લોન વસુલી માટે હવે નહી ચાલે ગુંડાગર્દી. જાણો RBIએ ARC કંપનીઓને શું આપી ચેતવણી
ભારતીય રિઝર્વ બેંક દ્વારા એસેટ રીકન્સ્ટ્રક્શન કંપની (Reconstruction Company)ને લોન રીકવરી માટે અસભ્ય રીતનો ઉપયોગ કરવાથી બચવા માટે કહેવામાં આવ્યું છે. RBIએ આ કંપનીને ફેર પ્રેકટીસ કોડ અપનાવવા માટે કહ્યું છે. આ કોડ મુજબ લોન વસુલી માટે અસભ્ય અને અસામાજીક ઢબનો ઉપયોગ કરવા પર રોક લગાવી છે. એટલું જ નહી આ કોડ મુજબ વસુલી માટેનાં […]
ભારતીય રિઝર્વ બેંક દ્વારા એસેટ રીકન્સ્ટ્રક્શન કંપની (Reconstruction Company)ને લોન રીકવરી માટે અસભ્ય રીતનો ઉપયોગ કરવાથી બચવા માટે કહેવામાં આવ્યું છે. RBIએ આ કંપનીને ફેર પ્રેકટીસ કોડ અપનાવવા માટે કહ્યું છે. આ કોડ મુજબ લોન વસુલી માટે અસભ્ય અને અસામાજીક ઢબનો ઉપયોગ કરવા પર રોક લગાવી છે. એટલું જ નહી આ કોડ મુજબ વસુલી માટેનાં રસ્તાઓમાં પારદર્શકતા અને નિષ્પક્ષતાની વાત પણ કહી છે.
Reserve Bank Of India ( RBI ) એ ARC કંપનીઓને સલાહ આપી છે કે તે લોન રીકવરી સાથે જોડાયેલી તમમા વાતોને સાર્વજનીક કરે એટલે કે હવે હિતધારકોની જાણકારી માટે FPCને સાર્વજનીક ડોમેનમાં પણ મુકવું જોઈએ એ સિવાય મેનેજમેન્ટ ફી યોગ્ય રહે. RBIનું કહેવું છે કે રીકવરીની કોઈ પણ પ્રક્રિયા શરૂ કરવાથી પહેલા રીકવરી માટે શરત સાથે નોટીસ જારી કરવી જરૂરી છે.
આ સાથે RBIએ નિર્દેશ આપ્યા છે કે રિકવરીનં કામ કરવા વાળા એજન્ટ (loan Recovery Agents)ને કંપનીઓ સારી રીતે સલાહ આપે અથવા તો ટ્રેનીંગ આપે જેથી તે સંવેદનશીલતા સાથે પોતાની જવાબદારી પુરી કરી શકે. કોલીંગ ઓવર, ગ્રાહકોની જાણકારી અને ગોપનીયતા જેવા પાસાનાં સંબંધમાં રીકવરી એજન્ટસે સંવેદનશીલ હોવું જોઈએ.