તમને કોઈ એવી વ્યક્તિની ઓળખ છે જેની પાસે કાળું નાણું છે તો અહીં કરો ફરિયાદ અને 5 કરોડ રૂપિયાનું ઈનામ મેળવો

આવકવેરા વિભાગે (Income Tax Department) નવી 'ઓનલાઈન' સુવિધા શરૂ કરી છે, જેના દ્વારા કોઈપણ સરકારમાં ગેરકાયદેસર સંપત્તિ, બેનામી સંપત્તિ અથવા વિદેશમાં કોઈપણ વ્યક્તિ અથવા કંપનીની કરચોરી અંગેની માહિતી આપી શકે છે.

તમને કોઈ એવી વ્યક્તિની ઓળખ છે જેની પાસે કાળું નાણું છે તો અહીં કરો ફરિયાદ અને 5 કરોડ રૂપિયાનું ઈનામ મેળવો
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Jan 13, 2021 | 7:23 PM

આવકવેરા વિભાગે (Income Tax Department) નવી ‘ઓનલાઈન’ સુવિધા શરૂ કરી છે, જેના દ્વારા કોઈપણ સરકારમાં ગેરકાયદેસર સંપત્તિ, બેનામી સંપત્તિ અથવા વિદેશમાં કોઈપણ વ્યક્તિ અથવા કંપનીની કરચોરી અંગેની માહિતી આપી શકે છે. કેન્દ્રીય પ્રત્યક્ષ બોર્ડ (Central Board of Direct Taxes) એ મંગળવારે આ વાત કરી હતી. સીબીડીટી (CBDT) એ કહ્યું છે કે ‘કરચોરી અથવા બેનામી સંપત્તિ હોલ્ડિંગ વિશે માહિતી આપતી લિંકને’ સોમવારે તેના ઈ-ફાઈલિંગ પોર્ટલ https://www.incometaxindiaefiling.gov.in પર ચાલુ કરી દીધી છે.

કોણ ફરિયાદ કરી શકે છે

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આ સુવિધા અંતર્ગત સ્થાયી ખાતા સંખ્યા (PAN) અથવા આધાર (Aadhar) નંબર ધરાવનાર વ્યક્તિ અથવા જેની પાસે પાન અથવા આધાર નથી તે વ્યક્તિ ફરિયાદ નોંધાવી શકે છે. આ ઓનલાઈન સુવિધામાં ઓટીપી આધારિત કાયદેસરની પ્રક્રિયા હેઠળની કોઈપણ ફરિયાદ, ઈન્કમટેક્સ એક્ટ 1961, અપ્રગટ સંપત્તિ કાયદો અને બેનામી ટ્રાન્ઝેક્શન અવધિ અધિનિયમ હેઠળ ત્રણ જુદા જુદા સ્વરૂપોમાં ફાઈલ કરી શકાય છે.

5 કરોડનું ઈનામ

ફરિયાદ નોંધાયા પછી વિભાગ દરેક ફરિયાદ માટે એક અનોખો નંબર આપશે અને તેમાંથી ફરિયાદી દ્વારા વેબલિંક પર કરવામાં આવેલી ફરિયાદ પર કરવામાં આવેલી કાર્યવાહીની સ્થિતિ જોઈ શકશે. આ નવી સુવિધામાં કોઈપણ વ્યક્તિ ‘બાતમીદાર બની શકે છે અને તે ઈનામ માટે પણ હકદાર રહેશે. હાલમાં અમલમાં આવેલી યોજના મુજબ બેનામી સંપત્તિના મામલામાં એક કરોડ રૂપિયા અને કાળા નાણાં વિદેશમાં રાખવા સહિતના કરચોરીના મામલામાં પાંચ કરોડ રૂપિયા સુધી આપવાની જોગવાઈ છે.

આ પણ વાંચો: Freedom 251 સ્માર્ટફોનના ફાઉન્ડર મોહિત પર 200 કરોડની છેતરપિંડીનો આરોપ, નોઈડા પોલીસે કરી ધરપકડ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">