SEBIએ નિયમોનું પાલન ન કરનાર 20 કંપની સામે કરી લાલ આંખ , 3.3 કરોડ રૂપિયા પરત આપવા આદેશ કરાયો
મૂડીબજારના નિયમનકાર સેબી (SEBI) એ માર્કેટ નિયમોનું ઉલ્લંઘન કરનાર 20 કંપનીઓ સામે લાલ આંખ કરી છે.
મૂડીબજારના નિયમનકાર સેબી (SEBI) એ માર્કેટ નિયમોનું ઉલ્લંઘન કરનાર 20 કંપનીઓ સામે લાલ આંખ કરી છે. સેબીએ અલગ -અલગ કંપનીઓને વિવિધ નિયમોના પાલન કરવામાં ચૂક કરી હોવાનું ટાંક્યું છે. આ માટે સેબીએ કંપનીઓને આદેશ કરી નિયત સમયમાં 3.3 કરોડ રૂપિયા પરત કરવા કહ્યું છે.
SEBIએ સપ્ટેમ્બર 2011 થી સપ્ટેમ્બર 2012 ની વચ્ચે થયેલી તપાસના આધારે આદેશ રજૂ કર્યો છે. તપાસમાં બહાર આવ્યું હતું કે બી જે ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાયનાન્શીયલ કન્સલ્ટન્ટ તેમજ એવરસાઇટ ટ્રેડકોમ જેમને માર્કેટમાં વ્યવસાય કરવા ઉપર મનાઈ ફરમાવાઈ હતી તેમ છતાં કામ ચાલુ રાખી આદેશોનો ભંગ કયો હતો.
કંપનીઓએ છેતરપિંડી કરી સેબીનું કહેવું છે કે જે કંપનીઓને વેપાર કરતા અટકાવવામાં આવ્યા હતા તેઓએ વિવિધ ભંડોળને શેર બ્રોકરોને ટ્રાન્સફર કર્યા હતા. ઉપરાંત બજારમાં વ્યવસાય કરવાની ખૂબ વક્ર રીત અપનાવી જેથી સેબીને છેતરી શકાય. આવી સ્થિતિમાં આ કંપનીઓએ નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. તપાસના સમયગાળા દરમિયાન પ્રતિબંધિત કંપનીઓ પાસેથી વેપાર કંપનીમાં પૈસાની લેવડદેવડ કરવામાં આવી હોય તેવા 120 બનાવ પ્રકાશમાં આવ્યા છે. જેમાં કુલ 59 કરોડ 67 લાખ રૂપિયા જારી કરાયા હતા. આ 20 કંપનીઓને 3 કરોડ 30 લાખ 52 હજાર 904 રૂપિયા પરત આપવા સેબી દ્વારા સૂચનાઓ જારી કરવામાં આવી છે.
આ કંપનીઓ દ્વારા વેપાર કરવામાં આવ્યો હતો સેબીનું કહેવું છે કે જે કંપનીઓને માર્કેટમાં વેપાર કરવા ઉપર રોક લગાવાઈ હતી છતાં નીલાંચલ મરકટાઇલ, ડિબ્રિસ્ટિ મર્ચન્ટ્સ અને દિવ્યદર્શ ટ્રેડર્સ જેવી અન્ય ટ્રેડિંગ કંપનીઓ દ્વારા સીધું નાણાકીય ટ્રાંઝેક્શન કરાયું હતું. કેટલાક કિસ્સાઓમાં, તેમણે કેટલાક અન્ય માધ્યમથી પણ પરોક્ષ રીતે પૈસા ટ્રાન્સફર કર્યા હતા. આ પૈકી સ્ટુપેન્ડર્સ ટ્રેડર્સ પ્રા. લિમિટેડ અને ફ્લેક્સ ટ્રેડ પ્રા. લિ. નો સમાવેશ થાય છે.