New IT Portal : નાણાં મંત્રીનું સમન્સ મળતા ઇન્ફોસિસ દોડતું થયું , તાત્કાલિક પગલાં ભરી ઇન્કમ ટેક્સ પોર્ટલ ફરી શરૂ કરાયું
નવું ઇન્કમ ટેક્સ પોર્ટલના છેલ્લા બે દિવસ કાર્યરત ન રહેતા ઇન્ફોસિસે રવિવારે મોડી સાંજે જણાવ્યું હતું કે કટોકટીની જાળવણી પૂર્ણ થઈ ગઈ છે અને હવે તે ઉપલબ્ધ છે. ઇન્ફોસિસ દ્વારા વિકસિત નવું આવકવેરા ફાઇલિંગ પોર્ટલ ‘www.incometax.gov.in’ 7 જૂને શરૂ કરવામાં આવ્યું હતું.
સરકારે આવકવેરાના નવા પોર્ટલ(New Income Tax Portal)માં તકનીકી મુશ્કેલીઓ અને તેની સતત સ્થિરતા સામે લીધેલા કડક પગલાંની અસર દેખાઈ છે. સરકારે મામલે પોર્ટલ તૈયાર કરનાર કંપની સામે કડક હાથે કામ લેવાના સંકેત આપતા પરિણામ મળવા લાગ્યા છે. નાણાં મંત્રાલયે ઇન્ફોસિસના સીઇઓ સલીલ પારેખને હાજર થવા નોટિસ જારી કરતા ગણતરીના સમયમાં આવકવેરા વિભાગના નવા પોર્ટલે કામ કરવાનું શરૂ કરી દીધું છે.
નવું ઇન્કમ ટેક્સ પોર્ટલના છેલ્લા બે દિવસ કાર્યરત ન રહેતા ઇન્ફોસિસે રવિવારે મોડી સાંજે જણાવ્યું હતું કે કટોકટીની જાળવણી પૂર્ણ થઈ ગઈ છે અને હવે તે ઉપલબ્ધ છે. ઇન્ફોસિસ દ્વારા વિકસિત નવું આવકવેરા ફાઇલિંગ પોર્ટલ ‘www.incometax.gov.in’ 7 જૂને શરૂ કરવામાં આવ્યું હતું. શરૂઆતથી જ પોર્ટલ સાથે સમસ્યાઓ હતી. વપરાશકર્તાઓ સતત ફરિયાદ કરી રહ્યા છે કે પોર્ટલ ક્યાં તો ઉપલબ્ધ નથી અથવા ખૂબ જ ધીમી ગતિએ કામ કરી રહ્યું છે.
ટ્વીટ કરી માહિતી અપાઈ આવકવેરા વિભાગના એક ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે શનિવારથી પોર્ટલ ઉપલબ્ધ નથી. ઇન્ફોસિસ ઇન્ડિયાના બિઝનેસ યુનિટ “ઇન્ફોસીસ ઇન્ડિયા બિઝનેસ” ના ટ્વિટર હેન્ડલે રવિવારે સાંજે ટ્વિટ કર્યું હતું કે, “આવકવેરા વિભાગના પોર્ટલનું ઇમરજન્સી મેઇન્ટેનન્સ કામ પૂર્ણ થઇ ગયું છે. આ પોર્ટલ હવે ફરી ઉપલબ્ધ છે. ”
The emergency maintenance of the @IncomeTaxIndia portal has concluded and the portal is live. We regret any inconvenience caused to taxpayers.
— Infosys India Business (@InfosysIndiaBiz) August 22, 2021
The @IncomeTaxIndia portal continues to be under emergency maintenance. We will post an update once the portal is available again for taxpayers. We regret the inconvenience.
— Infosys India Business (@InfosysIndiaBiz) August 22, 2021
The @IncomeTaxIndia portal is currently inaccessible due to planned maintenance. We will post an update as soon as the portal is live again for taxpayers. We regret the inconvenience caused.
— Infosys India Business (@InfosysIndiaBiz) August 21, 2021
નાણાં મંત્રાલયે CEOને સમન્સ મોકલ્યું હતું પોર્ટલની ચાલી રહેલી સમસ્યાઓ વચ્ચે નાણા મંત્રાલયે સોમવારે પોર્ટલ તૈયાર કરનાર અગ્રણી આઇટી કંપની ઇન્ફોસિસના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઇઓ) સલિલ પારેખને હાજર થવા કહ્યું હતું. પારેખને નાણામંત્રી નિર્મલા સીતારમણ સમક્ષ હાજર થવાનું કહેવામાં આવ્યું છે. તેમણે નાણામંત્રીને કહેવું પડશે કે બે મહિના પછી પણ પોર્ટલ પર સમસ્યાઓ શા માટે છે અને તે કેમ ઉકેલાતી નથી?
સરકારે પોર્ટલ માટે ઇન્ફોસિસને 164.5 કરોડ રૂપિયા ચૂકવ્યા ઈ-પોર્ટલમાં વિક્ષેપનો મુદ્દો તાજેતરમાં સંસદમાં પણ ઉઠાવવામાં આવ્યો હતો. નાણામંત્રી પંકજ ચૌધરીએ આનો જવાબ આપ્યો. તેમણે દેશને કહ્યું કે સરકારે આવકવેરા વિભાગ માટે નવી વેબસાઇટ બનાવવા માટે જાન્યુઆરી 2019 થી જૂન 2021 વચ્ચે ઇન્ફોસિસને 164.5 કરોડ રૂપિયા ચૂકવ્યા છે.
પ્રશ્નના જવાબમાં નાણા રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે નવી ઈ-પોર્ટલ વેબસાઈટ સ્થાપવાનો કોન્ટ્રાક્ટ ઈન્ફોસિસને ઓપન ટેન્ડર દ્વારા આપવામાં આવ્યો હતો. આ કરાર સેન્ટ્રલ પબ્લિક પ્રોક્યોરમેન્ટ પોર્ટલ (CPPP) પર જારી કરવામાં આવ્યો હતો. પંકજ ચૌધરીએ સંસદને જણાવ્યું કે કેન્દ્રીય કેબિનેટે 16 જાન્યુઆરી, 2019 ના રોજ આ પ્રોજેક્ટ માટે 4,241.97 કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા. આ ખર્ચ આગામી 8.5 વર્ષમાં કરવામાં આવશે. આમાં મેનેજ્ડ સર્વિસ પ્રોવાઇડર (MSP), જીએસટી, ભાડું, ટપાલ અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ ખર્ચનો સમાવેશ થાય છે.