Income Tax Department અને 7 પ્રકારની નોટિસ, કઈ નોટિસ ક્યારે અને કેમ અપાય છે વાંચો આ ખાસ વિગત

ઇન્કમટેક્સ રિટર્ન એટલે કે આઇટીઆર(ITR)માં કોઈ ખામી હોય તો આવકવેરા વિભાગ( Income Tax Department) નોટિસ ફટકારે છે. જૂજ લોકો જાણે છે કે આ નોટિસ ( Income Tax Notice) નો અર્થ શું છે? સામાન્ય રીતે સાત પ્રકારની નોટિસ ફટકારાતી હોય છે.

Income Tax Department અને 7 પ્રકારની નોટિસ, કઈ નોટિસ ક્યારે અને કેમ અપાય છે વાંચો આ ખાસ વિગત
income tax department
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Mar 18, 2021 | 9:54 AM

ઇન્કમટેક્સ રિટર્ન એટલે કે આઇટીઆર(ITR)માં કોઈ ખામી હોય તો આવકવેરા વિભાગ( Income Tax Department) નોટિસ ફટકારે છે. જૂજ લોકો જાણે છે કે આ નોટિસ        ( Income Tax Notice) નો અર્થ શું છે? સામાન્ય રીતે સાત પ્રકારની નોટિસ ફટકારાતી હોય છે. જો તમારી આવક અને કરમાં કોઈ તફાવત છે તો પછી આવકવેરા કાયદાના વિવિધ કલમો હેઠળ નોટિસ આવી શકે છે. અથવા જો કોઈ માહિતી ભરવાની બાકી છે તો પણ નોટિસ પણ આવે છે.

ક્ષેત્રના નિષ્ણાંતો અનુસાર આવકવેરા વિભાગ તરફથી નોટિસ આપવી એ સામાન્ય પ્રક્રિયા છે. ગભરાવાની જરૂર નથી. જો કે, ITR ભરતી વખતે ભૂલો ન કરવાનો પ્રયાસ કરવો જોઈએ . ITR ભરતી વખતે હંમેશા સાવધ રહેવું અને સંપૂર્ણ ચકાસણી પછી ફોર્મ સબમિટ કરવું જોઈએ. આવો જાણીએ આવકવેરા વિભાગની તમામ નોટિસ વિશે.

કલમ 142: આ નોટિસ સૌથી સામાન્ય સૂચના છે. જો આવકવેરા રીટર્ન ભરવામાં ન આવે તો આ નોટિસ આપવામાં આવે છે. આ અંતર્ગત, ખાતાઓની ચકાસણી માટે પૂછવામાં આવી શકે છે. આવકવેરા રીટર્ન ભરવા અંગે કરદાતા દ્વારા આપેલા દસ્તાવેજો પર કોઈ શંકા હોવાના કિસ્સામાં પણ આ નોટિસ આવી શકે છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

કલમ 133 A: આવકવેરા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી આ બીજી સૌથી સામાન્ય નોટિસ છે. કલમ 133 A અંતર્ગત ખાતાની સર્વેક્ષણ કે ચકાસણી માટે નોટિસ પાઠવવામાં આવી છે.

કલમ 156: જો કોઈ કરદાતા દ્વારા ટેક્સ, વ્યાજ, નુકસાન વગેરે ચૂકવણી કરવામાં ન આવે તો તેમને કલમ 156 હેઠળ નોટિસ પાઠવીને ચૂકવણી કરવાનું કહેવામાં આવે છે.

કલમ 131 (1 A): આવકવેરા કાયદાની કલમ 131 (1 A) હેઠળ મૂલ્યાંકન કરનાર અધિકારીને અધિકાર છે કે કરદાતાએ કેટલીક આવક છુપાવી છે તે અંગે શંકા કરી શકે છે. આનો અર્થ એ કે નોટિસ મળ્યા પછી તમારે કોઈ આવક છુપાવ્યો ન હોવાનો પુરાવો આપવો પડશે.

કલમ 143 (1): આ હેઠળ નોટિસ ત્યારે આવે છે જ્યારે જાણવા મળે છે કે ટેક્સ રીટર્ન ફાઇલ કરતી વખતે ભૂલ થઈ હતી અથવા કોઈ ખોટી માહિતી આપવામાં આવી છે. આવા કિસ્સામાં વધારાના ટેક્સની માંગ કરવામાં આવે છે.

કલમ 143 (2): કલમ હેઠળ નોટિસનો અર્થ એ છે કે આકારણી કચેરી દ્વારા નિયમિત આકારણી તપાસ કરવામાં આવશે.

કલમ 148: આ નોટિસ ત્યારે આવશે જ્યારે આકારણી અધિકારીને લાગે છે કે તમારી કેટલીક આવકનું મૂલ્યાંકન થયું નથી, આવા કિસ્સામાં, ફરીથી આકારણી કરી શકે છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">