૦૦ રૂપિયાના દરની બનાવતી નોટ ચલણમાં મૂકી હતી. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો અનુસાર ગત વર્ષે જેટલી પણ નકલી નોટ પકડવામાં આવી તે તમામ નકલી નોટોમાંથી મહત્તમ 2000 રૂપિયાની નોટ હતી
નોટબંધી લાગુ પડી પીએમ નરેન્દ્ર મોદીએ 500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરવાની જાહેરાત કરી હતી. ૮ નવેમ્બર ૨૦૧૬થી બંને ચલણ રાતોરાત વ્યવહારમાંથી હટાવી લેવાયા હતા. સરકાર પગલાંથી કાળુંનાણું અને જાલી ચલણના દુષણને હટાવવા માંગતી હતી. 500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરી સુરક્ષિત ચલણ તરીકે ૨૦૦૦ રૂપિયાની ચલણી નોટ વ્યવહારમાં મુકાઈ હતી.સરકારને વિશ્વાસ હતો કે આ ચલણ સરળતાથી નકલ થઈ શકશે નહિ.
25 ઓગસ્ટના રોજ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ એક મહત્વની માહિતી જાહેર કરી હતી. આરબીઆઈના વર્ષ 2019-20ના વાર્ષિક અહેવાલ અનુસાર નાણાકીય વર્ષ ૨૦૧૮ દરમિયાન RBI e 2000 રૂપિયાની નોટ છાપવાનું બંધ કરી દીધું છે. દેશમાં 2000 રૂપિયાની નોટોના પરિભ્રમણમાં ઘટાડો થયો છે. 2017-18માં 3.6 અબજની નોટો ચલણમાં હતીજે મોટા ઘટાડા સાથે 2019-20માં માત્ર 2.73 અબજ થઈ ગઈ છે.
નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોએ જાહેર કરેલી માહિતીમાં ધ્યાન ઉપર આવેલી ચોંકાવનારી બાબતો વર્ષ ૨૦૧૯માં 100 રૂપિયાની 71,817 જાલી નોટો ઝડપાઇ દિલ્હી – 31,671 ગુજરાત – 16,159 યુપી – 6129
વર્ષ 2019માં 2000 રૂપિયાની 90,566 જાલી નોટ પકડાઈ કર્ણાટક – 23,599 ગુજરાત – 14,૪૯૪ પ.બંગાળ – 13,637
જાલી નોટના મામલાઓમાં ૪૧ ટકાનો વધારો 2018 માં 17.95 કરોડ રૂપિયા 2019માં 25.39 કરોડ રૂપિયા
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો