New Wage Code : આ 5 બાબતો કર્મચારીઓ માટે જાણવી જરૂરી , ઓક્ટોબરથી લાગુ પડી શકે છે નવો કાયદો
કર્મચારીઓની Earned Leave 240 થી વધારીને 300 કરી શકાય છે. શ્રમ મંત્રાલય, લેબર યુનિયન અને ઉદ્યોગના પ્રતિનિધિઓ વચ્ચે શ્રમ સંહિતાના નિયમોમાં ફેરફાર અંગે અનેક જોગવાઈઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં કર્મચારીઓની (Earned Leave) 240 થી વધારીને 300 કરવાની માંગ કરવામાં આવી હતી.
નવા વેતન કોડ(New Wage Code)ને લઈને ચર્ચા ચાલી રહી છે. તેનો અમલ 1 એપ્રિલથી થવાનો હતો પરંતુ રાજ્ય સરકારો દ્વારા અટકળોને કારણે નિયમો લાગુ કરવામાં આવ્યા ન હતા. એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર અમલ ઓક્ટોબરમાં થઈ શકે છે. ત્યાં સુધીમાં બધા રાજ્યો પોતાના ડ્રાફ્ટ નિયમો પણ તૈયાર કરશે. આ અંતર્ગત કર્મચારીઓના પગાર, રજાઓ વગેરેમાં ફેરફાર કરવામાં આવશે.
1. કર્મચારીઓ માટે નવા વેતન કોડમાં શું ખાસ છે નવા વેતન સંહિતામાં આવી ઘણી જોગવાઈઓ આપવામાં આવી છે, જે ઓફિસમાં કામ કરતા વેતન મેળવતા વર્ગ, મિલો અને ફેક્ટરીઓમાં કામ કરતા કામદારોને પણ અસર કરશે. કર્મચારીઓના પગારથી લઈને તેમની રજાઓ અને કામના કલાકો પણ બદલાશે.નવા વેતન કોડની કેટલીક જોગવાઈઓ ઘણા બદલાવ લાવશે.
2. પગારનું માળખું બદલાશે નવા વેતન કોડ હેઠળ કર્મચારીઓના પગાર માળખામાં પરિવર્તન આવશે, તેમના ટેક હોમ સેલેરીમાં ઘટાડો થઇ શકે છે. કારણ કે Wage code act 2019 મુજબ કર્મચારીનો બેઝિક સેલેરી CTC ની કિંમતના 50% કરતા ઓછો રાખી શકતો નથી. હાલમાં ઘણી કંપનીઓ બેઝિક સેલેરી ઘટાડે છે અને ઉપરથી વધુ ભથ્થા આપે છે જેથી કંપની પરનો ભાર ઓછો થાય.
3. Earned Leave વધારીને 300 કરી શકાય છે કર્મચારીઓની Earned Leave 240 થી વધારીને 300 કરી શકાય છે. શ્રમ મંત્રાલય, લેબર યુનિયન અને ઉદ્યોગના પ્રતિનિધિઓ વચ્ચે શ્રમ સંહિતાના નિયમોમાં ફેરફાર અંગે અનેક જોગવાઈઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં કર્મચારીઓની (Earned Leave) 240 થી વધારીને 300 કરવાની માંગ કરવામાં આવી હતી.
4. કામકાજના કલાકોમાં વધારો થશે અને week off પણ વધશે નવા વેતન કોડ હેઠળ કામના કલાકો વધીને 12 થઈ શકે છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે કહ્યું કે સૂચિત લેબર કોડમાં એવું કહેવામાં આવ્યું છે કે એક અઠવાડિયામાં 48 કલાક કામ કરવાનો નિયમ લાગુ થશે, હકીકતમાં કેટલાક યુનિયનોએ 12 કલાક કામ અને 3 દિવસની રજાના નિયમ ઉપર સવાલ ઉઠાવ્યા હતા. સરકારે આ અંગે પોતાની સ્પષ્ટતામાં કહ્યું છે કે અઠવાડિયામાં 48 કલાક કામ કરવાનો નિયમ રહેશે, જો કોઈ દિવસમાં 8 કલાક કામ કરે છે તો તેને અઠવાડિયામાં 6 દિવસ કામ કરવું પડશે અને એક દિવસની રજા મળશે. જો કોઈ કંપની દિવસના 12 કલાક કામ સ્વીકારે છે તો તેણે કર્મચારીને 3 દિવસ માટે રજા આપવી પડશે. જો કામના કલાકોમાં વધારો થાય છે તો કાર્યકારી દિવસો પણ 6 ને બદલે 5 અથવા 4 રહેશે. પરંતુ આ માટે કર્મચારી અને કંપની બંને વચ્ચે સમજૂતી હોવી પણ જરૂરી છે.
5. PF અને ગ્રેચ્યુઇટી વધશે બેઝિક સેલેરીમાં વધારાને કારણે કર્મચારીઓના પીએફની વધુ કપાત થશે એટલે કે તમારું ભવિષ્ય પહેલા કરતા વધુ સુરક્ષિત રહેશે. PF સાથે ગ્રેચ્યુઇટી તરફનું યોગદાન પણ વધશે. એટલે કે, ટેક હોમ પગાર ચોક્કસપણે ઘટશે પરંતુ કર્મચારીને નિવૃત્તિ પર વધુ રકમ મળશે.