એર ઈન્ડિયા બિડિંગ લિમિટ ૧૫ ડિસેમ્બર સુધી વધારાશે, ૭૦ હજાર કરોડના દેવા માટે એરલાઇન્સ વેચવા કઢાઈ છે
ખોટનો સામનો કરી રહેલી સરકારી એરલાઇન્સ કંપની એર ઇન્ડિયાને વેચવા માટે બિડિંગની મુદત 15 ડિસેમ્બર સુધી લંબાવાઈ શકે છે. સંભવિત ખરીદદારોને આકર્ષવા માટે સરકાર એસેટ વેલ્યુએશન નિયમોમાં સરળતા લાવી શકે છે. . સૂત્ર અનુસાર બિડરોને આખી કંપની માટે બોલી ફરજીયાત કરવામાં આવી શકે છે . એક અંદાજ મુજબ બિડિંગ દ્વારા મળનાર કુલ રકમના 85 ટકા […]
ખોટનો સામનો કરી રહેલી સરકારી એરલાઇન્સ કંપની એર ઇન્ડિયાને વેચવા માટે બિડિંગની મુદત 15 ડિસેમ્બર સુધી લંબાવાઈ શકે છે. સંભવિત ખરીદદારોને આકર્ષવા માટે સરકાર એસેટ વેલ્યુએશન નિયમોમાં સરળતા લાવી શકે છે. . સૂત્ર અનુસાર બિડરોને આખી કંપની માટે બોલી ફરજીયાત કરવામાં આવી શકે છે . એક અંદાજ મુજબ બિડિંગ દ્વારા મળનાર કુલ રકમના 85 ટકા રકમ દેવા ભરપાઈ કરવામાં ખર્ચાઈ જશે અને બાકીની રકમ સરકારને મળશે.
સરકાર લાંબા સમયથી ખોટ કરતી કંપનીને વેચવાની તૈયારી કરી રહી છે. બિડિંગની વર્તમાન સમયસીમા 30 ઓક્ટોબરએ સમાપ્ત થાય છે. જો ડિસઇન્વેસ્ટમેન્ટની તારીખ વધારવામાં આવે તો આ પાંચમો વિસ્તરણ હશે. એરલાઇન્સ પર લગભગ 70 હજાર કરોડનું મોટું દેવું છે. છેલ્લા 20 વર્ષથી એર ઇન્ડિયા વેચવાના પ્રયાસ કરાઈ રહયા છે પરંતુ મહારાજા ટેગવાળી આ કંપની હજી વેચી શકાઈ નથી. 27 મે 2000 ના રોજ સરકારે એર ઇન્ડિયામાં 60 ટકા હિસ્સાના વેચાણને મંજૂરી આપી હતી પરંતુ જેતે સમયે વેચાણની યોજના ઉપર ભાર મૂકી કામ કરાયું નહિ અને આખરે મામલો અભરાઈએ ચડ્યો હતો.
જયારે નીતિ આયોગે મેં ૨૦૧૭માં CPSE ના ડિસઇન્વેસ્ટમેન્ટની ભલામણ કરી હતી તે સમયે એર ઇન્ડિયાના નામનો પણ ઉલ્લેખ કરાયો હતો. ૧૨ ડિસેમ્બર ૨૦૧૯એ મંત્રી હરદીપસિંહ પુરીએ સંસદમાં એર ઇન્ડિયાનો 100 ટકા હિસ્સો વેચવાની જાહેરાત કરી હતી જ્યારે અગાઉ તેણે 2018 માં તેમાં 76 ટકા હિસ્સો વેચવાની વાત જાહેર કરવામાં આવી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો